Sunday, December 18, 2022

તમારી ફરિયાદ છે, નોકરીના કેટલા વર્ષ બાકી છે, શાંતિથી પુરા કરો | Your complaint is, how many years are left in the job, complete it peacefully

ભાવનગર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોર્પો.ની સમિતિમાં સભ્યોના કોઈ પ્રશ્ન નહીં હોવા છતાં પ્રશ્નો ઉભા થયા
  • ​​​​​​​સંકલનમાં આમંત્રિત નહીં ​​​​​​​હોવા છતાં ધારાસભ્ય પતિએ હાજર રહી તંત્રને આડે હાથ લીધું

મહાનગરપાલિકામાં પ્રતિ માસ યોજાતી સંકલન સમિતિની બેઠકમાં અપેક્ષિત નહીં હોવા છતાં આજે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય સાથે તેના પતિ પણ હાજર રહ્યા હતા અને અધિકારીઓને તતડાવ્યા હતા. પી.આર.ઓ.ને તો કાર્યક્રમોના આમંત્રણ માટે ફરિયાદ હોવાથી નોકરીના જેટલા વર્ષ બાકી હોય તે શાંતિથી પૂરા કરવા સુધી પણ જણાવ્યું હતું. કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકના ઇતિહાસમાં પ્રથમવાર ધારાસભ્યના પતિની હાજરીથી ભારે ચર્ચા જાગી હતી.

સંકલન સમિતિની બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અને તેની જોગવાઈઓ મુજબ કોર્પોરેશનમાં ધારાસભ્ય અને સાંસદ તેમજ કલેકટરની સંકલનમાં ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને વિભાગીય વડાઓ સહિતના અપેક્ષિત હોય છે. કદાચિત ધારાસભ્ય અથવા સાંસદ હાજર ન રહી શકે તો તેના પ્રતિનિધિ તરીકે તેના સત્તાવાર પીએ ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ આજે કોર્પોરેશનની મળેલી સંકલન સમિતિની બેઠકમાં નવનિયુક્ત ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને તેમની સાથે તેમના પતિ શહેર ભાજપના પ્રમુખ રાજીવભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી જોગવાઈઓની વિરુદ્ધ તો તેઓ સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા પરંતુ અધિકારીઓને પણ ખખડાવ્યા હતા. કંસારા શુદ્ધિકરણના અટવાયેલા પ્રોજેક્ટ સંદર્ભે પણ કમિશનરને વિભાગો વચ્ચેના સંકલન કરવા સુચના આપી હતી. તેમજ ઘરવેરાની રિકવરી બાબતે એકદમ આક્રમક નહી બની નોટિસો સહિતની કાર્યવાહી કરવા નહીં તો કરદાતાઓ ધારાસભ્યના પતિ પાસે દોડી આવશેનું જણાવ્યું હતું.

આમ સંકલન સમિતિની બેઠકમાં સભ્યો દ્વારા કોઈ પ્રશ્ન મુકાયો નહીં હોવા છતાં જુદા જુદા પ્રશ્ને ચર્ચાઓ કરી અધિકારીઓને આડે હાથ લીધા હતા. સંકલન સમિતિની બેઠકમાં સમિતિના અધ્યક્ષ હોવા છતાં કમિશનરે પણ સત્તા પાસે ચૂપકીદી સેવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો માંડ એકાદ બે વાર હાજર રહ્યા હશે. ત્યાં નવનિયુક્ત ધારાસભ્ય સેજલબેન પંડ્યા ધારાસભ્ય બનતા પ્રથમ બેઠકમાં જ હાજર રહ્યા હતા.

ક્ષત્રિય સમાજના કાર્યકારી પ્રમુખ પુનઃ મહામંત્રી
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવારીને લઈ ભાજપથી ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી ફેલાયેલી હતી. ભાજપના ઉમેદવાર તરીકે શહેર ભાજપના પ્રમુખના પત્નીની પસંદગી કરાતા પ્રમુખ પદ પરથી રાજીવભાઈ પંડ્યાનું રાજીનામું પક્ષ દ્વારા લેવાયું હતું. પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ગઈકાલે શુક્રવારે પક્ષના આદેશ અનુસાર શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનઃ રાજીવભાઈ પંડ્યાને કાર્યભાર સોપ્યો હતો. જેથી કાર્યકારી પ્રમુખ ડી.બી. ચુડાસમા પુનઃ મહામંત્રી પદે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: