પંચમહાલ (ગોધરા)14 મિનિટ પહેલા
શહેરા તાલૂકામાં બાંધકામ શ્રમયોગીઓમાં ગંભીર રોગો તેમજ પ્રાથમિક તબ્બકે અટકાવા, પ્રાથમિક તબીબી આપી સેવા પુરી પાડવાના હેતુથી સરકાર દ્વારા ધન્વતંરી આરોગ્ય રથની શરુઆત કરવામાં આવી છે.

જીલ્લામાં બાંધકામ સાઈટો પર શ્રમિક કામદારો કામ કરતા હોય છે. તેમને પણ આ રીતેની સુવિધા મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા એક સુખાકારી પગલુ લેવામાં આવ્યું છે. જેમાં શહેરા તાલુકામાં ધન્વતરી આરોગ્ય રથ સેવાની શરુઆત કરવામા આવી છે. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા આ ધન્વતંરી આરોગ્ય રથ સેવાની નવીન એમ્બયુલન્સ વાનને રીબીન કાપીને લોકાપર્ણ કરી જાહેર સેવા માટે ખુલ્લી મુકીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.
આ ધન્વતરી રથમાં પાચં જણનો સ્ટાફ હોય છે. જેમાં મેડીકલ ઓફીસર, ડ્રાઈવર, લેબ ટેકનીશીયન, પેરામેડીકલ સહિતનો સ્ટાફ હોય છે. સાથે સાથે આમાં હેલ્થને લગતી તમામ સારવાર આપવામાં આવે છે. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફીસર ભરત ગઢવી, સરકારી રેફરલ હોસ્પિટલના મેડીકલ ઓફીસર અશ્વિનકુમાર રાઠોડ, ધન્વતંરી આરોગ્ય રથની મેડીકલ ટીમ, આરોગ્ય વિભાગની ટીમ હાજર રહી હતી.