એક શ્રમિકનો મૃતદેહ બહાર કઢાયો
કચ્છ ખાવડા પાસેના પૈયા ગામની પાસે સર્જાઈ ખોદકામ દરમિયાન શીલા ધસી આવતાં દુર્ઘટના સર્જાઇ છે. જેના પગલે ખોદકામ કરી રહેલા કામદારો દટાયા છે. ઘટનામાં હિટાચી સહિત ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો છે. જ્યારે કાટમાળ નીચેથી એક શ્રમિકનો મૃતદેહ બહાર કઢાયો છે અને અનેક લોકો ફસાયાની આશંકા છે. હજુ પણ અન્ય લોકો દટાયાની આશંકા વચ્ચે કાટમાળ હટાવાની કામગીરી હાથ ધરાઇ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે ખોદકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી.
આ પણ વાંચો:વૃધ્ધા સાથે ગઠિયાએ FB પર ઇમોશનલ વાતો કરી ખંખેરી લીધા 33 લાખ રૂપિયા
કામદારોને બહાર કાઢવાની કામગીરી શરૂ
નોંધનીય છે કે, ઘટનાને પગલે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કાટમાળ દૂર કરી દટાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાટમાળ નીચે કેટલા શ્રમિકો દટાયા છે, તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ કાટમાળ દૂર કરવાની કામગીરી પૂરી થયા બાદ જ તે અંગે જાણકારી સામે આવશે. સાથે જ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટના અંગે વધુ માહિતી એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accident News, Gujarat News, Kutch news