અડદિયામાં સારી માત્રામાં પ્રોટીન મળે છે કારણ કે તે અડદની દાળથી બને છે જે પ્રોટીનથી ભરપૂર છે. તો વળી અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે. તો તેના ઉપરાંત અડદિયા બનાવવા માટે દેશી ઘી, ગુંદ, દૂધ, ડ્રાયફ્રુટ ઉપરાંત 48 જાતના મસાલાઓ પણ ઉમેરવામાં આવે છે, જેથી શિયાળાની ઠંડીમાં તે શરીરને ગરમાવો આપે છે.
ઔષધી રૂપે અડદની દાળ અમૃત સમાન છે, જે આ હેમંત ઋતુમાં આપણા શરીરની પ્રબળ અગ્નિને સંતોષે છે. તેના સદગુણો ના કારણે અડદની દાળ વડે આયુર્વેદિક દવાઓ પણ બનાવવામાં આવે છે. આયુર્વેદમાં બનતું માષતૈલ અડદની દાળથી બને છે અને તે દવા લકવાના ઉપચાર માટે વપરાય છે. તો અડદ વડે જ નસિયાના ટીપાં બનાવી તેને નાક વડે પણ આપવામાં આવે છે.
અડદિયા બનાવવા વપરાતું ગાયનું દેશી ઘી શરીરના દરેક ધાતુને પોષણ આપે છે ઉપરાંત શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ઠંડીની ઋતુમાં શરદી, ઉધરસ, તાવના રોગ થવા ખૂબ જ સામાન્ય છે ત્યારે અડદિયાનું સેવન કરતા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જે શ્વાસ તંત્રને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. અડદિયામાં રહેલા મરી, સૂંઠ, પીપર જેવા મસાલાઓ શરદી ઉધરસ જેવી બીમારીઓ લાવતા વાયરસ વિરુદ્ધ લડી શરીરને રક્ષણ આપે છે.
તો વળી અડદિયા હાઇપર થાઈરોઈડથી ગ્રસ્ત લોકો, જેમને અતિશય ભૂખ લાગતી હોય, તેમના માટે પણ ખૂબ લાભદાયક છે. નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ વિકસિત થતી હોય તેમના માટે પણ અડદિયાનું સેવન કરવું સારું નીવડે છે. અડદિયામાં ઉમેરાતા ડ્રાયફ્રુટમાં પણ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર