દિવ્યાંગોની મદદે આવ્યા નીતિન જાની
ઉલ્લેખનીય છે કે, નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈના સંપર્કમાં આ પરિવાર આવ્યો હતો અને મકાન બનાવી આપવાની મદદ માંગી હતી. નીતિનભાઈ જાનીએ માજીની રજુઆત સાંભળી અને સ્થળ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ નીતિનભાઈ જાનીએ મનો દિવ્યાંગ બાળકોને ત્રણ ઘર બનાવી આપવાની શરૂઆત કરી હતી. છેલ્લા 7 દિવસથી દિવસ રાત મહેનત કરી ગોંડલ તેમજ રાજકોટના યુવાનો દ્વારા સાત દિવસમાં ત્રણ ઘર બનાવી આપવામાં આવ્યું છે. અંદાજે 6થી 7 લાખના ખર્ચે પરિવારને ત્રણ ઘર બનાવી આપવામાં આવ્યા છે.આ પણ વાંચો: શિક્ષકે વિદ્યાર્થી ઠપકો આપવાના બદલે કૃતા પૂર્વક ગુસ્સો ઠાલવી ઢોર માર માર્યો
સાત લાખના ખર્ચે ત્રણ ઘર બનાવી આપ્યા
આજ રોજ મનો દિવ્યાંગ બાળકો તેમજ પરિવાર સાથે રીબીન કાપી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ બાદ નીતિન જાની દ્વારા ગણપતિજીની પૂજા કરવામાં આવી હતી અને મનો દિવ્યાંગ બાળકો સાથે ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. ઘરમાં બાળકો છૂટથી રમી શકે તે માટે ફરતે લોખંડની જાળી ફિટ કરવામાં આવી છે તેમજ મકાનમાં ફરતે હવા ઉજાસનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ ઘરમાં ઇલેક્ટ્રિક સિટીથી માંડી તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઘરમાં કબાટ, શેટી, ગાદલા, ઘરની દીવાલ પર ભગવાન અને પ્રાકૃતિક સૌંદર્યની છબી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: રમેશ ઓઝા માઉન્ટ આબુમાં ગુજરાતી સભા સ્થળે 9 દિવસ સુધી રામ કથાનું પઠન કરશે
6 વર્ષની બાળકીએ ગલ્લાના પૈસાથી મદદ કરી
આમાં મોટી વાત એ છે કે, 6 વર્ષની બાળકીએ નીતિન જાનીના કામથી પ્રેરાયને તેમના ગલ્લામાં પૈસા ભેગા કરેલા નાણા નીતિન જાનીને આપી સેવાના કાર્યમાં એક નાનકડું યોગદાન આપ્યું. હતું. આ રીતે નીતિન જાનીને દિવ્યાંગ બાળકોની પીડા અને તેના માતા-પિતાની મજબુરી હૃદયથી સ્પર્શી ગઇ તો ખુલ્લા હાથે મદદ કરી માનવીય સંવેદનની સહજ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. નીતિન જાનીએ ગુજરાતમાં ઘણા લોકોને મદદ કરી પોતાની ઉદારતા બતાવી છે. તેઓ અવાર નવાર જરૂરિયામંદ લોકોને મદદ કરતા રહે છે. તેમના આ કામને લોકો વખાણી પણ રહ્યા છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Help, Khajur, Nitin Jani, Rajkot News