ગામના વડિલોનો નિર્ણય લોકો માન્ય રાખે છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે આજ દિન સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી.તેનું મુખ્ય કારણ, જયારે ગામમાં કોઈ પણ ક્ષેત્રની ચૂંટણી થવાની હોય ગ્રામજનો મંદિરે અથવા ગામના ચોતરે એકઠા થઇને નક્કી કરે છે.
ત્યારબાદ વડવાઓ જે નિર્ણય લે ગામના તમામ લોકો માન્ય રાખે છે.ગામમાં પંચાયતની ચૂંટણી હોય, ડેરીની ચૂંટણી હોય કે પછી સહકારી મંડળી હોય છેલ્લા 20 વર્ષથી ચૂંટણી થઇ નથી. જેને લઈને ગામના 180 પરિવારના તમામ કામ સરળતાથી થઇ જાય છે.
પ્રસંગમાં પણ ગામ એક થઇ કામ કરે
ચૂંટણી સમરસ થવાના કારણે તમામ પ્રકારની ગ્રાન્ટમાં વધારો આવતો હોવાથી ગામનો વિકાસ સારો થાય છે. ગામ લોકોને ગ્રાન્ટ તેમજ દરેક સમાજના લોકોને ચૂંટણીનો મોકો પણ મળે છે.તેમજ ગામમાં કોઈ પણ સમાજનો પ્રસંગ હોય એક સંપ કરી પ્રસંગ પાર પડે છે.કોઈ પણ કોમનો પ્રસંગ પોતાનો પ્રસંગ સમજી કામ કરે છે.
ગામમાં દારૂ, ગુટખા પર પ્રતિબંધ
ગામમાં દારૂ, ગુટખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો આ ગામમાં દારૂ, ગુટકાનું વેચાણ થતા જાણ થાય તો દંડ આપે છે.પરંતુ જે દિવસથી આ નિર્ણય લેવાયો છે ત્યારથી ગામના તમામ કોમના લોકો એક સંપ થઈ રહે છે.
ગામના યુવાનોએ આજ સુધી ચૂંટણી જોઈ નથી.
ગામના યુવાનોએ ગામમાં કોઈ ચૂંટણીઓ જોઈ જ નથી. ગામમાં દરેક ચૂંટણી સમરસ થાય છે.ચૂંટણી સમરસ થવાથી ગામને આર્થિક સહાય વધુ મળે છે.છેલ્લી 4 ટર્મથી ગામ સમરસ છે. સરકારનો અભિગમ છે કે,સમરસ ગામોને આર્થિક સહાય આપે છે.જેથી સરકાર દ્વારા આપતી આર્થિક સહાયને લઈ આજે રૂપપુરા ગામ વિકાસના સોપાનો સર કરી રહ્યું છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Election News, Local 18