Tuesday, December 20, 2022

Organized exhibitions presenting carpenter tools and sculpture of human nature to the public AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad : અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. જેમાં આ વખતે કલાહ ગ્રુપના આર્ટિસ્ટો દ્વારા ભારતના સુપ્રસિદ્ધ ગણાતા અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગ શહેરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસની યાદોને તેમણે પોતાના સ્કલ્પચર અને પેઈન્ટિંગના માધ્યમ દ્વારા રજૂ કરી છે. તો આવો આપણે પણ જાણીએ તેમના યાદગાર સાહસને.

માનવ નેચરને રજૂ કરતું સ્કલ્પચર બનાવી રજૂ કર્યું

મયુર ગુપ્તા સાથે વાત કરતા જણાવ્યું કે તે પોતે એક સ્કલ્પચર આર્ટિસ્ટ છે. પરંતુ બધાથી કંઈક અલગ કરવાની અને યાદગાર પ્રવાસ બનાવવા માટે તેમણે એનોખું સ્કલ્પચર બનાવ્યું છે. જેમાં માનવ નેચરને રજૂ કરતા ભાગો દર્શાવવામાં આવ્યા છે. આ માનવ નેચર સ્કલ્પચરમાં માનવીની વિચારસરણીને અલગ અલગ માધ્યમમાં જુદા જુદા ચિન્હોથી દર્શાવવામાં આવી છે.

તવાંગની સફર અદ્ભુત અને આજીવન ભૂલી શકાય તેમ નહતી

વધુમાં જણાવતા કહ્યું કે જેમાં માનવ પોતાના વિચારોને સકારાત્મક, નકારાત્મક, ભાવાત્મક પરિસ્થિતિઓમાં કેવું વિચારી શકે, શું કરી શકે અને કામ પૂર્ણ થયા પછી તેના વિશેના કેવા વિચારો કહી શકે. આમ આ પ્રકારનું માનવ નેચર સાયકલ રજૂ કરતું બનાવીને પોતાનો અને લોકોનો વિચાર રજૂ કર્યો છે. તેમની આ સફર અદ્ભુત હતી. જેને આજીવન ભૂલી શકાય તેમ નહતી.

જુદા જુદા કાર્પેન્ટર ટૂલને અનોખી ડિઝાઈનમાં રજૂ કર્યા

સાથે સાથે અમરનાથ શર્મા સાથે વાત કરતા જણાવ્યું કે તે પોતે એક કાર્પેન્ટર ફેમિલીમાંથી આવે છે અને સાથે આર્ટિસ્ટ તરીકેની કળા ધરાવે છે. તેમના આ અનોખા પેઈન્ટિંગમાં જુદા જુદા કાર્પેન્ટર ટૂલને અનોખી ડિઝાઈનમાં રજૂ કર્યા છે. નાનપણથી તેમણે જે જોયું અને જેનાથી રમીને મોટા થયા તે કાર્પેન્ટર ટૂલ દ્વારા પેઈન્ટિંગ બનાવ્યું.

ખાસ વાત એ છે કે આ કાર્પેન્ટર ટૂલને સાથે રાખીને અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉચકીને લઈ જતા. આ ઓબજેક્ટને ધ્યાનમાં રાખીને નાનપણની યાદો અને પરિવારની ખુશીને તાજી કરવા આ પ્રકારનું પેઈન્ટિંગ બનાવ્યું છે. અને સાથે ખાસ તવાંગના પ્રવાસની સુંદર ડિઝાઈનો બનાવેલી પણ જોવા મળે છે.

સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Art Gallery Exhibition, Local 18

Related Posts: