આમ તો અહીં પ્રદર્શન માટે તૈયાર કરવામાં આવેલા દરેક શો નિહાળનારા લોકો માટે પ્રેરણા આપે તેવા જ છે. તેમાં તૂટે હૃદય તૂટે ઘર લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. આ શો વિશે વાત કરવામાં આવે તો, તૂટે હૃદય તૂટે ધર શો 1800 લોકો એક સાથે આ શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 20 મિનિટ્સનો શો છે. સવારે આઠથી રાતે નવ વાગ્યા સુધીમાં 30 જેટલા શો ચાલે છે. શોનો મુખ્ય હેતુ પરિવારમાં સંપ રહે તેવો છે. બાપાએ પરિવારમાં સંપ સુરતભાવ અને એકતા રહે તેના માટે ઘરસભા કરવાની આજ્ઞા કરી છે.
આ પણ વાંચો: નવસારી: કારમાં સવાર તમામ, બસમાં સવાર 1નું મોત
હાલના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ પાછળ એટલો પરોવાઈ ગયો છે કે, તે ઘર અને પરિવારથી દૂર થઇ રહ્યો છે. આજના યુગમાં લોકોએ સહનશીલતા ગુમાવી છે અને મોબાઈલના લીધે બાળકો પરિવાર સાથે જોડાયેલા રહેતા નથી. નાની નાની વાત પણ કકળાટ ક્યારેક મોટું સ્વરૂપ લઈ લે છે. અને પરિણામે પરિવાર વિખેરાઈ જાય છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આ તૂટતા પરિવારનો ઉપાય એટલે તૂટે હૃદય તૂટે ઘર શો. આ શો સુપરહિટ જઈ રહ્યો છે.
શો નિહાળીને આવનારા લોકો જણાવે છે કે, આજની પેઢીને કૌટુંબની એકતા અને બાળકોનું પરિવારજનો સાથે ફેમિલી એટેચમેટ કઇ રીતે જાળવી રાખવું તે શો દ્વારા બતાવવામાં આવ્યુ છે. શો તો હૃદય સ્પર્શી છે જ પણ તેનું નામ તૂટે હૃદય તૂટે ઘર પણ હૃદય સ્પર્શી છે. શોનું નામ વાંચીને જ લોકો આ શો જોવાનું ચૂકતા નથી.
પ્રમુખ સ્વામી મહારાજે એટલે જ ઘર સભા કરવાની આજ્ઞા કરી હતી. જેથી પરિવાર સાથે બેસીને ઘરસભા કરે અને સાથે બેસીને પરિવારના નાના મોટા પ્રશ્નોનો નિકાલ કરે બાળકોને માતા પિતાની અને દાદા દાદીની સેવા કરવાની સલાહ અને સૂચનો આપવામાં આપે.
આ સંસ્કાર બાળકોને બાળપણથી જ આપવામાં આવે તેવું આચરણ બાળકો મોટા થઈને કરે. યુવાન દીકરો વડીલોનું માન અને તેમની કાળજી કેવી રીતે લેવી તેની શિખામણ બાળપણ માંથી જ અપાવી પડે. એટલે જ નગરમાં આ શો દ્વારા નવી પેઢીને એક શીખ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Pramukh Swami Maharaj Shatabdi Mahotsav, અમદાવાદ, ગુજરાત, પ્રમુખ સ્વામી