બોટાદ4 મિનિટ પહેલા
બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સંયુક્ત ઉપક્રમ સાથે બોટાદ શહેરમાં આવેલા મસ્તરામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ તેમજ બજરંગ દળના જિલ્લા સંયોજક સહિતના અન્ય હોદ્દેદારો અને આગેવાનોની હાજરીમાં બોટાદ શહેરમાં આવેલા મસ્તરામ મંદિર ખાતેથી ભવ્ય શોર્ય યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ બોટાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરતી આ શોર્ય યાત્રાનું સમાપન ગઢડા રોડ પર આવેલ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં બજરંગ દળના 300 કાર્યકરોને સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારોની હાજરીમાં ત્રિશુલ દીક્ષા આપવામાં આવેલી હતી. તેમજ બજરંગ દળના જિલ્લા સંયોજક દ્વારા જણાવવામાં આવેલું કે હિન્દુ ધર્મને બચાવવા માટે બોટાદ જિલ્લામાં દરેક ઘર દીઠ અમારો એક કાર્યકર હશે તે પ્રમાણેનું આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સૂર્ય યાત્રા તેમજ ત્રિશૂળ દીક્ષાના કાર્યક્રમમાં બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સતુભા ધાધલ શહેર પ્રમુખ મોન્ટુભાઈ માળી તેમજ બજરંગ દળના જિલ્લા સંયોજક મહેશ કણજરીયા તેમજ ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક માધવ સ્વામી તેમજ અન્ય સંતો આ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.