સલાલ9 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ત્રણ અકસ્માત થતાં એકનું મોત અને બે જણાં ઇજાગ્રસ્ત
- પ્રાંતિજના રામપુરા નજીક બે બાઇક ટકરાતાં સગીરનું મોત
સોનગઢનો યુવક નોકરીથી ઘરે પરત આવતો હતો
પ્રાંતિજના રામપુરા પાસે વહાણવટી મંદિર પાસે રોડ ઉપર બાઇક ટકરાતાં સગીરનું મોત થયું હતું અને અન્ય શખ્સ ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો. પ્રાંતિજના સોનાસણના પેટાપરા સોનગઢમાં રહેતા દિગ્વિજયસિંહ વિક્રમસિંહ પરમાર (17) બાઇક લઇ શુક્રવાર સાંજે નોકરી પરથી પરત સોનગઢ આવતા હતા.
તે દરમિયાન રામપુરાની સીમમાં વહાણવટી મંદિર પાસે રોડ ઉપર સામેથી આવતા બાઇક સાથે ટકરાતાં ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું. જ્યારે અન્યને ઈજાઓ થતાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં સોનગઢ ગામે ગમગીની છવાઈ ગઈ હતી જયારે અકસ્માત સ્થળે રોડ પર પડેલા ગાબડાંથી લોકોમાં વહીવટી તંત્ર પર ભારે રોષે ભરાયા છે.
સીતવાડા બોરીયા પાસે કારની ટક્કરે બાઇકચાલક ઇજાગ્રસ્ત, અકસ્માત કરી કારચાલક કાર મૂકી ભાગી ગયો
તાજપુરકૂઇ: પ્રાંતિજના સીતવાડા બોરીયા રોડ ઉપર હરિસિંહ કેશરીસિંહ મકવાણા રોડની સાઇડમાં તેઓની બાઇક પર બેઠા હતા. તે દરમિયાન કાર નંબર GJ09-BJ 4565ના ચાલકે કારને રોંગ સાઈડમાં સામેની બાજુમાં લાવી હરિસિંહ કેશરીસિંહને ટક્કર મારતાં શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા 108 મારફતે પહેલા હિંમતનગર અને વધુ સારવાર અર્થે ગાંધીનગર ખસેડાયા હતા. કાર ચાલક અકસ્માત સર્જીને પોતાની કાર મૂકીને નાસી ગયો હતો. પ્રાંતિજ પોલીસે કારચાલક સામે આઇપીસી કલમ ૨૯૭,૩૩૭,૩૩૮ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
પ્રાંતિજના તાજપુરમાં ટ્રક-કાર ટકરાયાં, કારચાલકનો બચાવ
તાજપુરકૂઇ:
પ્રાંતિજના બંસરી પાર્ટી પ્લોટ પાસે કાર નંબર GJ 09 BE 5100 અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહી હતી. તે દરમ્યાન પાછળ થી આવેલ ટ્રકના ચાલકે ગફલતભરી રીતે હંકારતા કાર ટ્રક સાથે ધડાકેભેર અથડાઈ હતી. જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો .તો કાર ચાલકનું નામ શાહ આશિષ કુમાર પરેશભાઈ રહે હિંમતનગર જાણવા મળ્યું હતું. હાઇવે પર અકસ્માત સર્જાતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. કારને નુકસાન થયું હતું