Mehali Tailor, Surat: સરકાર અને વિશ્વવ્યાપી અનેક સંસ્થાઓ જંગલોના કાપને રોકવા અને વૃક્ષારોપણ ના ફાયદા ની ગણતરી માટે પગલાં લઈ રહી છે.શહેરોમાં પણ પાલિકા દ્વારા ગ્રીન સીટી બનાવવા માટે ઠેર ઠેર વૃક્ષ વાવવામાં આવે છે.પરંતુ શું તમને ખબર છે કે પાલિકા દ્વારા વાવવામાં આવતું વૃક્ષએ પર્યાવરણને ફાયદાકારક નહિ પરંતુ હાનિકારક છે. પાલિકા દ્વારા રોપવામાં આવતા ઝાડ જોવા માતો ખુબજ સુંદર અને ગાર્ડનની શોભા વધારે છે. આ વૃક્ષનું નામ કોનોકાર્પસ છે. આ વૃક્ષ આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખુબજ નુકસાનકારક છે.આ કોનોકાર્પસ મૂળ ભારતનું વૃક્ષ નથી પણ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.આ વૃક્ષ દરિયા કિનારાના વિસ્તારો માટે વધુ અનુકૂળ છે.
શહેરોમાં આ ઝાડ વાવીને લોકો મુસીબત નોતરી રહ્યાં છે
આજે શહેરોની શોભા વધારવા માટે આ ઝાડ વાવવામાં આવી રહયા છે. પણ શહેરોમાં આ ઝાડ વાવીને લોકો મુસીબત નોતરી રહયા છે.આ વૃક્ષોની સૌથી નુકસાનકારક ખાસિયત એ છે કે, બે ફૂટ ઊંચાઇના સામાન્ય ભારતીય છોડવા રોજનું એકથી અઢી લિટર પાણી ચૂસે છે. જ્યારે કોનોકોર્પસ બે ફૂટનું હોય ત્યારે 4 થી 5 લિટર પાણીની જરૂર પડતી હોય છે. એટલે કે જ્યારે સતત આ છોડવાઓને કાપવામાં આવે ત્યારે તેને વધુને વધુ પાણીની જરૂર પડતી હોય છે. એક અંદાજ મુજબ આ વૃક્ષો રોજનું 1 લાખ લિટર પાણી જમીનમાંથી ચૂસી જતા હોય છે.
તમારા શહેરમાંથી (સુરત)
રાક્ષસી વૃક્ષ કે ડેવિલ ટ્રી તરીકે હવે ઓળખાવા લાગ્યું છે
શિયાળાની ઋતુમાં ફૂલો, પરાગ રજકણો બહાર આવે છે, જે આખા વિસ્તારમાં ફેલાય છે. ત્યારબાદ આ પરાગ રજકણ શરદી, ખાંસી, અસ્થમાનું કારણ બને છે. કોઈ પણ જાતના વૃક્ષની પરાગ રજ અસ્થમા–એલર્જીનું કારણ બને છે. અસ્થમા–એલર્જીના મોટાભાગના દર્દીઓ વસંત ઋતુમાં વધારે પીડાય છે.બગીચામાં એક કે બે છોડ હોય તો તેમાંથી કોઈ નુકસાન થતું નથી. સંખ્યા ખૂબ વધારે હોય તો તે બગીચાને અથવા તેની આસપાસના લોકોને નુકસાન પહોંચાડે છે. આનાથી અસ્થમા જ નહીં, શરદી–ખાંસી તેમજ એલર્જીનું જોખમ પણ વધે છે. ગામડાઓમાં એવી માન્યતા પણ છે કે જો સગર્ભા સ્ત્રી છોડની નીચે બેસે તો તેનું કસુવાવડ થાય છે. આથી તેને રાક્ષસી વૃક્ષ કે ડેવિલ ટ્રી તરીકે હવે ઓળખાવા લાગ્યું છે.
આ વૃક્ષ જોવામાં ઘણા સુંદર લાગે છે, તેને કોઈ પ્રાણીઓ ખાતા નથી. ઓછા પાણીની જરૂર પડે છે. ખર્ચાળ નથી. ઝડપથી થાય છે. લીલા હરિયાળા કાયમ રહે છે.જેથી પાલિકા દ્વારા આ વૃક્ષોને ઠેર ઠેર રોપી દેવામાં આવ્યા હતા. હાલ તો પાલિકા દ્વારા આ વૃક્ષોનું રોપાં બંધ કરવામાં આવ્યું છે. પર્નાતું જે વૃક્ષો છે તેને હટાવવાની કામગીરી પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.સોસાયટીઓમાં બિલ્ડરો દ્વારા અને કંપનીઓ દ્વારા વૃક્ષ રોપવાના કાર્ય કરવામાં આવે છે ત્યારે આ વૃક્ષો રોપી કામગીરી બતાવવામાં આવે છે. જેને લઇ પર્યાવણને ઘણું નુકશાન થઇ રહ્યું છે. સુરતના અઠવા,પાર્લેપોઈન્ટ,પીપલોદ, હજીરાથી લઇ દરેક વિસ્તારમાં તેનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પર્યાવરણ અને લોકોનું સ્વાસ્થ્ય બંને માટે હાનીકરણક છે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Environment, Local 18, સુરત