અમરેલી27 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ શહેરમાં અને તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ કાર્યરત છે. હિન્દૂ સંગઠનો વધુ સક્રિય થયા છે ત્યારે શહેરમાં અનેક ધાર્મિક કાર્યો કરવામા આવી રહ્યા છે. ત્યારે આજે કાર્યક્રમો અને વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળના કાર્યકર્તાઓને અહીં કોઈપણ કાર્યક્રમ હોય તો મીટીંગ તેમજ અન્ય આયોજન માટે કાર્યાલય બનશે. ત્યારે જાફરાબાદના નવા બસ સ્ટેશનની સામે ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે ખાત મૂર્ત કર્યું હતુ. અહીં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ સરમણ બારૈયા તેમજ વેપારી આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ખાત મુહૂર્તમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ સાખટ ,વિરમ સિંહજાડેજા, વિનોદભાઈ પંડ્યા ,સંજયભાઈ, શૈલેષભાઈ એડવોકેટ. મનોજભાઈ ચુડાસમા વિકી ભાઈ સોલંકી , વિનુભાઇ સોલંકી, કમલેશભાઈ બારૈયા, વેપારી આગેવાન હર્ષદભાઈ મહેતા જયેશભાઈ ઠાકર ,નારણભાઈ બાંભણિયા બિપીનભાઈ , વિનોદ જાદવ, વલ્લભ બારૈયા તેમજ ગ્રામ્ય ટીમ, વઢેરા, રોહિશા,બાબરકોટ, વારાહ સ્વરૂપ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.