https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png
વલસાડ20 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 41 સામે 95 હજાર ચૂક્વ્યા છતાં ધમકી,2 વિરૂધ્ધ ફરિયાદ
વલસાડના અતુલમાં ફર્સ્ટ ગેટ પાસે હનુમાનમંદિરની બાજૂમાં રહેતાં વિક્રમ મગનભાઇ વરાડિયાએ 15 મે 2015ના રોજ તહોમતદાર પ્રકાશ મોદી પાસેથી 5 ટકા લેખે રૂ.26 હજાર વ્યાજે લીધાં હતા.જેની સામે પ્રકાશ મોદીએ તેની પાસેથી એસબીઆઇ બેંકનો કોરો ચેક વિક્રમની સહિ કરાવી વ્યાજે પૈસા આપ્યા હતા. જેના દર મહિને વ્યાજના 1300 લેતો હતો. આ નાણાં 2020 દરમિયાન વિક્રમ વરાડિયાએ કુલ 70 હજાર ચૂકવી દીધાં હતા.
તેમ છતાં 26 હજારના વ્યાજ સહિતના 1.30 લાખ બાકી છે તેવું જણાવી આ રકમ ન ચૂકવે તો કોરો ચેક બેંકમાં જમા કરાવી ચેક રિટર્ન કરાવવા અ્ને કોર્ટ કેસ કરાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. વિક્રમ વરાડિયાએ બીજા તહોમતદાર જિજ્ઞેશ પટેલ પાસે પણ 15 હજાર વ્યાજે લીધા હતા અને તેના અવેજમાં 25 હજાર ચૂકવવા છતાં વ્યાજ સહિત વધુ રૂ.21500ની માગણી કરતા આ બંન્નેમામલે વિક્રમ વરાડિયાને વ્યાજખોરે ત્રાસ આપતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સારવાર માટે રૂ.15 હજાર 10 ટકા વ્યાજે આપ્યા
અતુલના રહીશ વિક્રમની પત્ની પડી જતાં તેણીના પગમાં ફ્રેકચર થયું હતું. જેની સારવાર માટે વિક્રમે વ્યાજે પૈસા આપતાં પારનેરા લીમડા ચોકના જિજ્ઞેશ પટેલ પાસેથી 12 ઓગષ્ટ 2020 બાદથી 10 ટકાના વ્યાજે 15 હજાર માગ્યા હતા,જેની સામે જિજ્ઞેેશે બેંકનું એટીએમ, બાઇકની આરસીબુક લઇ વિક્રમને દર મહિને 1500ના વ્યાજે પૈસા આપ્યા હતા. જે સામે વિક્રમ વરાડિયાએ 25 હજાર ચૂકવી દીધા હતા. છતાં 15 હજારના વ્યાજ સામે વધુ 21500 બાકી હોવાનું જણાવી પૈસા ન આપે તો બાઇક લેવાની ફોન પર ધમકી આપી હતી.