નવસારી32 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં માર્ચ-2023 ધોરણ 10 માધ્યમિક અને ધોરણ-12 ઉચ્ચતર માધ્યમિક બોર્ડની (સમાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા, તનાવ અને મુંઝવણના અનુભવે તેમજ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ તેમજ હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમાચિન્હરૂપે બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી એક મહિના પૂર્વે વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારી નવસારીની કચેરી દ્વારા “પરીક્ષા સાથી” ટીમ/હેલ્પલાઈનની યાદી જિલ્લા ક્લેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે જાહેર કરવામાં આવી હતી જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીને 12થી વધુ અને તેમની ટીમને 130 થી વધુ કોલ આવ્યા હતા.વિદ્યાર્થીઓ ગણિત,વિજ્ઞાન અને ફિઝિક્સ વિષયમાં મુંઝવતા પ્રશ્નો શિક્ષકો અને પરીક્ષા સાથી ટીમને મળ્યા છે.

‘પરીક્ષાસાથી’ અભિયાનમાં ધોરણ 10 અને 12 ના અલગ અલગ વિષયોના નિષ્ણાંતો અને મનોચિકિત્સક ટીમ આગામી 30મી માર્ચ સુધી કાર્યરત રહી ટેલીફોનિક માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. ધોરણ 10,12ના વિવિધ વિષયોના 71 નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે. દરેક વિષયોના નિષ્ણાંતોની ફોન નંબરની યાદી શાળાના નોટીસબોર્ડ, જિલ્લા શિક્ષણવિભાગની વેબ સાઈટ www.deonavsari તથા ટવીટર એકાઉન્ટ@DEO_Navsari પર મુકવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે 02637-232572 અથવા navsarideo@gmail.com પર સંપર્ક કરી શકાય છે.
