Saturday, March 25, 2023

ઉનાના ડમાસાના શહીદ લાલજી બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સમારકનું નિમાર્ણ તેમજ શહીદ માર્ગનું અનાવરણ કરાયુ | In memory of martyr Lalji Bambhania of Unana Damasa, the construction of the Martyr's Memorial and the unveiling of the Martyr's Marg | Times Of Ahmedabad

ઉના30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉનાના ડમાશા ગામે રહેતા અને અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા આર્મી જવાન લાલજી કે બાંભણિયાનું તા. 22 નવેમ્બર 2022નાં ફરજ પર વિર જવાન શહીદ થઇ ગયા હતા. આ આર્મી જવાનનું પોતાના ગામ ડમાશાથી નજીક ઉના-વેરાવળ નેશનલ હાઇવે રોડ પર આવેલા કેસરિયા ગામ પાસે ઓવરબ્રિજ નીચે શહીદ લાલજી બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સમારકનું નિમાર્ણ તેમજ શહીદ માર્ગ નામ આપી અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ શહીદ નામે માર્ગ અનાવરણ કાર્યક્રમમાં આર્મી ગ્રુપ તેમજ શહીદ લાલજી બાંભણીયાના પરિવારજનો તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહી અને શહીદ લાલજી બાંભણીયાને ફુલહાર તેમજ વિધીવત શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ તકે આર્મી ઓફીસર જગદીશ બાંભણીયાએ જણાવેલું કે, લાલજી બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સ્મારકનું નિમાર્ણ કર્યું છે. જે કોઇ લોકો આર્મી જવાનોનું હંમેશા સન્માન કરતા રહે અને આ સ્મરણાર્થે કેસરીયાથી ડમાશા ગામ સુધીના રોડને પણ શહીદ લાલજી બાંભણીયા માર્ગ નામ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.