રાજકોટ44 મિનિટ પહેલા
રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન વલ્લભ કથીરિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
રાજકોટ શહેરમાં રખડતા ઢોર પ્રશ્ને રાજકોટના પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન વલ્લભ કથીરિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે. વલ્લભ કથીરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હત્યા, આત્મહત્યા અંગે કાયદો હોવા છતાં શું ગુનાઓ બંધ થાય છે? એ જ રીતે રખડતાં ઢોરના પ્રશ્ને કાયદો છે તો સીધું બંધ કેમ થાય? રખડતાં ઢોર મુદ્દે કાયદો છે, ધીમે ધીમે તેમાં સુધારો થશે. પોલીસ અને કોર્પોરેશન પ્રયાસો કરે છે. આમાં ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે રખડતા ઢોરના પ્રશ્નનો પણ ઉકેલ આવશે.
મહાનગરોમાં મેં આ પ્રશ્નને લઈ બેઠકો કરી હતી
વલ્લભ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રખડતા ઢોરમાં લીગલ કાર્યવાહી કરવી, માલધારીઓને સમજાવવા અને માલધારીઓને વૈકલ્પિક સુવિધા આપવી સહિતના પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોના દરમિયાન મેં આવા 272થી વધુ સેમિનાર અને વેબિનાર કર્યા છે. હું ગુજરાત ગૌ સેવા આયોગમાં હતો ત્યારે ગુજરાતના મહાનગરોમાં કોર્પોરેશન, માલધારીઓ, યુવાનો, પોલીસ સાથે બેઠક કરીને આ પ્રશ્નનો હલ કેવી રીતે લાવવો એની ચર્ચા કરતો હતો.
બિનવારસુ ઢોરને એનિમલ હોસ્ટેલમાં રાખો
કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રમંત્રી દ્વારા પણ એડવાઇઝરી બહાર પાડી હતી. આજે પ્રેસ કોન્ફરન્સ રખડતા ઢોરના પ્રશ્ન માટે નથી. ગેરકાયદેસર પશુઓ રખડતા હોય તેને પકડીને ડબ્બે પૂરી દેવા જોઈએ. બિનવારસુ ઢોર હોય તેને એનિમલ હોસ્ટેલમાં રાખવા જોઈએ. સોસાયટીઓમાં એવી એક જગ્યા ઉભી કરવી જોઈએ કે, લોકો રોટલી ખવડાવવા માગતા હોય તે ત્યાં જ જઈને ખવડાવી શકે. બધા પોતાની રીતે પ્રયાસો કરતા જ હોય છે.
સરકારની કામગીરી અર્થવિહીન છે
જ્યારે આ જ મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, રખડતા ઢોરનો પ્રશ્ન હજુ હલ થયો નથી. લોકોને આ સમસ્યા સતાવી રહી છે તે વાસ્તવિકતા છે. સરકારની કામગીરી અર્થવિહીન છે, પશુઓને પકડવામાં આવે છે, પછી છોડી દેવામાં આવે છે. કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. જો નક્કર પગલાં લેવામાં આવે તો રસ્તે રખડતા ઢોરની સમસ્યા હલ થઇ શકે તેમ છે.
20 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીમાં 617 પશુઓ પકડ્યા
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ 20 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ 617 પશુઓ પકડવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની એએનસીડી શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવી રહ્યા છે.
14 દિવસમાં આટલા વિસ્તારોમાંથી પશુઓ પકડાયા
શહેરના કાશીવિશ્વનાથ એપાર્ટમેન્ટ, રૈયાધાર મેઈન રોડ, હરિનગર, ગોપાલચોક, બંસીધરપાર્ક, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ઘનશ્યામનગર તથા આજુબાજુમાંથી 48 પશુઓ પકડવામાં આવ્યા છે. શાસ્ત્રીનગર, ઈન્દીરાનગર, ચંદનપાર્ક, ઘંટેશ્વર, મહાલક્ષ્મી સોસાયટી, સમૃદ્ધિ સોસાયટી, ધર્મરાજપાર્ક, ધરમનગર મેઈન રોડ, મારવાડીવાસ, સોમનાથ રેસિડેન્સી વગેરે વિસ્તારમાંથી 49 પશુઓ પકડવામાં આવ્યા છે. માધાપર ગામ, યોગરાજનગર, નાગેશ્વર, બજરંગવાડી, ગાંધીગ્રામ, છોટુનગર મેઈન રોડ, મોચીનગર, અક્ષરનગર મેઈન રોડ, ઘંટેશ્વર 25 વારીયા, માધાપર ગામ વગેરે વિસ્તારમાંથી 46 પશુઓ પકડવામાં આવ્યા હતા.
મોરબી રોડ પરથી 27 પશુ પકડાયા
80 ફૂટ રિંગ રોડ, સત્યમપાર્ક, સંતકબીર રોડ, જૂનો મોરબી રોડ, બાલક હનુમાન પેડક રોડ, મયુરનગર મેઈન રોડ, રાજારામ સોસાયટી, શક્તિ સોસાયટી, બેડીપરા રોડ, રામનાથપરા મેઈન રોડ, ભાવનગર મેઈન રોડ વગેરે વિસ્તારોમાંથી 27 પશુઓ પકડવામાં આવ્યા છે. કોઠારીયા ગામ, સ્વાતીપાર્ક, ગોકુલપાર્ક, બ્રહ્માણી હોલ, શ્રી રામપાર્ક, રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, કોઠારિયા એનિમલ હોસ્ટેલ, વગેરે વિસ્તારોમાંથી 29 પશુઓ પકડવામાં આવ્યા હતા.
આજીડેમ વિસ્તારમાંથી 30 પશુ પકડાયા
આજીડેમ પોલીસ સ્ટેશન સામે, ગુલાબનગર, સીતારામ સોસાયટી, રણુજા મંદિર સામે, રાજેન્દ્રપ્રસાદ સોસાયટી, શીતળાધાર વગેરે વિસ્તારમાંથી 30 પશુઓ પકડવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડ, શિવનગર, જૂના જકાતનાકા, વેલનાથપરા, RTO પાછળ, શ્રીરામનગર, નરસિંહનગર, શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી, ઠાકર ચોક, જયજવાન જયકીશાન, પારેવડી ચોક, લક્ષ્મી સોસાયટી વગેરે વિસ્તારમાંથી 25 પશુઓ પકડવામાં આવ્યા હતા.
બાપુનગર વિસ્તારમાંછી 8 પશુ પકડાયા
છપ્પનીયા ક્વાર્ટર, ન્યુ શક્તિ સોસાયટી, ભગવતીપરા, પ્રદ્યુમનપાર્ક, રણછોડનગર, ગીરીરાજ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી પ્લોટ, રઘુવીરપરા, મોરબી રોડ વગેરે વિસ્તારમાંથી 29 પશુઓ પકડવામાં આવ્યા છે. વિવેકાનંદનગર, વિનોદનગર, નીલકંઠપાર્ક, ગાયત્રીનગર, બાપુનગર, ગુંદાવાડી, સહકાર મેઈન રોડ વગેરે વિસ્તારમાંથી 8 પશુ પકડવામાં આવ્યા છે. ભગવતીપરા મેઈન રોડ, પોપટપરા મેઈન રોડ, રેલનગર મેઈન રોડ વગેરે વિસ્તારમાંથી 9 પશુ પકડવામાં આવ્યા હતા.
આ વિસ્તારોમાંથી પણ પશુઓ પકડાયા
કનૈયા ચોક, ભારતીનગર, ગૌતમનગર, લાખનો બંગલો મેઈન રોડ, ઉગતા પોરની મેલડી મા, મોચીનગર એરપોર્ટની દીવાલ પાસે વગેરે વિસ્તારમાંથી 15 પશુ પકડવામાં આવ્યા છે. લક્ષ્મીવાડી, નવદુર્ગા સોસાયટી, સુવર્ણા હનુમાન મંદિર પાસે, નંદા હોલ, નળોદાનગર, બાબરિયા કોલોની વગેરે વિસ્તારમાંથી 22 પશુ પકડવામાં આવ્યા છે. હંસરાજનગર, ઘનશ્યામ રેસિડેન્સી, ખોડિયારનગર, આંબેડકર મેઈન રોડ, મોટા મવા મેઈન રોડ, તાલુકા પોલીસ સ્ટેશન સામે, કણકોટ પાટીયા વગેરે વિસ્તારોમાંથી 43 પશુ પકડવામાં આવ્યા હતા.