Friday, March 10, 2023

સુરતમાં એમ્બ્રોઇડરીના સુપરવાઇઝરનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો, ઝઘડા બાદ ત્રીજા માળેથી ફેંકી દેવાયો, ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યા | Murdered body of embroidery supervisor found in Surat, thrown from third floor after fight, injury marks on neck | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

ઉધનામાં લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ખાતે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

સુરતના ઉધના વિસ્તારમાંથી એમ્બ્રોઈડરીના કારખાનામાં સુપરવાઇઝિંગ કરતા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકની તીક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી ત્રીજા માળેથી નીચે ફેંકી હત્યા કરી દેવામાં આવી હતી.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હત્યા કરાયેલા યુવકની લાશ મળી
સુરત ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ગેટ નંબર 2 પાસેથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વહેલી સવારે યુવકના મૃતદેહ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

યુવકની શિક્ષણ હથિયાર વડે હત્યા કરાય
ઘટના સ્થળે ઉધના પોલીસ પહોંચી તપાસ કરી હતી.ત્યારે ઘટના અંગે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, મરનાર યુવક યુપીના કનોજ ખાતે નો 34 વર્ષીય મહેન્દ્ર શર્મા હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં C/34 નંબરના એમ્બ્રોઈડરી ખાતામાં છેલ્લા ચાર મહિનાથી સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. ત્યાં જ ખાતાની ઉપર બીજા માળે રહેતો હતો. આ યુવકના મૃતદેહને લઈ જાણવા મળ્યું છે કે, યુવકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડવામાં આવી છે. હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે તેનું મોત થયું છે.

ઝઘડામાં હત્યા કરાઈ હોવાનું અનુમાન
એસીપી ચિરાગ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મરનાર યુવક મહેન્દ્ર શર્મા ખાતાની ઉપર બનાવેલ રૂમમાં રહેતો હતો. તેની સાથે આજુબાજુમાં પણ ઘણા બધા લોકો રહે છે. તેમાં જ કોઈ સાથે ઝઘડો થયેલો છે અને ઝઘડા ના કારણે મહેન્દ્ર પર હુમલો થયો છે. જેના કારણે તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.

ત્રીજા માળેથી નીચે ફેંકી દેવાય
મરનાર યુવક જ્યાં રહેતો હતો. ત્યાં ઘરની પાછળ ખાડી પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇ તેને હત્યા કરી ત્રીજા માળથી નીચે ફેંકી દેવા હોય હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, મરણ જનાર મહેન્દ્ર શર્મા પર હુમલો થયો હતો. હુમલાબાદ તે ત્રીજા માળેથી પડી ગયા છે કે, તેને ફેંકી દીધા છે. તે એક તપાસનો વિષય છે. તપાસ બાદ માલુમ પડશે. હાલ તો પોલીસે યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે. અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: