Friday, March 10, 2023

મોહનથાળ મામલે કોઈપણ નેતા કે મંત્રી સ્પષ્ટ જવાબ ન આપતા રાજીનામું આપ્યું; કહ્યું- પાર્ટીની પ્રણાલિકાથી હું ખુબ જ દુઃખી છું | No leader or minister resigned without giving a clear answer on the Mohanthal issue; Said - I am very sad with the system of the party | Times Of Ahmedabad

અંબાજી5 કલાક પહેલા

અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાયાને આઠ દિવસ થયા હોવા છતાં આ વિવાદનો કોઈ અંત આવ્યો નથી. ત્યારે વિવાદ હજી વધુ વધવાની તૈયારીઓમાં છે. વિવિધ સંગઠનો અને સંસ્થાનો સાથે પોતાનું મંતવ્ય અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડતું આ નિર્ણય પર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે દેશ દુનિયાથી આવતા ભક્તો પણ આ નિર્ણયનો કડક વિરોધ કરી રહ્યા છે. આજે અંબાજી મંદિરમાં શુદ્ધ ઘીનો મોહનથાળ બંધ કરાતા અંબાજી ભાજપના ઉપપ્રમુખ કે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું.

અંબાજી ભાજપના ઉપપ્રમુખ એ જણાવ્યું હતું કે, હું અંબાજીમાં રહું છું અને જ્યારથી સમજણ આવી ત્યારથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલો હતો. છેલ્લા ટર્મમાં હું અંબાજી ભાજપના ઉપપ્રમુખની જવાબદારી નિભાવતો હતો. છેલ્લા આઠ દિવસથી માતાજીના રાજભોગ અને મોહનથાળ માટે અમે લડત ચલાવી રહ્યાં છીએ.

ત્યારે મને એમ હતું કે, અધિકારી કે પદાધિકારીની કોઈ સૂચના આવશે કે એમનો કોઈ નિર્ણય આવશે એની રાહ જોઈ, પરંતુ માતાજીની શ્રદ્ધાની સામે એ લોકો એ ચેડા કર્યા છે. માતાજીના દર્શન કરવા એ બધા આવે છે ત્યારે અમે બધા તેમની સાથે દોડીએ છીએ. પણ આજ દિવસ સુધી કોઈ પદાધિકારીએ કે કોઈ મંત્રીએ અમારો સંપર્ક કર્યો નથી.

તો ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકાથી હું ખુબજ દુઃખી છું. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય અને સક્રિય સહિત અંબાજી મંડળના ઉપપ્રમુખ પદેથી હું રાજીનામું આપું છું. સાથે સાથે હું વિનંતી કરું છું કે, ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને જોઈ ફરીથી માતાજીના મંદિરે મોહનથાળ શરૂ કરાય.

અન્ય સમાચારો પણ છે…