Saturday, March 11, 2023

સી. આર. પાટીલે કોને કાચા કાનના કહ્યા? પ્રાથમિક શાળાઓનો સમય બદલવાની કેમ માગ થઈ? લગ્નના વરઘોડામાં કોમી ભડકો | What did the educational union demand in a letter to the education department?, Who did CR Patil hit? | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • What Did The Educational Union Demand In A Letter To The Education Department?, Who Did CR Patil Hit?

એક કલાક પહેલા

શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ વિભાગને લખ્યો પત્ર

ગાંધીનગર પ્રાથમિક શૌક્ષણિક મહાસંઘ ગુજરાતે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. પ્રાથમિક શૈક્ષણિક સંઘે પત્રમાં રજૂઆત કરી કે રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. વધતી જતી ગરમીને કારણે પ્રાથમિક શાળાનો સમય સવારે કરવાની માંગ કરી છે. શૈક્ષણિક મહાસંઘે પ્રાથમિક શાળાનો સમય સવારે 11 વાગ્યે કરવાની માંગ કરી છે. ઉપરાંત કેટલાક જિલ્લામાં પાણીના સ્તર નીચા જવાથી ઉનાળામાં પીવાના પાણીની ભારે સમસ્યા જોવા મળે છે જેનો નિકાલ કરવા રજૂઆત કરી હતી.

સી.આર.પાટીલની હળવી ટકોર

ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે આજે ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી લડી શકે છે. તેવો ઈશારો કરી કહ્યું હતું કે, ‘6 વખત સાંસદ બન્યા છે પણ સાતમી વખત સાંસદ બનવું હોય તો કાર્યાલય જોઈશે’ તેવી ટકોર કરી હતી. તેમજ જાહેરમંચ પરથી હસતા હસતા મસુખભાઈને કાચા કાનના પણ કહ્યા હતા.

લગ્નના વરઘોડામાં કોમી ભડકો

વડોદરા નજીક સમીયાલા ગામમાં યુવાનના લગ્ન નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં જોડાયેલા કેટલાક યુવાનો ધાર્મિક સ્થાન પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. લઘુમતી કોમના લોકો દ્વારા ફટાકડા ન ફોડવા માટે જણાવતા કોમી ભડકો થયો હતો. બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા 3 વાહનોને આગચંપી કરવામાં આવી હતી અને 11 વાહનોની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં ધાર્મિક સ્થાન સહિત મકાનોના કાચ તૂટ્યા હતા. આ બનાવમાં 10 લોકોને ઇજાઓ પહોંચી હતી. વડોદરા તાલુકા પોલીસે બંને જૂથના 15 તોફાનીઓની ધરપકડ કરીને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

દ્વારકામાં 5 મહિના પછી ફરી મેગા ડિમોલેશન

થોડા સમયના બ્રેક બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વધુ એક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મસ્થળ હર્ષદ ગાંધવી ખાતે આજરોજ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલેશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. થોડા સમય પૂર્વે આ વિસ્તારના દબાણકારોને 18 જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇશ્યૂ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જૂદા-જૂદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખીએ છે કે, સરકારી તંત્ર દ્વારા અનધિકૃત દબાણકર્તાઓને ફટકારવામાં આવેલી નોટિસો સામે તેઓ કોર્ટમાં ગયા હતા અને તેઓની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. હર્ષદ ગાંધવી ધર્મસ્થળ ખાતે વ્યાપક દબાણ ઝુંબેશ પણ બેટ દ્વારકાની જેમ લાંબો સમય ચાલે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

તલવાર વડે કેક કટિંગ ભારે પડ્યું

નવસારીમાં જાહેરમાં બર્થડે ઉજવણી તલવારથી કેક કટિંગ કરવાનું બે યુવકોને ભારે પડી ગયું છે. નવસારીના સિંધી કેમ્પમાં રહેતા પ્રવીણ રઘુભાઈ ભરવાડ નામના યુવાનનો બર્થડે હતો. આ વિસ્તારમાં જ રહેતા તેમના મિત્રો દ્વારા રાત્રિના સમયે જાહેર રસ્તા પર બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુવકે એક સાથે છ કેક તલવાર વડે કાપી હતી. જાહેરમાં તલવારથી કેક કટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા એસઓજીએ પ્રવીણ ભરવાડ અને તેમને કેક લઈ આપનાર સંકેત મોરામની ધરપકડ કરી છે. પોલીસે બંને યુવકો પાસેથી કેક કટિંગ માટે વપરાયેલી તલવાર પણ કબજે કરી હતી. કલેકટર દ્વારા જાહેરમાં હથિયાર લઈને ફરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ બનાવ ઉપરથી અન્ય યુવાનો પણ બોધપાઠ લઈ જાહેરમાં હથિયાર વડે કેક ન કાપે તે હિતાવહ છે.

અંગદાનથી ઉજાસ પથરાયો

ટેક્સટાઈલ અને ડાયમંડ જ નહીં સુરત હવે અંગદાનના શહેર તરિકે જાણીતું થઈ રહ્યું છે. ત્યારે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી 44માં હૃદયનું દાન કરવામાં આવ્યું છે. જ્યારે ફેફસાંના દાનની 14મી ઘટના સામે આવી છે. સુરતના લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ વિનોદભાઈ ધીરૂભાઈ વેકરીયા ઉ.વ 57ના પરિવારે હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોહલાપુર મહારાષ્ટ્રના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની જશલોક હોસ્પીટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કાંદીવલી, મુંબઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ત્યારે મહત્વનું છે કે હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. તો આ પુણ્યકર્મમાં હંમેશા સહકારરૂપ બનનાર સુરત પોલીસની કામગિરી પણ સરાહનિય છે.

સનાથલ બ્રિજ પરથી પસાર થાય છે 70 હજાર વાહનો

ગઈકાલે શહેરીજનોને વધુ એક ભેટ મળી છે. અમદાવાદ શહેરની બહાર અંદાજે 97 કરોડના ખર્ચે સનથલ સર્કલ ઓવરબ્રિજ તૈયાર થઈ ચુક્યો છે. આ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે વર્ચુઅલી જોડાયા હતા. આ બ્રિજ ખુલ્લો મુકાતા સૌરાષ્ટ્રમાં આવતા-જતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને સમય પણ બચશે. આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જવામાં ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDCના રૂટ પર પણ ટ્રાફિકથી મુક્તિ મળશે. આ બ્રિજના કારણે રિંગ રોડ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: