અમદાવાદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના અસારવાથી જયપુરની ટ્રેન શરૂ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12982/12981 અસારવા-જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનની ગતિ 24 એપ્રિલથી વધારવામાં આવી રહી છે. જેના કારણે મુસાફરોનો 55 મિનિટથી 85 મિનિટનો સમય બચશે. આ ટ્રેનની ગતિ વધવાથી અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશ્યલ ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવશે.
આ ટ્રેનના ટાઈમમાં ફેરફાર આવશે
ટ્રેન નંબર-12982 અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 24 એપ્રિલથી અસારવાથી સાંજે 6.45ને બદલે 7.50 કલાકે ઊપડશે અને બીજા દિવસે તેના પૂર્વ નિર્ધારિત સમયે સવારે 07.35 કલાકે જયપુર પહોંચશે. ટ્રેન નંબર-12981 જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ હવે જયપુરથી સાંજે 7.35ના બદલે 8:45 કલાકે ઊપડશે તથા બીજા દિવસે સવારે 08:50 કલાકના સ્થાને 08:35 કલાકે અસારવા પહોંચશે.
10 મિનિટ વહેલી ઊપડશે હિંમતનગર-અસારવા ડેમૂ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર-09402 હિંમતનગર-અસારવા ડેમૂ સ્પેશિયલ તારીખ 25 એપ્રિલથી હિંમતનગરથી સવારે 06.30 કલાકને બદલે 10 મિનિટ પહેલા 06:20 કલાકે ઉપડીને 06:24 કલાકે હાપા રોડ, 06:32 કલાકે સોનાસણ, 06:42 કલાકે પ્રાંતિજ, 06:50 કલાકે ખારી અમરાપુર, 06:56 કલાકે તલોદ, 07:04 કલાકે ખેરોલ, 07:11 કલાકે રખિયાલ, 07:17 કલાકે જાલીયા મઠ, 07:25 કલાકે નાંદોલ દહેગામ, 07:33 કલાકે ડભોડા, 07:40 કલાકે મેદરા, 07:46 નરોડા, 07:50 કલાકે સરદારગ્રામ, 07:52 કલાકે સૈજપુર તથા 08:15 કલાકે અસારવા પહોંચશે.