Sunday, April 23, 2023

સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે એકપણ કેસ ન નોંધાયો, એક્ટિવ કેસની સંખ્યા 21 | Surendranagar reported no cases for the second day in a row, active case count 21 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એકપણ કોરોના પોઝિટિવ કેસ ના નોંધાતા લોકોમાં રાહત ફેલાઇ હતી. જ્યારે આ કોરોના પોઝિટિવના 4 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 98માંથી 77 દર્દીઓ સાજા થતા 21 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.22 એપ્રિલને રવિવાર હોવાથી કોરોનાના એકપણ ટેસ્ટ પણ કરાયા નહોતા.

જેમાં આજે એકપણ કોરોના પોઝિટિવ કેસ ના નોંધાતા લોકોમાં રાહત ફેલાઇ હતી. અને આરોગ્ય તંત્રએ પણ રાહત અનુભવી હતી. જ્યારે આજે વધુ ચાર દર્દીઓને રજા અપાતા જિલ્લામાં કુલ 98 કેસોની સામે 77 લોકો કોરોનામુક્ત બનતા 21 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-4, લખતર 3, લીંબડી-2, મૂળી-7, સાયલા-2 અને વઢવાણ પંથકમાં 3 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોંધાવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: