વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
વલસાડ જિલ્લામાં આવેલ RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 645 RTPCR ટેસ્ટ પૈકી વલસાડ જિલ્લામાં વધુ 7 સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જિલ્લાના વલસાડ તાલુકામાં 3 અને કપરાડા તાલુકામાં 4 સંક્રમિત દર્દીઓ જાહેર થતા જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જિલ્લામાં 7 દિવસ પહેલા સંક્રમિત જાહેર થયેલા 11 કોરોના સંક્રમિત દર્દીઓએ આયુષ મંત્રાલય અને જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ જરૂરી સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા છે.

વલસાડ જિલ્લામાં વધતા જતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર અને નજીકના કોરોના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને ટેસ્ટિંગ કરાવી લેવા સૂચના આપવામાં આવી હતી. જેને લઈને છેલ્લા 24 કલાક દરમ્યાન વલસાડ જિલ્લાના RTPCR ટેસ્ટિંગ સેન્ટરો ઉપર કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા 645 લોકોએ RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. તે વલસાડની સરકારી લેબમાં ટેસ્ટિંગ કરાવતા જિલ્લામાં 7 વધુ સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. તે પૈકી 3 વલસાડ તાલુકાના અને 4 કપરાડા તાલુકામાંથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત જાહેર થયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક હિસ્ટ્રી મેળવી તેમને કોરોના અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 7 દિવસ પહેલા સંક્રમિત જાહેર થયેલા 11 દર્દીઓએ હોમ કોરેન્ટાઇન દરમ્યાન આયુષ મંત્રાલય અને જિલ્લા આરોગ્ય વિભગની સૂચના મુજબ જરૂરી સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે એક અખબાર યાદીમાં જણાવ્યું છે.