- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Lord Swaminarayan Was Decorated With Flowers Like Dollars, Mangoes, Roses Etc. By Saints And Devotees In Vedrod Gurukul.
સુરત8 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફૂલો થી ભાગવાનો અનોખો શણગાર
‘ યથા દેહે તથા દેવે ‘ શાસ્ત્રોક્ત આ વચન અનુસાર સંતો-ભક્તો ભગવાનની સેવા પૂજા કરતા હોય છે. જેવી આપણા શરીરને સીઝન સીઝન પ્રમાણેની જરૂરીયાતો હોય છે અને તે જરૂરિયાતોને સહુ લોકો પોતાની શક્તિ પ્રમાણે પૂરી પાડતા હોય છે.ત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને ફૂલોના શણગાર તેમજ ચંદન આદિથી ટાઢક આપવાની ભક્તો ભાવના કરતા હોય છે.સરતના વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજતા ધર્મનંદન ઘનશ્યામ મહારાજને સંતોએ ફૂલોના શણગાર કર્યા હતા. પુજારી સ્વામી શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સંતોએ ડોલર , મોગરો , ચમેલી , ગુલાબ , ઑર્ચીડ, ઝરબેરા વગેરેના ફૂલોથી ઠાકોરજીના વાઘા – વસ્ત્રો તૈયાર કરેલા હતા.
મોગરાના ફૂલથી સિંહાસનનો શણગાર
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર વિશ્વવંદન સ્વામી,અભિષેક સ્વામી,યોગ સ્વરૂપ સ્વામી,જ્ઞાન સ્વામી સરજુ સ્વામી , પ્રેમ સ્વામી વગેરે સંતો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી પ્રદિપ માલવીયા, મહેશ સોલંકી , ધવલ મોરડીયા , હરેશભાઈ કણકોટિયા ,યુગ, ધ્રુવ ભગત વગેરેએ સવારના નવથી બપોરના એક વાગ્યા સુધી ફૂલો ગૂંથવાની તથા જરબેરાના ફૂલની પાંખડીઓની ડિઝાઇનો કરવામાં વિતાવેલ. ડોલરની ઝીણી ઝીણી કળિઓ પરોવવાની સેવા શ્રી ભક્તિ મહિલા મંડળના બહેનોએ કરેલ. ઝરબેરાના ફૂલોથી અને મોગરાના ફૂલોથી ભગવાનને શણગારવામાં આવેલ. ઠાકોરજીના સિંહાસનને મોગરાના ફૂલોથી સંતોએ શણગારેલ.
સુગંધી પુષ્પનો શણગાર
આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે કે ઉનાળાના ચાર મહિના સુધી ભગવાનને સુગંધીમાન પુષ્પો તેના હાર,બાજુબંધ , કંકણ, ટોપી એ આદિક આભૂષણ તે પુષ્પના ધરાવવા. એ અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉનાળાના સમયે ભગવાનને ફૂલ તથા ચંદનના વસ્ત્રો ધરાવાતા હોય છે.ભગવાનની સન્મુખ નંદ સંતોએ 200 વર્ષ પહેલા બનાવેલા ને ભગવાન સ્વામિનારાયણ સન્મુખ ગાયેલા ફૂલોના શણગારના કીર્તનો તેમજ વંદુના પદોનું ગાન કરી ભગવાનને રાજી કરેલ.