Friday, April 21, 2023

વડોદરામાં આવતીકાલે પરશુરામ જયંતીની શોભાયાત્રાને લઈને 'નો એન્ટ્રી ઝોન' અને તેની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઇ | 'No entry zone' and alternative arrangement announced in Vadodara for Parashuram Jayanti procession tomorrow | Times Of Ahmedabad

વડોદરા4 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

વડોદરા શહેરમાં આવતીકાલે પરશુરામ જયંતીની શોભાયાત્રા સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આવતીકાલે સવારના 8:30 વાગે પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સુર્ય ગરબા ગ્રાઉન્ડથી નીકળી સુલેમાની સર્કલ, આર્યુવેદિક ત્રણ રસ્તા, પાણીગેટ દરવાજા, માંડવી, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પદમાવતી શોપીંગ સેન્ટર, મહાત્મા ગાંધીનગર ગૃહ જ્યુબેલીબાગ સર્કલ પાસે આવેલ પંચમુખી મહાદેવ મંદિર આવી પૂર્ણ થનાર છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાનાર છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચારૂં રીતે ચાલે તે હેતુથી ‘નો એન્ટ્રી’ અંગે જાહેરનામુ સુરક્ષા માટે બહાર પાડવાની જરૂર છે.

વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા
તેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઉમા ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા કિશનવાડી ચાર રસ્તા તેમજ કલાદર્શન ચાર રસ્તા તરફ, મહાવીર હોલથી કિશનવાડી ચાર રસ્તા તેમજ કલાદર્શન ચાર રસ્તા તરફ સ્વામિનારાયણ ત્રણ રસ્તાથી શાસ્ત્રીબાગ તેમજ કલાદર્શન ચાર રસ્તા થઇ, ડી.સી.બી ઓફિસ ત્રણ રસ્તાથી ગેંડીગેટ દરવાજા તેમજ ગાજરાવાડી પાણીની ટાંકી થઇ, અજબડીમીલ ત્રણ રસ્તાથી કિશનવાડી ત્રણ રસ્તા થઇ (સરસીયા તળાવ) થઇ, ગેંડીગેટ દરવાજાથી ચોખંડી (સંત કબીર રોડ થઇ, જે-તે તરફ જઇ શકાશે), ચાંપાનેર દરવાજાથી અડાણીયા પુલ ચાર રસ્તા થઇ, લહેરીપુરા દરવાજાથી ન્યુ લહેરીપુરા રોડ થઇ,(વીર ભગતસિંહ ચોક થઇ) વીર ભગતસિંહ ચોકથી મદનઝાંપા રોડ, માર્કેટ ચાર રસ્તા થઇ, જે તે તરફ, માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન નબીલ્ડીંગ ચાર રસ્તા, કીર્તિસ્તંભ ચાર રસ્તા, દાંડીયા બજાર ચાર રસ્તા થઇ, દાંડીયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ, ફાયરબ્રિગેડ ચાર રસ્તાથી, દાંડીયાબજાર ચાર રસ્તા માર્કેટ ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ, ટાવર ચાર રસ્તાથી, દાંડીયાબજાર ચાર રસ્તા માર્કેટ ચાર રસ્તા, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ, નવાબજાર સર્કલથી નવાબજાર કાલુપુરા રોડ થઇ, કારેલીબાગ પોલીસ સ્ટેશન થઇ, કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી નાગરવાડા, કાસમઆલા, ફતેહપુરા ચાર રસ્તા થઇ, જે-તે તરફ જઇ શકાશે તથા અડાણીયાપુલ ચાર રસ્તાથી ફતેહપુરા ચાર રસ્તા, સરસીયા તળાવ રોડ થઇ જે-તે તરફ જઇ શકાશે.

સવારે 8:30 વાગ્યાથી જાહેરનામાનો અમલ
આ જાહેરનામું તા. 22/04/2023ના રોજ સવારના 8.30 કલાકથી અમલી રહેશે. આ જાહેરનામામાંથી પરશુરામ જયંતિમાં જોડાયેલા વાહનો, બંદોબસ્તમાં રોકાયેલા પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ તથા ઇમરજન્સીમાં જતાં વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…