Sunday, April 23, 2023

સ્માર્ટ સિટી સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત અને પીળા કલરનું પાણી આવતા રોગચાળો ફેલાવવાનો ડર | Smart city Surat fearing outbreak of contaminated and discolored water for the past several days, rulers insist there is no water problem | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Smart City Surat Fearing Outbreak Of Contaminated And Discolored Water For The Past Several Days, Rulers Insist There Is No Water Problem

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
પાડેસરા સહિતના ઝોનમાં દૂષિત પાણીને લઈને લોકોની સમસ્યા વધી - Divya Bhaskar

પાડેસરા સહિતના ઝોનમાં દૂષિત પાણીને લઈને લોકોની સમસ્યા વધી

સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ ઝોનની અંદર ફરિયાદો ઉઠી રહી છે. જેમાં પાણી દૂષિત અને જીવાત વાળો આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ કેટલાક ઝોનની અંદર લાલ કલરનું પાણી આવી રહ્યું છે તો કેટલાક ઝોનમાં પીળા કલરનું પાણી આવી રહ્યું છે જેને લઈને એક પ્રકારે ડરનો માહોલ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.

દૂષિત પાણીને લઈને ફરિયાદ
સુરત કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાં દૂષિત પાણી આવતી હોવાની બુમરાડ છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોસાયટીઓમાં જોવા મળી રહે છે. પરંતુ શાસકો માત્ર પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવાની વાત કરી રહ્યા છે પરંતુ જે રીતે અલગ અલગ સોસાયટીઓની અંદર દૂષિત પાણી આવી રહ્યું છે તે જોતા બીજી કોઈ તકલીફ હોય તેવું જણાઈ રહ્યું છે. એક ઝોનમાં નહીં પરંતુ સુરત શહેરના રાંદેર ઉધના પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની એકસરખી ફરિયાદ જોવા મળી રહી છે.

ઉકાઈ ડેમથી પાણી છોડવા છતાં સ્થિતિ યથાવત
વીયર કમ કૉઝવેમાંથી સુરત શહેરના લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. ઉનાળાના કારણે પાણીનું જળસ્તર નીચે ગયું છે. ઘણી વખત પાણીનું સ્તર નીચે જવાને કારણે પણ શહેરમાં દૂષિત પાણી આવતું હોવાનું સામે આવતું હોય છે, પરંતુ ઉકાઈ ડેમમાંથી પહેલાં 750 ક્યુસેક અને ત્યારબાદ 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છતાં પણ હજી સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. હજી પણ જીવાત વાળો અને કલરીયુક્ત પાણી આવી રહ્યું હોવા ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

રોગચાળો ફેલાવવાની ભીતિ
દૂષિત પાણીને કારણે પ્રાણીજન્ય રોગો થવાની દાસ્યત સિવાય રહી છે. માત્ર એક જૂનમાં નહીં પરંતુ અલગ અલગ ઝોનમાં એકસરખું દૂષિત પાણી આવતું હોવાને કારણે પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. સ્થાનિક લોકોમાં પણ જેને લઈને હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતે જ્યારે શાસકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે પાણીના સપ્લાય લાઈનમાં લીકેજ થવાને કારણે આ પ્રકારનું દૂષિત પાણી આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવ્યું રહ્યું છે તેમાં કોઈપણ પ્રકારની તકલીફ નથી. પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો પાણીના સપ્લાય લાઈનની અંદર ખામી સર્જાય છે તો એ દરેક ઝોનમાં ખામી સર્જાય હોઈ શકે એવું કેવી રીતે બને? કોઈ એક ઝોનમાં કેટલીક સોસાયટીઓમાં આ પ્રકારની તકલીફ હોય તો સમજી શકાય પરંતુ આ તો અલગ અલગ ઝોન માઇક સરખી સમસ્યા ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: