- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- 8 વર્ષથી માનસિક બિમારીથી કંટાળીને યુવકે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, માતાએ રૂમનો દરવાજો ખોલતાં જ બૂમો પાડી હતી.
રાજકોટ4 કલાક પેહલા
- કૉપી લિંક

રાજકોટ શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં મુરલીધર વે બ્રિજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટી શેરી નં.1માં રહેતા 44 વર્ષીય જયસુખ ધનજીભાઈ સિંઘવે આજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આજે બપોરે 12 વાગ્યે મૃતકના માતા પોતાના ઘરે ઉપરના માળે રૂમનો દરવાજો ખોલતા જયસુખ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા માતાની ચીસ ફાટી નીકળી હતી. જેથી પરિવારના લોકો અને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. તેમને નીચે ઉતારી કોઈએ 108માં જાણ કરતા એમ્બ્યુલન્સના ઇએમટીએ સ્થળ પર જ જયસુખને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક અપરણિત હતો અને 3 ભાઈ 2 બહેનમાં નાનો હતો. 8 વર્ષથી માનસિક બીમારી હતી. જેના કારણે આ પગલું ભર્યાનું તારણ જાણવા મળી રહ્યુ છે. જોકે સ્પષ્ટ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વીજ શોક લાગતા યુવાન ઢળી પડ્યો મૂળ ઉત્તરપ્રદેશના વતની અને