4 કલાક પેહલા
- કૉપી લિંક

ગ્રાહકે ખરીદેલા કાજુમાંથી ઈયળો નીકળી
અમદાવાદમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓથી લઇને હવે ડ્રાયફ્રુટ્સમાં પણ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી ખરીદવામાં આવેલાં કાજુ-બદામમાંથી ઈયળ સહિતના જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે જ્યારે કાજુ-બદામ ખરીદ્યા તો એમાંથી જીવજંતુ નીકળ્યા હતા, જેથી તેઓ ફરીથી દુકાન પર ગયા હતા અને જે બરણીમાંથી કાજુ-બદામ આપવામાં આવ્યાં હતાં એમાં તપાસ કરતાં એમાં પણ ઈયળ અને જીવજંતુઓ તેમજ ખવાઇ ગયેલી હાલતમાં કાજુ-બદામ મળી આવ્યાં હતાં, જેથી આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતાં ફૂડ વિભાગની ટીમે દુકાનમાં ચેકિંગ કરીને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરી હતી.
સાડાત્રણ કિમી લાંબો બ્રિજ ખુલ્લો મુકાયો મોટાવરાછાથી વરાછા