Saturday, November 11, 2023

Dhanteras bought 10 percent more gold than Pushyankshatra | પુષ્યનક્ષત્ર કરતાં ધનતેરસે 10 ટકા વધુ સોનુ ખરીદાયું

આણંદ29 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • લગ્ન સિઝનને લઇને સોનાના દાગીનાનું ધૂમ વેચાણ, લગડીની માગમાં સામાન્ય ઘટાડો

આણંદ જિલ્લામાં પુષ્ય નક્ષત્ર બાદ આજે ધનતેરસના પવિત્ર દિવસે પણ સોના – ચાંદીના દાગીનાનું ધૂમ વેચાણ થયું હતું. આજના આ દિવસે દાગીનાની ખરીદી શુકનવંતી ગણાતી હોવાથી અનેક લોકોએ પરંપરા જાળવવા માટે ખરીદી કરી હતી. તો હવે સેંકડો લોકો એવા પણ હતા કે ડિસેમ્બરમાં એનઆરઆઇના લગ્નની સિઝન શરૂ થતી હોવાથી તે માટે પણ ધૂમ ખરીદી કરી હતી. ખાસ કરીને દાગીનાની ખરીદી વધુ જોવા મળી હતી. સાથે સાથે ચાંદીના દાગીનાનું વેચાણ મોટા પ્રમાણમાં થયું છે. પુષ્યનક્ષત્ર બાદ ધનતેરસે પણ સોનાના દાગીનાની માગ વધુ ધનતેરસે સોની બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. આગામી દિવસોમાં લગ્નની સિઝન શરૂ થતી હોય સોના દાગીના ખરીદી વધુ જોવા મળી હતી.

ખાસ કરીને નવી ડિઝાઇનની સોનાની ચેઇન, કડલાં, બંગડી, સહિત નાના