
જામનગર32 મિનિટ પેહલા
- કૉપી લિંક
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા નજીક રંગમતિ નદીમાં અસંખ્ય મૃત માછલા મળી આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કલ્પનાબેન પરમાર અને તેની ટીમે તપાસ કરી અલગ અલગ સ્થળેથી પાણીના નમુના લીધા હતાં. પ્રાથમિક તપાસમાં ઝેરી કેમિકલ્સના કારણે માછલાના મૃત્યુ થયાનું ખૂલ્યું હતું. બાદમાં ચેલા ગામમાં શિવમ ભરડિયા નજીકની જગ્યામાં ધમધમતા અનઅધિકૃત કારખાનામાંથી એસીડવાળું ઝેરી પાણી નદીમાં છોડવાના કારણે માછલાના મોત થયા હોવાનું ખૂલતા બ્રાસપાર્ટસના એકમને બંધ કરવાની નોટીસ ફટકારાઈ છે.