- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- અમદાવાદ
- અમદાવાદમાં હવે કાજુમાંથી કેટરપિલર નીકળ્યા છે, ગ્રાહકની ફરિયાદ બાદ મનપાના ફૂડ ડિપાર્ટમેન્ટે ભોપાલના માધવ ડાયફ્રુટ્સમાંથી સેમ્પલ લીધા છે.
અમદાવાદ9 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓથી લઈને હવે ડાયફ્રૂટ્સમાં પણ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી ખરીદવામાં આવેલા કાજુ-બદામમાંથી ઈયળ સહિતના જીવજંતુઓ નીકળ્યા હતા. ગ્રાહકે જ્યારે કાજુ-બદામ ખરીદ્યા તો એમાંથી જીવજંતુ નીકળ્યા હતા, જેથી તેઓ ફરીથી દુકાન પર ગયા હતા અને જે બરણીમાંથી કાજુ-બદામ આપવામાં આવ્યાં હતાં. એમાં તપાસ કરતાં એમાં પણ ઈયળ અને જીવજંતુઓ તેમજ ખવાઇ ગયેલી હાલતમાં કાજુ-બદામ મળ્યાં હતાં, જેથી આ મામલે ગ્રાહકે ફરિયાદ કરતાં મનપાના ફૂડ વિભાગની ટીમે દુકાનમાં ચેકિંગ કરીને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરી હતી.
માધવ ડાયફ્રૂટ્સ નામની દુકાનમાંથી ખરીદી કરી હતી બોપલ