અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં વિવિધ ગેરેજોમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનનો લેવામાં આવે છે, ત્યારબાદ ગેરેજ સંચાલકો વાહન સાફ કરવા અને અન્ય કારણોસર રોડ પર પાણી ઢોળતા હોય છે, ત્યારે ગેરકાયદેસર પાણીના કનેક્શનનો કાપવા માટેની સૂચના આજે મળેલી વોટર સપ્લાય કમિટીમાં આપવામાં આવી હતી. વોટર સપ્લાય કમિટિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, દિવાળી પહેલા તમામ આવા ગેરેજોમાં ચેકિંગ કરી અને કનેક્શનનો કાપવામાં આવે. જેથી પાણીની સમસ્યામાં તકલીફ ઊભી ન થાય. આજ દિન સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી 50થી વધુ ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા છે. હજી પણ 200 જેટલા ગેરકાયદેસર કનેક્શન હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.