Monday, January 9, 2023

In Veiled Attack On RSS, Rahul Gandhi Calls Them '21st Century Kauravas'

Rahul Gandhi 21th century Kauravas: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં આરએસએસના લોકોને 21મી સદીના કૌરવો ગણાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, 21મી સદીના કૌરવો ખાકી હાફ પેન્ટ પહેરે છે અને શાખાઓ લગાવે છે. રાહુલના આ નિવેદન પર વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે. 

કુરુક્ષેત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, મહાભારતમાં જે લડાઈ થઈ હતી, આજે પણ એ જ છે. પાંડવો કોણ હતા? અર્જુન, ભીમ એ લોકો કોણ હતા? આ લોકો તપસ્યા કરતા હતા. તમે લોકોએ મહાભારત વાંચ્યું છે. શું પાંડવોએ ક્યારેય ખોટું કર્યું હતું? શું તેમણે ક્યારેય નોટબંધી કરી હતી? શું તેમણે ખોટો GST લાગુ કર્યો હતો? કારણ કે તે જાણતા હતા કે ચોરી કરવાનો આ  રસ્તો ખોટો છે.

21મી સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે – રાહુલ

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન હરિયાણા પહોંચેલા રાહુલે કહ્યું હતું કે, 21મી સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે. તેઓ હાથમાં લાકડીઓ લઈને ચાલે છે અને શાખાઓ લગાવે છે. ભારતના અબજોપતિઓ પણ આ કૌરવો સાથે ઉભા છે. નોટબંધી,ખોટો જીએસટી કોના વિરૂદ્ધ કરવામાં આવી એ સમજો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ નિશ્ચિતપણે તેના પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ અબજોપતિઓએ જ મોદીજીનો હાથ ચલાવ્યો હતો. શું તે સમયના અબજોપતિઓ પાંડવોની સાથે ઉભા હતા? ના, કારણ કે જો તેઓ ઉભા રહ્યા હોત, તો તેઓ જંગલમાં ન હોત.

live reels News Reels

પાંડવોએ પણ ખોલી હતી પ્રેમની દુકાન – રાહુલ

રાહુલે વધુમાં કહ્યું હતું કે, એક તરફ 5 તપસ્વીઓ હતા. પાંડવો સાથે દરેક ધર્મના લોકો હતા. આ યાત્રા પ્રેમની દુકાન છે. પાંડવોએ અન્યાય સામે પણ કામ કર્યું હતું. નફરતના બજારમાં પાંડવોએ પણ પ્રેમની દુકાન ખોલી હતી. રાહુલે વધુમાં કહ્યું હતું કે, પાંડવોએ ભય અને નફરતને નાબૂદ કરવાનું કામ કર્યું હતું. તેઓએ ભય અને નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી અને આ મારું સૂત્ર નથી, આ તેમનું સૂત્ર છે, આ ભગવાન રામનું સૂત્ર છે. આ દેશ તપસ્વીઓનો દેશ છે.

“આરએસએસના લોકો હર હર મહાદેવ નથી કહેતા” 

આરએસએસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, આરએસએસના લોકો ક્યારેય ‘હર હર મહાદેવ’ નથી કહેતા કારણ કે શિવજી સંન્યાસી હતા. તેઓ ક્યારેય રામ-રામ, જય સિયા રામ નથી કહેતા. તેઓએ સીતાજીને બહાર ફેંકી દીધા હતા. અમે હા નહીં કહીએ. રામ જેટલા મહત્વના હતા તેટલા જ મહત્વના સીતા પણ હતા. હું જ્યાં જાઉં ત્યાં જય સિયા રામ બોલાય છે. રાહુલે કહ્યું હતું કે, મને કોઈએ કહ્યું કે તમે 3000 કિમી ચાલ્યા? તો મેં કહ્યું કે શું થયું? જો તમે કોઈ ખેડૂતને પૂછો કે તમે એક મહિનામાં કેટલું ચાલ્યા?, તો તે તમને કહેશે કે તે કેટલું ચાલ્યા છે.

ભાજપ પર જોરદાર પ્રહાર

ભાજપ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી વીમા યોજનાના પૈસા તમારા ખિસ્સામાંથી નીકળે છે અને બીજા કોઈનું ખાતું છે. તમારો આખો પરિવાર કામ કરે છે. વરસાદ, વાવાઝોડું થાય છે ત્યાર બાદ તમે વીમો લેવા જાઓ છો, પછી તમને ખબર પડે છે. ઇન્ટરનેટ પર કોઈ કંપની જ નથી. તમારા પૈસા બીજા કોઈ ઉઠાવી ગયા છે. GSTની વાત કરીએ તો જો તમે 25 કિલોથી ઓછો લોટ અથવા ગોળ વેચો છો, તો તમારા પર GST લાદવામાં આવશે. અદાણી-અંબાણી પર નહીં.


કૃષ્ણનગરમાં થોડા દિવસ પહેલાં થયેલા હુમલામાં ચાર આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં જ યુવકો પર જીવલેણ હુમલો કરી કારમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી નિવૃત પોલીસકર્મીનો જમાઈ હોવાનું ખૂલ્યું છે. જો કે, આ બનાવમાં બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં નિર્દોષ યુવકોને માર મારવામાં આવ્યો છે.

પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

કૃષ્ણનગર પોલીસે હરીશચંદ્ર ઉર્ફે હરિ વાઘેલા, યશપાલ વાઘેલા, પરાક્રમ ઉર્ફે લાખો વાઘેલા, જોગેન્દ્ર ઉર્ફે રાજા ઝાલાની નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ બે દિવસ પહેલાં કેટલાક નિર્દોષ યુવાનોને ઢોરમાર માર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, અન્ય એક વ્યક્તિ સાથે પોતાની અદાવતના ડરથી કઈ પણ જાણ્યા વગર રસ્તેથી પસાર થતા જ તેમની ઉપર હુમલો કરી નાંખ્યો.

થોડા દિવસ પહેલાં હુમલો કર્યો હતો

થોડા દિવસ પહેલાં નરોડાના હરિદર્શન ચાર રસ્તા પાસેથી પસાર થઈ સાંઈ ચોક વિસ્તારમાંથી કાર લઈ નીકળેલા યુવકો મોજ મસ્તીથી નાસ્તો કરવા જતાં હતાં. જો કે, તે દરમિયાન પકડાયેલા ચારેય આરોપીઓ ત્યાં બેઠેલા હતા. કારની અવરજવર જોઈ ઉશ્કેરાઈને કારનો કાચ તોડી નાંખ્યો હતો અને ત્યારબાદ દૂર જઇ કારને નુકશાન થયેલાનું જોતા યુવકો ફરી બનાવ સ્થળે આવ્યા અને કઈ પણ સમજે તે પહેલાં જ તેમની પણ તલવાર, પાઇપ સહિત હથિયારો વડે હુમલો કરી કારમાં સવાર 3 યુવકોને લોહી લુહાણ કરી નાંખ્યા હતા. હાલમાં ત્રણ યુવકોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ બાપુનગરમાં નજીવી બાબતે વિવાદ થતા એક વ્યક્તિની હત્યા

અંગત અદાવતમાં હુમલો કર્યો

આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી હતી કે, અદાવતનો બદલો લેવા માટે હુમલો કરવાની ફિરાકમાં રહેલા આ ચારેય આરોપીઓ હુમલો કરવાના હતા. પરંતુ આ યુવક ઉપર હુમલો કરી જીવનું જોખમ ઊભો કરી દીધું. હાલમાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર ઘટના મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. જો કે, મોડી રાત્રે સૂમસામ રસ્તા પણ કારમાં તોડફોડ કરીને યુવકોને બેફામ માર મારી રહેલા આ આરોપીઓને જાણે કે પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

Ahmedabad: બાઈક ચાલક પાસેથી રુપિયા ઉઘરાવતા TRB જવાનનો વીડિયો થયો વાયરલ

Ahmedabad: બાઈક ચાલક પાસેથી રુપિયા ઉઘરાવતા TRB જવાનનો વીડિયો થયો વાયરલ

VALSAD: પ્રાર્થનામાં મોડા આવતા શિક્ષકે બાળકોને એટલા માર્યા કે લાકડી તૂટી ગઈ, પોલીસે કરી ધરપકડ

વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને શાળાના મુખ્ય શિક્ષકે માર મારતા સીએચસી સેન્ટરમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે વાળીઓએ શાળામાં હોબાળો મચાવી શાળાને તાળાબંધી કરી હતી. જ્યાં આજરોજ સમગ્ર મામલે આચાર્ય એવા મુખ્ય શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ ધરમપુર પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

રોષે ભરાયેલા વાલીઓ શાળા પર દોડી ગયા 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને શાળાના મુખ્ય શિક્ષકે માર માર્યો હોવાનો કારણે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા પિંડવણ પીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ શાળાની પ્રાર્થનામાં મોડા પહોંચતા માર મરાયો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાના પગલે રોષે ભરાયેલા વાલીઓ શાળા પર દોડી ગયા હતા અને તાળાબંધી કરી આચાર્યને બદલવાની માગ કરી હતી. 

આ મામલે બે અધિકારીઓને તપાસ સોંપી દેવામાં આવી

તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે બે અધિકારીઓને તપાસ સોંપી દેવામાં આવી છે. ધરમપુર તાલુકાના ખડકી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં દસેક વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં મોડા પહોંચતા શાળાના મુખ્ય શિક્ષક અને મહિલા આચાર્ય દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને માર માર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાળકો મોડા આવવા ના કારણે આ તેઓ રોષે ભરાયા હતા અને બાળકોને લાકડીના સોટા વડે  માર માર્યો હતો. લાકડી તૂટી ગયા બાદ પણ અન્ય લાકડાના સોટા વડે તેઓ બાળકોને માર માર્યો હતો. જેમાં 10 બાળકોની હાલત ગંભીર બનતા તેઓને તાત્કાલિક પિંડવડ પીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

શિક્ષક અને આચાર્યની ધરપકડ 

સમગ્ર ઘટના અંગેની જાણ બાળકોના વાલીઓને થતા તેમને શાળા પર જઈ  હોબાળો મચાવ્યો હતો અને શાળાની તાળાબંધી કરી હતી અને સાથે સાથે તાત્કાલિક મુખ્યશિક્ષક અને આચાર્ય એવા સામ્રગીની બેનની બદલીની માંગ કરી હતી.  ઘટનાની જાણ થતા વલસાડ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જ્યાં આજરોજ મુખ્ય શિક્ષક અને આચાર્ય એવા સામ્રગીની બેનની ધરપકડ કરી વધુ તપાસ ધરમપુર પોલીસ દ્વારા હાથ ધરી છે. 

Emergency Landing Of International Flight At Jamnagar Airport

Jamnagar: જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જેને લઈને જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે.  ફલાઇટમાં ઘણા વિદેશી પેસેન્જર હાજર છે. કોઈ અફવાને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

GCMMFના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી

GCMMF: દેશની પ્રખ્યાત અમુલ ડેરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી થઈ છે. તેમની સ્થાને જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોપવામાં આવ્યો છે. આમ  આર એસ સોઢીના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.  સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આર એસ સોઢીની ઓફીસ પણ સીલ કરવામાં આવી છે.

રાજકોટમાં વ્યાજખોરોનો આતંક

રાજકોટ:

live reels News Reels

  શહેર પોલીસે વધુ એક વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે, જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકે હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 4.30 લાખ રુપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે તારે કિડની વેચીને પણ વધુ પૈસા આપવા પડશે નહિતર ઉપાડી જઇશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહિ વ્યાજખોરનો હવાલો લઇ અન્ય બે વ્યક્તિએ પણ ધમકી આપવાની શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ , જંક્શન પ્લોટના લોહાણાચાલ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં રાજ અરવિંદ કારિયાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી નજીકના ગોલ્ડન પોર્ટિકોટ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત સુભાષ પૂજારા, જામનગર રોડ રેલવે કોલોનીમાં રહેતા મિતેષ કિશોર કડીવાર અને નૈમિષ મહેન્દ્ર દવેના નામ આપ્યા હતા. રાજ કારિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 નવેમ્બર 2021થી 13 જુલાઇ 2022 સુધીમાં તેને અને તેની માતાને કોરોના થતા હોસ્પિટલના ખર્ચ અને અન્ય ખર્ચ માટે પ્રશાંત પૂજારા પાસેથી 20,000 રુપિયા વ્યાજે લીધા હતા અને તેને નિયમિત વ્યાજ પણ ચૂકવતો હતો. કુલ 2 લાખ 30 હજાર વ્યાજ ચૂકવવાનું થતું હતું. 

રાજની માતાએ પણ તે જ્યાં કામ કરે છે ત્યાંથી ઉપાડ લઇને વ્યાજખોરના નાણાં ચૂકવ્યા હતા, અત્યાર સુધીમાં 4,30,500 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ 1.70 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે, કિડની વેચીને પણ પૈસા તો આપવા જ પડશે નહિતર તને ઉપાડી જઇને ટાટિયા ભાંગી નાખીશ. ત્યારબાદ મિતેષ કડીવાર અને નૈમિષ દવેએ વ્યાજખોર પ્રશાંત પૂજારાનો હવાલો લઇને રાજ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી અને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. વ્યાજખોરો 15 થી 20 ટકા વ્યાજ લગાવતા હતા અને દરરોજની 5 હજાર સુધીની પેનલ્ટી લગાવતા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.

Valsad: ફાયર NOC વગરની હાઈરાઈઝ બિલ્ડીંગો સમા થઈ કાર્યવાહી, 10 બિલ્ડીંગોને કરાઈ સીલ

Valsad: ફાયર NOC વગરની હાઈરાઈઝ બિલ્ડીંગો સમા થઈ કાર્યવાહી, 10 બિલ્ડીંગોને કરાઈ સીલ

ડાયમંડ સિટી સુરતની ચમક ઝાંખી પડી, 10 ટકા રત્ન કલાકાર બેકાર બનતા જીવનનિર્વાહ મુશ્કેલ

સુરતઃ ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગને ગ્રહણ લાગી ગયું છે. દિવાળી બાદ એકપછી એક ડાયમંડ કંપનીઓ બંધ થવાથી 12 હજારથી 15 હજાર કર્મચારીઓએ પોતાની રોજગારી ગુમાવી છે. હાલ ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. ત્યારે રત્ન કલાકારોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે આવકનો સ્ત્રોત જતા તેમનું જીવન અંધકારમાં ધકેલાયું હોય તેવી પરિસ્થિતિ હાલ ઊભી થવા પામી છે.

10 ટકા કારીગરો બેકાર બન્યાં

દેશભરમાં ગુજરાતનું સુરત પોતાની એક અલગ છાપ ધરાવે છે. સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમક દિવસેને દિવસે વધી રહી હતી. ત્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યુ છે. તેને લઈને આ ઉદ્યોગની ચમક ધીમે-ધીમે ઝાંખી પડી રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એકપછી એક હીરા ઉદ્યોગમાં ડાયમંડની શોર્ટેજને લઈ કતારગામ અને વરાછા વિસ્તારની ડાયમંડ કંપનીઓ બંધ થવા પામી છે. તેને લઈને 10 ટકા કારીગરો બેરોજગાર બન્યાં છે. ત્યારે તેમના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત 24 કલાક ધમધમતા ઉદ્યોગમાં અઠવાડિયાની બે રજા પણ આપવામાં આવી છે.

ઘણાં કારખાનામાં કારીગરો ઓછા કર્યા

રશિયાથી આવતા ડાયમંડ સુરતના બજારમાં નહીં આવવાને લઈને ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. કહી શકાય કે, મોટાભાગની કંપનીઓ બંધ થવાના આરે છે જે કારખાનામાં 200 કારીગર કામ કરતા હતા. ત્યાં જેટલા કારીગરો ઓછા કરી દેવામાં આવ્યા છે. કામનો સમય ઘટાડવા સાથે કારીગરોની સંખ્યા ઘટાડતા હાલ મોટા પ્રમાણમાં કારીગરો બેકાર બનવા પામ્યાં છે. તો ઘણાં કારીગરો એવા છે કે તેમને દિવાળી પછી નોકરી મળી રહી નથી.

આ પણ વાંચોઃ વલસાડમાં વીજ વિભાગની બેદરકારીને કારણે સાત ભેંસોના મોત

જો આમ ચાલશે તો રત્ન કલાકારો મુશ્કેલીમાં

આ કારણોને લઈને તેમના પરિવારનું જીવન નિર્વાહ કરવામાં તેમને ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સતત નોકરી માટે ઝઝૂમી રહીને કલાકારો બેકાર બની ગયા છે અને અન્ય નોકરી ન મળતા હવે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો સુરતના રત્નકલાકારોના જીવન અંધકારમય બની જશે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Diamond Business, Diamond city, Diamond industry, Diamond Workers, Surat Diamond industry, Surat diamond market, Surat news

Corona Virus In India : Sentinel Sequencing Reveals Presence Of All Omicron Variants In India

Omicron Sub Variant In India: ભારતમાં ઓમિક્રોનના તમામ વેરિએંટની હાજરી મળી આવી છે. 324 કોવિડ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગથી દેશમાં ઓમિક્રોનના તમામ પેટા વેરિઅન્ટની હાજરી સામે આવી છે. જો કે રાહતની વાત એ છે કે જે વિસ્તારોમાં આ પ્રકારો જોવા મળ્યા હતા ત્યાં કોઈ મૃત્યુદર અથવા કેસમાં વધારો નોંધાયો નથી. 

29 ડિસેમ્બર, 2022 થી 7 જાન્યુઆરી, 2023 સુધીમાં ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) સેન્ટિનલ સાઇટ્સે 22 ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) પ્રયોગશાળાઓને અનુક્રમ માટે 324 કોવિડ-પોઝિટિવ નમૂના મોકલ્યા હતા. જેમાં આ વાત સામે આવી છે.  

આ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગમાં BA.2, BA.2.75, XBB (37), BQ.1 અને BQ.1.1 (5) જેવા તમામ ઓમિક્રોન વેરિઅન્ટની હાજરી સામે આવી હતી. જોકે, જ્યાં જ્યાં આ પ્રકારો જોવા મળ્યાં છે ત્યાં મૃત્યુ દર વધ્યો નથી. તેમજ તેનું ટ્રાન્સમિશન પણ થયું નથી. જે ભારત માટે સારી બાબત છે. 

એરપોર્ટ પર રેન્ડમ પરીક્ષણ

live reels News Reels

દેશના વિવિધ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોરોના ટેસ્ટ 24 ડિસેમ્બર, 2022થી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી 13,57,243 આંતરરાષ્ટ્રીય મુસાફરો વિવિધ એરપોર્ટ પર 7786 ફ્લાઇટ્સ પર ભારતમાં આવ્યા હતા જેમાંથી 29,113 રેન્ડમલી પસંદ કરાયેલા મુસાફરોનું RT-PCR દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ રીતે થયો ખુલાસો

લેવામાં આવેલા કુલ 183 નમૂનાઓનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. ત્યાર બાદ 13 INSACOG પ્રયોગશાળાઓમાં સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. લગભગ 50 સેમ્પલના સિક્વન્સિંગથી ઓમીક્રોન અને તેના અબ વેરિઅન્ટ્સ હોવાની જાણકારી મળી આવી હતી. XBB (11), BQ.1.1 (12) અને BF7.4.1 (1) આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આ નમૂનાઓમાં મળી આવેલા મુખ્ય વેરિએંટ હતા.

દેશમાં કોરોનાની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, આજે સોમવારે દેશમાં કોરોના વાયરસના 170 નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ સક્રિય કેસની સંખ્યા વધીને 2,371 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હવે કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ છે. જ્યારે કોરોનાથી થયેલો કુલ મૃત્યુઆંક 5,30,721 છે.

કેટલું ખતરનાક છે XBB વેરિઅન્ટ? સંશોધનમાં થયા ચોંકાવનારા ખુલાસા, જાણો વિગતે

Omicron Sub Variant In India: ભારતમાં ઓમિક્રોનના તમામ વેરિએંટની હાજરી મળી આવી છે. 324 કોવિડ પોઝિટિવ સેમ્પલના સેન્ટિનલ સિક્વન્સિંગથી દેશમાં ઓમિક્રોનના તમામ પેટા વેરિઅન્ટની હાજરી સામે આવી છે. જો કે રાહતની વાત એ છે કે જે વિસ્તારોમાં આ પ્રકારો જોવા મળ્યા હતા ત્યાં કોઈ મૃત્યુદર અથવા કેસમાં વધારો નોંધાયો નથી. 

RS Sodhiના સ્થાને જયેન મહેતાની Amulના નવા MD તરીકે નિમણૂંક, જાણો તમામ માહિતી

RS Sodhiના સ્થાને જયેન મહેતાની Amulના નવા MD તરીકે નિમણૂંક, જાણો તમામ માહિતી

પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં કોમેન્ટેટરે લોચો માર્યો, પોર્નસ્ટાર ડેનીનું નામ બોલી ગયો

ક્યારેક વાત કરતા સમયે જીભ લપસી જવી કોઈ નવી વાત નથી. જાહેર કાર્યક્રમમાં જીભ લપસી જાય તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ત્યારે એક પાકિસ્તાની કમેન્ટટેર (Pakistani commentator) સાથે પણ આવું બન્યું છે. તે ક્રિકેટરની જગ્યાએ એડલ્ટ સ્ટારનું નામ બોલી જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને યૂઝર્સે આ વિડીયો પર અલગ અલગ કમેન્ટ કરી છે.

શું કહી ગયો કોમેન્ટર?

કરાચીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. તે સમયે પાકિસ્તાની કમેન્ટેટર બાજિદ ખાને ન્યુઝીલેન્ડના ક્રિકેટર ડેની મોરિસનને ડેની ડેનિયલ્સ (Dani Danials) કહીને સંબોધન કર્યું હતું. ડેની ડેનિયલ્સ એડલ્ટ સ્ટાર છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Porn Star, Viral videos, ક્રિકેટ


Dahod: સુરત બાદ દાહોદમાં શ્વાને કર્યો બાળક પર હુમલો, માથાના ભાગે ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

દાહોદ: રાજ્યમાં રખડતા ઢોરની સાથે સાથે હવે રખડતા સ્વાનનો આતંક પણ સામે આવી રહ્યો છે. આજે સુરતમાં એક બાળકી પર સ્વાને હુમ કર્યો હતો. જે બાદ દાહોદમાં પણ આવી જ ઘટના સામે આવી છે.  અહીં સ્વાને બાળકના માથાના ભાગે બચકુ ભરતા બાળક ઘાયલ થયો હતો. ફતેપુરાના ડુંગરા ગામમાં આ ઘટના બની હતી. બાળકો  ખેતરમાં પતંગ ઉડાવતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ઘાયલ બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. 

 રખડતા શ્વાનનો આતંક, બાળકીને ગાલ પર ભર્યું બચકું

સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને ગાલના ભાગે શ્વાને બચકુ ભરી લીધું હતું. શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. શ્વાનના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આતંક મચાવનારા શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી હતી. મહાપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો હતો. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.

સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસને જોતા જ રૂપલલનાઓ….

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા. બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ગોરખધંધા થતા હોવાની મળેલી બાતમી બાદ પોલીસે રેઇડ કરી હતી. જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.

15 દિવસ પહેલા પણ સુરતમાંથી ઝડપાયું હતું કૂટણખાનું

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Ahmedabad: પુત્રી પર દુષ્કર્મ કરવાના આરોપસર પિતાની થઈ ધરપકડ, પોલીસ તપાસ શરુ

Ahmedabad: પુત્રી પર દુષ્કર્મ કરવાના આરોપસર પિતાની થઈ ધરપકડ, પોલીસ તપાસ શરુ

Kite Festival: સુરતના યુવાને બનાવી રિમોટ કંટ્રોલથી ઉડતી પતંગ, જુઓ શું છે વિશેષતા

Kite Festival: સુરતના યુવાને બનાવી રિમોટ કંટ્રોલથી ઉડતી પતંગ, જુઓ શું છે વિશેષતા