Tuesday, December 27, 2022

Kutch: શું છે આ સંસ્કૃત અભિયાન, એક ખાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું

Dhairya Gajara, Kutch: પ્રાચીન ભાષા સંસ્કૃતનો વપરાશ સામાન્ય રીતે ચલણમાં ન હોતાં એક તરફ તે વિસરાઈ જવાની ભૂતી સેવી રહી છે તો બીજી તરફ તેને જાળવી રાખવા અનેક લોકો પ્રયત્નશીલ છે. આ પ્રયત્નોને વેગ આપવા કચ્છમાં લોકો સરળતાથી સંસ્કૃત સમજી અને બોલી શકે તે માટે સંસ્કૃત ભારતી દ્વારા એક ખાસ સંસ્કૃતં વદતુ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકની એક લાખ નકલ છાપી કચ્છમાં જ તેનું વિતરણ કરી સંસ્કૃતનો વ્યાપ વધારવા પ્રયાસ કરાઈ રહ્યો છે. તો આ અભિયાન અંતર્ગત પ્રથમ પુસ્તક કચ્છના ક્રાંતિવીર અને સંકૃતના વિદ્વાન પંડિત શ્યામજી કૃષણવર્માને અર્પણ કરવામાં આવી હતી.

દેવભાષા સંસ્કૃત પ્રાચીન સમયથી જ વિદ્વાનોની ભાષા માનવામાં આવે છે. જો કે, આ મિથ્યાને દૂર કરી સામાન્ય વ્યક્તિ પણ સંસ્કૃત બોલતી થાય તેવા પ્રયાસો સંસ્કૃત ભારતી દ્વારા કરવામાં આવતા હોય છે. કોઈ પણ ભાષાનો વ્યાપ વધારવા તેને દૈનિક ક્રિયામાં વપરાશમાં લેવી જરૂરી છે. અને તે માટે જે તે ભાષામાં વિચારવું જરૂરી છે. સામાન્ય લોકો પણ સંસ્કૃત સમજી તેમાં વિચારવાનું શરૂ કરે તે માટે સંસ્કૃત ભારતી દ્વારા એક ખાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

ભારતની આઝાદી માટે લંડનમાં અંગ્રેજોની છાતી પર બેસી સ્વરાજની માંગ કરનારા કચ્છના વીર પુત્ર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ચરણોમાં પ્રથમ પુસ્તક અર્પણ કરી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કચ્છના માંડવીમાં જન્મેલા શ્યામજી પોતે સંસ્કૃતના વિદ્વાન હતા અને તે કારણે જ તેમને પંડિતની પદવી પણ મળી હતી. ત્યારે ભાષાને બચાવવા શરૂ કરાયેલ આ અભિયાનની પ્રથમ પુસ્તક માંડવીમાં આવેલ પંડિત શ્યામજીના સ્મારક ક્રાંતિતીર્થ ખાતે તેમના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી.

પંડિત શ્યામજી ને પુસ્તક અર્પણ કરવા યોજાયેલ આ કાર્યક્રમમાં માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં વિજયી થયા બાદ વિધાનસભા મધ્યે માંડવી-મુન્દ્રાના ધારાસભ્યે સંસ્કૃતમાં શપથ લઈ કચ્છના લોકોને સંસ્કૃતના વપરાશ પ્રત્યે જાગૃત કર્યા હતા.

તમારા શહેરમાંથી (કચ્છ)

First published:

Tags: Kutch, Local 18