Tuesday, December 27, 2022

Lakhs of devotees have created a huge crowd at the darshan of Amba in Karya.apj – News18 Gujarati

Ashish Parmar, Junagadh: લાખો શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે ગિરનાર પર બિરાજતા માં અંબાના દર્શન માટે પહોંચી ગયા છ. રોપ વે તથા પગથિયા પર ચડીને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં ગણાઇ રહી છે. મીની વેકેશન શરૂ થવાથી પ્રવાસીઓનો ધસારો બે દિવસ પહેલાથી જ જોવા મળી રહ્યો હતો

રોજના એડવાન્સ બુકિંગ,સીડીએ પણ ભારે ટ્રાફિક

ગિરનાર રોપ-વે દ્વારા એડવાન્સ બુકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. એડવાન્સ બુકિંગ સિસ્ટમથી ટાઈમના સ્લોટ મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવે છે. જેથી અહીં આવતા પ્રવાસીઓને ભારે ભીડનો સામનો કરવો પડતો નથી અને આસાનીથી રોપવે ની સફર માની શકે છે.

પહેલા રોપ-વે ની એડવાન્સ બુકિંગ સિસ્ટમ શરૂ ન હોતી ત્યારે લોકોને ભારે ભીડનો સામનો કરવો પડતો હતો.આશરે બેથી વધુ કિલોમીટરની લાંબી લાઈન પણ ટિકિટ બુકિંગ માટે લાગતી હતી. પરંતુ એડવાન્સ બુકિંગ સિસ્ટમથી ઘણા પ્રવાસીઓને ફાયદો થયો છે.

તમારા શહેરમાંથી (જુનાગઢ)

માં અંબાના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુ પહોંચ્યા

ગિરનાર પર મા અંબા બિરાજી રહ્યા છે. ગિરનારની ભૂમિ એ ગુરુદત્તની તપ ભૂમિ પણ કહેવામાં આવે છે. રોપ-વેની સુવિધા અંબાજી સુધી છે તેથી અનેક યાત્રિકો અંબાજી સુધી જઈ અને પરત ફરે છે. ત્યારે અમુક યાત્રિકો અંબાજીથી દત્તાત્રેય સુધી દર્શનાર્થે જાય છે. ત્યારે અમુક યાત્રિકો પગપાળા જ ગિરનારની સંપૂર્ણ સફરનો આનંદ લે છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Hindu Temple, Junagadh news, Local 18

Related Posts: