આણંદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
આણંદના સામરખા ગામે ત્રાટકેલા તસ્કરોએ પમ્બીંગનું કામ કરતાં રહિશના ઘરમાં ઘુસી રોકડ અને દાગીના મળી કુલ રૂ.2.64 લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય ગુનો નોંધ્યો હતો.
સામરખા ગામે ભોઇ નિવાસમાં રહેતા ગીતાબહેન નરેન્દ્રભાઈ ભોઇના પતિ પ્લમ્બરનું કામ કરે છે. તેઓ 10મી માર્ચના રોજ મોડી રાત સુધી ઘરનું કામકાજ કરતા હતા. બાદમાં બાજુના રૂમને લોક મારી તેઓ પતિ, સાસુ સાથે બધા બીજા રૂમમાં જ સુઇ ગયાં હતાં. દરમિયાનમાં વ્હેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે ગીતાબહેન જાગ્યા તે સમયે તેમના રૂમનો દરવાજો બહારથી બંધ હતો. આથી, તેઓએ પડોશીને જાણ કરી દરવાજો ખોલાવ્યો હતો. બહાર આવી જોતા ઘરમાં તમામ સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો. તિજોરીનું લોક તુટેલું હતું. જેથી તપાસ કરતાં લગ્ન સમયે તિજોરીમાં લગ્ન વખતે પિયરમાંથી મળેલા દાગીના, રોકડ રૂપિયા મળી કુલ રૂ.2.64 લાખની મત્તા ચોરી થઇ હતી.
આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં તસ્કરો બંધ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાં મુકેલા દાગીના અને રોકડા રૂ.2.64 લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.