- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Jain Woman From Surat Performs 400 Days Of Penance, 400 Waterless Fasts, Creates More Than 15 Paintings And Gifts Them To Relatives
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

જૈન શાસનમાં તપ અને ત્યાગ ધર્મનું મહત્ત્વ વધુ છે. તપધર્મ દ્વારા તન અને મન નિર્મળ અને પવિત્ર બને છે. સુરતના બીનાબેન નિલેશભાઈ ઝવેરી વર્ષીતપના આરાધક છે. તેમને અત્યારે બીજો વર્ષીતપ ચાલી રહ્યો છે. જેનું પારણું આવતીકાલે યોજાશે. ફાગણ વદ આઠમથી આ તપનો પ્રારંભ થતો હોય છે અને અક્ષયતૃતીયાના દિવસે 400 દિવસ પછી શેરડીના રસથી પારણું થતું હોય છે.

એક દિવસ ઉપવાસ અને એક દિવસ બેસણું કરવાનું હોય છે
આ પૃથ્વી ઉપરના પ્રથમ રાજા, પ્રથમ મુનિ અને પ્રથમ તીર્થંકર તરીકે ઋષભદેવનું નામ મોખરે છે. વેદ અને પુરાણોમાં પણ આદિનાથ પ્રભુનું નામ સુપ્રસિદ્ધ છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુનો 400 દિવસના તપમાં 400 નિર્જળા ઉપવાસ હતા. જેનું અનુકરણ કરવું આ હુંડા અવસર્પિણી કાળમાં અત્યન્ત મુશ્કેલ છે. આ તપને વર્ષીતપ તરીકે કહેવાય છે. સમગ્ર ભારત વર્ષમાં હજારો જૈનો પ્રતિવર્ષ આ વર્ષીતપ પ્રભુની સ્મૃતિમાં કરતા હોય છે. જેમાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બેસણું (બે ટાઈમ ભોજન) ક્યારેક બે ઉપવાસ પણ કરવાના આવતા હોય છે અને બેસણું પણ કરવાનું હોય છે.

400 દિવસ પછી શેરડીના રસથી પારણું થાય
ફાગણ વદ આઠમથી આ તપનો પ્રારંભ થતો હોય છે અને અક્ષયતૃતીયાના દિવસે 400 દિવસ પછી શેરડીના રસથી પારણું થતું હોય છે. શ્રીમંતો પણ આ તપ કરતા હોય છે. બીનાબેન ઝવેરીની વાત કરીએ તો સ્વયંમાં વિશ્વાસ એ સફળતાનું પ્રથમ પગથિયું છે. પેઇન્ટિંગની દુનિયામાં સપનાંઓને સાકાર કરવા બીના ઝવેરીની ઊંચી ઉડાન ભરી છે. વ્યક્તિને જ્યાં સુધી સ્વયંમાં વિશ્વાસ નથી ત્યાં સુધી તેને સફળતા મળવી મુશ્કેલ છે. ધાર્યા લક્ષ્યાંકો પાર પાડવા વ્યક્તિએએ પોતાનામાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ 36 વર્ષ અગાઉ તેમણે ટેક્ષટાઈલ ડીઝાઈનીંગનો કોર્ષ કર્યો હતો. જ્યારે કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. ત્યારે લોકડાઉનના સમયમાં આફતને અવસર બનાવી બીનાબેને 2 મહિના સુધી રોજ 2થી 3 કલાક કેનવાસ પર પેઇન્ટિંગ કરી 50થી વધુ એક્રેલિક કલરોનું અદભુત સમવસરણનું ચિત્ર બનાવ્યું હતું. ત્રણ બાય સાડા ત્રણ ફુટનું આ સમવસરણ ચિત્ર જાણે કે સાક્ષાત સમવસરણ જેવું લાગતું હતું.

લોકડાઉનમાં 34 પેઇન્ટિંગ બનાવ્યા હતા
કેનવાસ પર એક્રેલિક, ચારકોલ, દેવનાગરી, કેલીગ્રાફી, ઓઇલ પેન્ટિંગ કરીને તેમણે લોકડાઉનમાં 34 પેઇન્ટિંગ દ્વારા સમયનો સદુપયોગ કરીને પુણ્યની પરબ ખોલી હતી. બીજો વર્ષીતપમાં પણ 15થી પણ વધારે પેઇન્ટિંગો કેનવાસ પર કંડારીયા છે. કલાની કસબ દ્વારા કાષ્ઠમાં લક્ષ્મીપત્ર અને સૂર્યપત્રનું પણ નિર્માણ કર્યું છે. આ બેનમૂન સમવસરણ બીનાબેને પોતાના ઘરે હોલની અંદર મુકવામાં આવ્યું હતું જે પણ મહેમાનો કે મિત્રો ઘરે આવે ત્યારે આ સમવસરણ જોઈને ભાવ વિભોર બની જતા હતા. જેથી એમના પરિવારને વિચાર આવ્યો કે સમવસરણ સૌને બીજા વર્ષીતપ નિમિતે ભેટ આપીએ જેથી આ સમોવસરણની કેનવાસ પર ફોટો કોપી બનાવીને સમાજમાં સ્વજનોને અને મિત્રોને ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું છે. આપણી ભીતરમાં સહુની પાસે આવી કોઇને કોઇ કલાઓ પડી જ છે. બીનાબેનનું માનવું છે કે વ્યક્તિ જીવનરૂપી કેનવાસમાં ધારે તે રંગ પૂરવા સક્ષમ છે. આ માટે વ્યક્તિમાં અદમ્ય સાહસ ખેડવા કંઇપણ કરી છૂટવાની તૈયારી હોવી જોઇએ.
