Sunday, April 23, 2023

BJP કોર્પોરેટરે ગૃહરાજ્યમંત્રીને પત્ર લખી ન્યાયની માગ કરી, રાજ્યમાં હિટવેવ અને કમોસમી વરસાદ કયારે પડશે | BJP corporator writes to Home Minister, demands justice, see when heatwave and unseasonal rains will fall in the state | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • BJP Corporator Writes To Home Minister, Demands Justice, See When Heatwave And Unseasonal Rains Will Fall In The State

24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

યુવરાજસિંહની ધરપકડ અંગે સી.આર.પાટીલનું મોટું નિવેદન

ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ભાવનગરના 301મા જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ભાવનગર પહોંચ્યા હતા. દરમિયાન તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધીને નમન કર્યું હતું. તેમની સાથે સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલ પંડ્યા અને મેયર પણ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને તેમાં તેમણે યુવરાજસિંહની ધરપકડ અંગે કહ્યું હતું. ભાવનગરના ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ ડમીકાંડમાં કૌભાંડો ખુલ્લા પાડવાની વાત કરતો હતો તે વ્યક્તિ જ આજે પાંજરે પુરાયો છે.

TET-2ની પરીક્ષા પણ હેમખેમ પતી

રાજ્યમાં આજે TET-2ની પરીક્ષા યોજાઈ હતી. બપોરે ત્રણ વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ અને 4.30 વાગ્યા સુધી ચાલી હતી. દોઢ કલાકની આ પરીક્ષા દરમિયાન કોઈ કોપીકેસ, ગેરરીતિ કે ચોરીની ઘટના ન બને તેને લઈને પૂર્ણ રીતે તકેદારી રાખવામાં આવી હતી. સફળ આયોજન છતાં TET-2માં જો કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જ જો કોઈ પરીક્ષાર્થી પાસેથી ગેરરીતિને લગતું સાહિત્ય કે સાધન મળી આવે તો તેની સામે ગેરરીતિનો કેસ કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉમેદવારોને પેપર એકંદરે સારું અને સરળ લાગ્યું. તેમજ પેપર ફૂટવાના ડર વચ્ચે હેમખેમ પરીક્ષા પૂરી થતા પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે. ​

રાજ્યમાં આગામી 2 દિવસ હિટવેવ અને 2 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ઉત્તર પશ્ચિમનાં પવન ફુંકાતા હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 એપ્રિલે હીટવેવની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી 3 થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થશે. ત્યારે મોટા ભાગના જિલ્લામાં તાપમાન 41 થી પાર થવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફુંકાયા છે. આગામી 3 થી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે. મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે. જેમાં આગામી 2 દિવસ કચ્છમાં હિટવેવની આગાહી. તેમજ 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે.

BJP કોર્પોરેટરે ગૃહરાજ્યમંત્રીને પત્ર લખી ન્યાયની માંગ કરી

વિરમગામના ભાજપના કોર્પોરેટર સોનલ ગામોટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પતિ હર્ષદ ગામોટના હત્યારા સામે હજુ સુધી કાર્યવાહી ન થતાં પત્ર લખીને ન્યાયની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે પત્રમાં પોલીસ આરોપીની ધરપકડ ન કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ભાજપના કોર્પોરેટર સોનલબેને પત્રમાં લખ્યું છે કે, આપ સાહેબે ગુજરાતમાં વ્યાજખોરોથી પ્રજાને મુક્તિ અપાવી ડ્રગ્સ માફિયાઓથી ગુજરાતની પ્રજાને મુક્તિ અપાવો છો, માફિયા અને લુખ્ખા તત્વો સામે પગલા ભરી રહ્યા છો. આપ ગુજરાતની પ્રજાની સાથે હંમેશા માટે ખડેપગે ઉભા રહ્યા છો તો એક બ્રાહ્મણની દીકરીને ન્યાય તમે અપાવી શકો તેમ છો, મારે નવ વર્ષનો દીકરો છે. આરોપીઓ સામે લડવાની મારામાં શક્તિ નથી, આપ સરકારથી મદદ મળે તેવી મારી વિનંતી છે. આ કેસનો મુખ્ય આરોપી ભરત મેરૂભાઈ કાઠી આશરે 100 દિવસથી ફરાર છે. આરોપીના પરિવારજનો પણ માથાભારે, જનુની, ક્રિમિનલ રેકોર્ડવાળા તોફાની અને કાયદા હાથમાં લેવાની ટેવવાળા હોય મારા પર હિચકારી હુમલો કરી શકે છે.

આગમાં ડ્રાઈવર ભડથું થયો

રાધનપુરના સાતલપુર નેશનલ હાઈવે આગમાં એક જિંદગી ખાખ થઈ હોવાની ઘટના બની છે. જેમાં મોટી પીપળી ગામ પાસે રાત્રી દરમિયાન એક ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા સમગ્ર ટ્રેલર આગની લપેટમાં આવી ગયું હતું અને ડ્રાઇવર અંદર જ ફસાઈ ગયો હતો. જેથી ડ્રાઈવરનું ભળથું થઈ ગયું હતું. તેમજ ટ્રેઈલર પણ બળીને ખાખ થઈ ગયું હતું.

કરંટ લાગતા 2 કારીગરના મોત

સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગનગરમાં એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે. એમ્બ્રોડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીની બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ બારીની બહાર હાઈટેન્શનની લાઈનને અડી જતા બન્ને કારીગરને કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મોત

અમદાવાદના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદારોના મોત થયા છે. બંનેને શોધવા માટે અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. બંને સફાઇ કામદારો પી. સી. સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના કામદારો ગઇકાલે ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. જોકે, આ દરમિયાન સંભવિત ગેસ ગળતરના કારણે આ બંને કામદારના મોત થયા હતા. બીજી તરફ કામદારોને બચાવવા ઉતરેલા સ્થાનિક તરવૈયાને સારવાર હેઠળ ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે…