રાજકોટ3 કલાક પેહલાલેખક: ધારા નગેવાડિયા
- કૉપી લિંક

- ભાસ્કરે 100થી વધુ અગ્રણી ઉદ્યોગપતિ સાથે વાત કરી સફળ બિઝનેસ મોડલ જાણ્યું, લાખો રૂપિયાની નુકસાની કરીને સંબંધ સાચવવામાં આવે છે
- પ્રતિસ્પર્ધી સંકટના સાથી, સમાજથી વિકાસ થાય છે, ઔદ્યોગિક એકમોના કર્મચારી સાથે પારિવારિક નાતો
સૌરાષ્ટ્ર એ સંત અને શૂરાની ભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. તેની સાથે અહીં સોયથી લઈને સોનાના દાગીના પણ વિશ્વના એક- એક ખૂણામાં પહોંચ્યા છે. 18 વર્ષના યુવાનથી લઈને 60 વર્ષના વડીલ પણ અહીં સફળ ઉદ્યોગપતિની યાદીમાં આવે છે. ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં સૌરાષ્ટ્રનો હિસ્સો અડધો અડધ છે. ભાસ્કરે સૌરાષ્ટ્રના અગ્રણી 100 ઉદ્યોગકાર સાથે વાત કરી અને વિદેશની ધરતી પર પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગની સફળતાનું મોડલ જાણ્યું. આ મોડલમાં સંસ્કૃતિની ઝલક જોવા મળી. પ્રતિસ્પર્ધી સંકટમાં સાથી બને છે. સમાજથી વિકાસ થાય છે.
ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ સાથે પારિવારિક નાતો જાળવવામાં આવે