26 મિનિટ પેહલા
- કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિ. માં RSSનું વર્ચસ્વ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા એકહથ્થુ સાશન ચલાવતા પૂર્વ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીના સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થતા કૌભાંડની કવિતા લખનાર ગુજરાતી ભવનના અધ્યક્ષ મનોજ જોષીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી તપાસના અંતે શૈક્ષિક સંઘ દ્વારા પ્રોફેસરને અધ્યક્ષ પદ પર પરત લેવા માટે માગ કરવામાં આવી હતી. જોકે ડો. ભીમાણીએ સ્પષ્ટ ના કહી દીધી હતી અને હવે સંઘ કનેક્શન ધરાવતા ડો. નીલાંબરીબેન દવે ઇન્ચાર્જ કુલપતિ બનતા તેઓએ સંઘ સાથે જોડાયેલા પ્રોફેસર ડો. મનોજ જોષીને ગુજરાતી ભવનના અધ્યક્ષ તરીકે પરત લેવા નિર્ણય કર્યો છે. જેથી ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં RSSની બોલબાલા શરૂ થયાનું ચિત્ર ઉદભવી રહ્યું છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સુકુ રહેશે દિવાળી બાદ