સેલવાસ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પ્રથમ તબક્કે ફૂલ આપી વેરો ભરવા મિલકતધારકોને પ્રોત્સાહિત કર્યા
સેલવાસ નગર પાલિકાએ બાકી વેરાની વસુલાત માટે બાકી વેરેદારોને ફૂલ આપી વેરો ભરવા પ્રોત્સાહિત કર્યા છે. આ સાથે આગામી 15 દિવસમાં બાકી વેરો ન ભરે તો મિલકત જપ્તીની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
સેલવાસ પાલિકાએ બાકી ઘર વેરાની વસુલાતનું અભિયાન શરૂ કર્યું છે.જે મિલકત ધારકોનો વેરો ભરવાનો બાકી છે તેઓને 20 ડિસેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી.જે અંતર્ગત બાકી ઘરવેરો ભરવા માટે 15દિવસનો સમય આપવામાં આવ્યો છે.
જો તેઓ પંદર દિવસની અંદર એમનો બાકી વેરો ભરવામાં અસફળ રહેશે તો તેઓ વિરુદ્ધ દાનહ અને દમણ દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142મુજબ એમનો બાકી વેરા પર વ્યાજ લગાવવામાં આવશે અને એમની સંપત્તિને સીલ કરવાનો વોરન્ટ જારી કરવામાં આવી શકે છે.
પ્રથમ તબક્કે સેલવાસ પાલિકાના કર્મચારીઓ દ્વારા બાકી વેરો હોય તેવા સંપત્તિ ધારકોને ગુલાબનું ફુલ આપી બાકી વેરો ભરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. નગર પાલિકા સીઓ ડો.સુનભ સિંહએ બાકી વેરા માટે મિલકત ધારકોને અપીલ કરે છે કે, પોતાનો બાકી વેરો જલ્દી ભરી દે નહીં તો કડક કાર્યવાહી કરાશે.