અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસ અચાનક પલટી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં જઈને પલટી ગઈ હતી. જેનાથી બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સમયની તસવીર
આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ થવું જોઇએ કે નહીં?
રાજકોટના અકસ્માતમાં મોત
આજે સવારે જ રાજકોટમાંથી પણ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા માલિયાસણ ગામ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં બે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજીયા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ સમગ્ર બનાવમાં છ વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગોધરા હાઇવે પર અમદાવાદથી મધ્યપ્રદેશ જતી બસનો અકસ્માત
બસ ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી
30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત#NewsUpdate #Gujarat #Accident pic.twitter.com/S3fmAJRDrh— News18Gujarati (@News18Guj) December 23, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર