Wednesday, January 18, 2023

9 વર્ષની દેવાંશીએ સંન્યાસ ધારણ કર્યો, પિતા છે કરોડોની સંપતીના માલિક

સુરત: એક હીરા વેપારીની 8 વર્ષની દીકરી આલીશાન જિંદગીનો ત્યાગ કરીને સંન્યાસ ધારણ કરવાનો નિર્ણય લીધો છે. રમવાની ઉંમરમાં હીરા વેપારીની ઉત્તરાધિકારી દીકરી બુધવારે જૈન ધર્મ ગ્રહણ કરીને સંન્યાસિની બની ગઈ. આ બાળકીનું નામ દેવાંશી સંઘવી છે, જે બે બહેનોમાં મોટી પણ છે. મંગળવારે જૈન ધર્મની દીક્ષા કાર્યક્રમમાં દેવાંશીએ દીક્ષા ગ્રહણ કરી હતી.

આ પણ વાંચો: PHOTO: હૈદરાબાદના નિઝામે 5 લગ્ન કર્યા, પણ અંતિમ ઘડીએ એકેય સાથે ન રહી, જોઈ લો તસવીર

ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટ અનુસાર, હીરા વેપારીની દીકરી દેવાંશી સંઘવીએ 367 દીક્ષા સમારંભમાં ભાગ લીધો અને ત્યાર બાદ તે સંન્યાસ ધારણ માટે પ્રેરિત થઈ. એક ફેમિલી મિત્રએ કહ્યું છે કે, તેણે આજ સુધીમાં ક્યારેય ટીવી જોયું નથી કે કોઈ ફિલ્મ જોઈ નથી. એટલું જ નહીં, તે ક્યારેય રેસ્ટોરન્ટમાં ખાવા પણ ગઈ નથી. જો દેવાંશી સંન્યાસનો માર્ગ પસંદ ન કરતી તો, પુખ્તવયે તે કરોડોની હીરા કંપનીની માલિક બની હોત.

હકીકતમાં જોઈએ તો, દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. આપને જણાવી દઈએ કે, ધનેશ સંઘવી જે હીરા કંપનીના માલિક છે, તેમની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સૌ કરોડની આસપાસનું ટર્નઓવર છે. દેવાંશીની નાની બહેનનું નામ કાવ્યા છે. તેમની ઉંમર પાંચ વર્ષ છે. આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ દેવાંશીને દીક્ષા અપાવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, હીરા વેપારી ધનેશ અને તેમનો પરિવાર ભલે ધનાઢ્યા હોય, પણ તેમની લાઈફસ્ટાઈલ ખૂબ જ સરળ અને સાદગીભરી છે. આ પરિવાર શરુઆતથી જ ધાર્મિક રહ્યો છે અને દેવાંશી પણ નાનાપણથી દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરવાના નિયમનું પાલન કરતી આવી છે.

હકીકતમાં જોઈએ તો, 8 વર્ષની દેવાંશી હિન્દી, ઈંગ્લિશ સહિત કેટલીય ભાષાઓ જાણે છે. એટલું જ નહીં દેવાંશી સંગીતમાં પારંગત છે અને ડાંસ તથા યોગામાં પણ ખૂબ ટેલેંટેડ રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેવાંશીને નાનપણથી જ વૈરાગ્ય તરફ ઝુકાવ રહ્યો છે. આ જ કારણ છે કે, તેણે નાની ઉંમરમાં ગુરુઓ સાથે રહેવાનું શરુ કરી દીધું.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Pravin Makwana

First published:

Tags: Surat Diamond industry

Related Posts: