જામનગર28 મિનિટ પહેલા
- કૉપી લિંક
જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્રારા છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જયંતિના દિવસે પરંપરાગત ભવ્ય શોભા યાત્રા નિકળી હતી. શોભાયાત્રામાં અલગ-અલગ કુલ 35 જેટલા ફલોટસ જોડાશે. જેમાં 11 બ્રહ્મસમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ અને ધટકો ફલોટસમાં વિવિધ ભગવાન પરશુરામજી વિવિધ સ્વરૂપો રજુ કરી 18 ખુલ્લા ફલોટસમાં વિવિધ અવતારોમાં આશરે 150 બાળકો વેશભુષા સાથે જોડાયા હતા. બ્રહ્મસમાજની દિકરીઓ દ્રારા નવદુર્ગાના અવતારનુ ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું. આ સાથે જ સણગારેલા, ઘોડા, સણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બાહ્મણોના સંત, મહાપુરૂષના ફલોટસ, 4 ડીજે સાઉન્ડ સાથે રહ્યા હતા.

હરીયાણાના તિલકધારી ગ્રુપ વિશેષ આકર્ષણ રહ્યુ
પરશુરામ શોભાયાત્રામાં દર વર્ષે નવુ આકર્ષણ ઉમેરાય છે. જેમાં આ વર્ષે પ્રથમ વખત ખાસ હરીયાણા રાજયના જાણિતા અનિલતિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ વિશેષ આકર્ષણનુ કેન્દ્ર બન્યું જે તિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ દ્રારા વિરાટ સ્વરૂપે ભગવાન બંજરગબલીના વેશમાં વાનરો સાથે શોભાયાત્રામાં જોડાયું, તે પ્રકારે વિરાટ સ્વરૂપે મહાદેવજીના વેશમાં શોભાયાત્રા સાથે જોડાયું હતું. તે સાથે અધોરી નૃત્ય તેના કલાકારો દ્રારા હવાઈ ચોક, ચાંદીબજાર, દિપક ટોકીઝ, બેડીગેટ તેમજ પંચેશ્વર ટાવર ખાતે પ્રસ્તુત કર્યું હતું.

શોભાયાત્રાનુ સ્વાગત ઠંડાપાણીનુ વિતરણ કરાશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભુદેવ મિત્ર મંડળ, ઓદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ અને સ્થાનિક વેપારીઓ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તથા શરબત વિતરણ કરાયું હતું. અશોક કેટરસના અશોક ભટ્ટ દ્રારા ભવ્ય આતશબાજીથી શોભાયાત્રાનુ સ્વાગત કરાયું હતું. જાયન્ટસ ગ્રુપ દ્રારા ચાંદી બજાર માંડવી ટાવર પાસે શોભાયાત્રાનુ સ્વાગત તેમજ ઠંડાપીણાનું વિતરણ કરાશે. દિપક ટોકીઝ નજીક ખીમામામાં યુવક મંડળ (ચારણફળી) તેમજ મુસ્લિમ સમાજ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત સાથે ધર્મપ્રેમી જનતા માટે સરબત વિતરણ કરાયું હતું. કડીયાવાડ ખાદીભંડાર પાસે સમસ્ત બ્રહ્મવિકાસ પરીષદ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાયું હતું. બેડીગેટ નજીક લીંબડી બજરવાળા જાનીમહારાજ મિત્રમંડળ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત તેમજ સરબત વિતરણ કરાશે. તેમજ સમસ્ત બ્રહ્મસમાજ સેવાગ્રુપ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરવામાં આવશે.. વંડાફળી મિત્ર મંડળ દ્રારા પંચેશ્વર ટાવર પાસે ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનુ સ્વાગત કરી મહાઆરતી કરી મહેમાનોનું અભિવાદન કરાયું હતું.

શહેરના દિપક ટોકીઝ નજીક શોભાયાત્રાનુ સ્વાગત મુસ્લિમ ભાઈ દ્રારા કરવામાં આવે છે. આ વર્ષે ઈદ અને પરશુરામ જંયતિ સાથે હોવાથી હિન્દુ ભાઈઓ ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવશે. અને મુસ્લિમ ભાઈઓ પરશુરામ શોભાયાત્રામાં સહભાગી બન્યા હતા. પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે કોર્પોરેટ ડિમ્પલબેન જગત રાવલ તેમજ સી.વી. ઠાકર બુક સ્ટોર દ્રારા વેશભુષામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું. વેશભૂષામા ભાગ લેનાર બાળકોને ડો. કુશ દર્શન ઠાકર અને ડો સાગરીકા ઉપાધ્યાય તરફથી ફુડ પેકેટ અને એનર્જી ડ્રિંક આપવામાં આવ્યા હતા. શ્રીમાળી બ્રહ્મણ જ્ઞાતિની વાળીમાં બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરશુરામ શોભાયાત્રામાં જીલ્લા થતા શહેરના સમસ્ત બ્રહ્મસમાજના ભુદેવ મોટી સંખ્યામાં જોડાયા,શહેરના વિવિધ ધટકો અને પેટાજ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાયા હતા.
જામનગર પરશુરામ શોભાયાત્રામાં આ વખત અનેક વિશેષતાઓ જોવા મળ્યા
1. પરશુરામ ભગવાનનો ફલોટસ ખાસ ડેકોરેટીંગ અને લાઈટીંગ સાથે આકર્ષીત તૈયાર કરાયો હતો
2.પાલખીમાં મુર્તિ સ્વરૂપે ભગવાનજી બીરાજયા
3. શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા બાદ કચરો ન રહે તે માટે આયોજક ટીમ દ્રારા ખાસ સફાઈ કામગીરી કરાશે. મહાનગર પાલિકાની ટીમનો સહયોગ રહ્યો હતો 4. સેન્ટ્રલ બેન્ક નજીક યુવાનો દ્રારા ભવ્ય આતશબાજી કરી હતી
5. બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્રારા ખાસ પહેરવેશ સાથે રાસ રજુ કર્યો 6. કુલ 5 ખુલ્લી બગી, શરણગારેલ રથ, શોભાયાત્રામાં ખાસ આકર્ષણ કેન્દ્ર રહ્યું
7. હિન્દુ –મુસ્લિમ કોમી એકતાના દર્શન થશે. દિપક ટોકીઝ મુસ્લિમ સમાજના અગ્રણી અલ્લુભાઈ પટેલ તેમજ ટીમ દ્રારા પરશુરામજીની શોભાયાત્રાનુ સ્વાગત કર્યું
8. કર્મકાંડી ભુદેવ સમિતી દ્રારા પરશુરામ ભગવાનનુ સોળસોપચાર પુજન કરાયું
9. બ્રહ્મસમાજની દિકરીઓ દ્રારા પ્રસ્થાન વખતે નવદુર્ગાની કૃતિ રજુ કરાઈ

પરશુરામ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મસમાજ અને ધર્મપ્રેમી જનતાએ જોડાવવા જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા પ્રમુખ પ્રફુલ્લ વાસુ અને શહેર પ્રમુખ આશિષ જોષીએ અપીલ કરેલ છે. પરશુરામ શોભાયાત્રામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજ,જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સાહ સાથે સહભાગી બન્યા હતા.

