Sunday, January 1, 2023

નવા વર્ષે અંબાલાલની મોટી આગાહી, ઠંડીની સાથે પડી શકે છે કમોસમી વરસાદ

Ambalal Patel big forecast for new year: નવા વર્ષમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમની આગાહી અનુસાર, જાન્યુઆરીમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે.

પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોધાવી; મહીલા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી | Complaint against husband and in-laws; Women police registered a case and took action

પંચમહાલ (ગોધરા)29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરા તાલુકાના ખોજલવાસા વણઝારા ફળિયામાં અને હાલ ગોધરા શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા પરિણીતાને તેના પતિ સહિત સાસરીપક્ષ દ્વારા અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી. જ્યારે તેના પતિ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખતા હોવાની જાણ પરિણીતાને થતા તેઓએ ગોધરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત સાસરિયા વિરુદ્ધમાં ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના તાડવા ગામે રહેતા જશોદાબેન સંજય વણઝારા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, શરૂઆતમાં લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી તેના પતિ સંજય સરદાર વણઝારા અન્ય બીજી સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા હતા. જેના લીધે પત્ની જશોદાબેને આડા સંબંધની જાણ થતાં તેણે પતિને આડા સબંધ બાબતે કહ્યું ત્યારે તેઓએ માં-બેનના અપશબ્દો બોલીને મારઝૂડ કરવા લાગ્યો હતો. જશોદાબેનના સસરા સરદાર વક્તા વણઝારા, સાસુ હંસા સરદાર વણઝારા, નણંદ મોનિકા સરદાર વણઝારા અને સપના ધર્મેશભાઈ વણઝારા આ તમામ મારા પતિને ચઢામણી કરી અવારનવાર મેણા ટોણા મારી દહેજ માટે ફોરવ્હીલર ગાડીની માંગણી કરતા હતા. જ્યારે સસરા સરદાર વક્તા વણઝારા હું ઘરમાં એકલી હોય ત્યારે અડપલા કરી હેરાન પરેશાન કરતા હતા. જેથી આખરે જશોદાબેને પતિ સહિત સાસરી પક્ષ વિરુદ્ધમાં ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહીલા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

This organization celebrates Greenathon Day every year to maintain the greenness of pastures. – News18 Gujarati

Salim chauhan, Anand: આણંદ વિદ્યાનગરમાં આવેલ વિદ્યાનગર નેચર ક્લબ પર્યાવરણને બચાવવા માટે ઉમદા કર્યો છેલ્લા ત્રીસ વર્ષથી કરે છે. છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા દ્વારા પર્યાવરણને લઈ લોકોમાં જાગૃતા ફેલાય તે માટે ગ્રીનેથોન નામની ઇવેન્ટ રાખવામાં આવે છે.

આ ઈવેન્ટ દર ફેબ્રુઆરીમાં 12 તારીખે યોજવામાં આવે છે. આ ઇવેન્ટમાં ચરોતરનાં વૃક્ષો પ્રત્યે લોકોને જાગૃતિ આવે અને આ ખાસ પ્રકારના વૃક્ષોનું લોકો જતન કરે તેવા હેતુંથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ રેસ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી 10 કિ.મીના અંતરે પરત શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે. આ ઈવેન્ટમાં ત્રણ હજારથી વધુ લોકો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં સાઈકલ સ્પર્ધા અને દોડ સ્પર્ધામાં લોકો જોડાશે.

આણંદના વિદ્યાનદરમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 12 તારીખે એક ગ્રીનેથોન રેસનું આયોજન કરવામાં આવે છે.આ રેસમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતું પર્યાવરણની રક્ષણ બાબતે હોય છે.

ચરોતર વિસ્તારમાં આવેલા વૃક્ષો અંગે લોકો માહિતગાર થાય અને તે વૃક્ષોનું રક્ષણ કરે તેવો મેસેજ લોકો સુધી આ ગ્રીનેથોન રેસ મારફતે આપવાનો પ્રયત્ન આ વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા કરવામાં આવે છે.

આમ તો ચરોતરનો વિસ્તાર લીલોતરી તરીકે પણ જાણીતો છે. અહીંયા ઠેર-ઠેર વૃક્ષો જોવા મળે છે અને આ વૃક્ષોનું લોકો જતન કરી અને જાળવણી પણ કરતા હોય છે. ત્યારે લોકોને આવા ઇવેન્ટ થકી ઉત્સાહમાં વધારો થાય તેવા હેતુંથી 12 ફ્રેબ્રુઆરીએ વિધાનગર નેચર ક્લબ દ્વાર ખાસ આયોજન પણ કરવામાં આવતું હોય છે.


વર્ષ 2023માં 12 ફ્રેબુઆરીએ આણંદના વિદ્યાનદરમાં નેચર ક્લબ દ્વારા રેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 હજારથી વધુ લોકો ગ્રીનેથોન રેસમાં ભાગ લેશે અને આ કાર્યક્રમને સકસેસફૂલ બનાવશે તેવું આ ક્લબ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ સંસ્થાની શરૂઆત ધવલભાઈ પટેલ દ્વાર કરવામાં આવી હતી આ સંસ્થાનો મુખ્ય ઉપદેશ છે કે ચરોતરનાં લોકો નેચર વિશે જાણે અને તેનુ જતન કરે 1988ની સાલમાં આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી.

ત્યારથી લઈને અત્યાર સુધી આ સંસ્થામાં અનેક લોકો જોડાયેલા છે જે ફ્રીમાં આ સંસ્થાને સેવા પૂરી પાડી સમાજમાં જાગૃતિ પણ ફેલાવે છે.

તમારા શહેરમાંથી (આણંદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Local 18, Marathon, Save Environment

વડોદરાના અલકાપુરીમાં બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી, મીટરમાં લાગેલી આગ પાંચમાં માળ સુધી પહોંચી ગઈ | A fire broke out in a building in Vadodara's Alkapuri, with meters of fire reaching the fifth floor

વડોદરા11 મિનિટ પહેલા

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમાં માળ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

લોકોમાં ગભરાટ જોવા મળ્યો
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી વિશ્વાસ કોલોનીમાં ટોટલ હેલ્થ સ્ટુડિયો આવેલો છે. આ સ્ટુડિયોમાં લાગેલા મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ બિલ્ડિંગના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો દોડીને બિલ્ડિંગની બહાર આવી ગયા હતા. મીટરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. આગના બનાવને પગલે આસપાસના રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી.

બિલ્ડિંગમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.

બિલ્ડિંગમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.

પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શરૂઆતમાં આગ મીટરમાં લાગી હતી, પરંતુ ધીમે ધીમે આગ બિલ્ડિંગના પાંચમાં માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ફાયર સેફ્ટીની સુવિધા અંગે પણ તપાસ શરૂ કરી છે.

અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી.

અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ ફાટી નીકળી હતી.

ફાયર સેફ્ટીની સુવિધાની તપાસ
અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા, ત્યારે મીટરોમાં આગ લાગેલી હતી અને આગ ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. અમે આવીને પાણીનો મારો ચલાવ્યો હતો. અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. નીચે કોર્મશિયલ છે અને ઉપર રેસિડેન્સિયલ બિલ્ડિંગ છે. ઉપર જે લોકો હતા, તે બધા નીચે આવી ગયા હતા. અમે ફાયર સેફ્ટીની સુવિધા અંગે તપાસ કરી રહ્યા છીએ.

મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમાં માળ સુધી પ્રસરી ગઈ હતી.

મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમાં માળ સુધી પ્રસરી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગના બનાવને પગલે આસપાસના રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા.

આગના બનાવને પગલે આસપાસના રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા.

આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

લોકો દોડીને બિલ્ડિંગની બહાર આવી ગયા હતા.

લોકો દોડીને બિલ્ડિંગની બહાર આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…

One person's stubbornness got Junagadh a science museum; Know what is the truth.apj – News18 Gujarati

Ashish Parmar, Junagadh: ઘણી વખત સાંભળવા મળે છે કે તમારી એક જીદ દુનિયાને બદલવા માટે કાફી છે ત્યારે જૂનાગઢનું આવેલું સાયન્સ મ્યુઝિયમ આજે એક વ્યક્તિની જીદથી અડીખમ ઊભું છે જૂનાગઢમાં રહેતા જયેન્દ્રસિંહ બી જાદવ કે જેઓએ જુનાગઢમાં સાયન્સ મ્યુઝિયમ બનાવવા માટે સંકલ્પ લીધેલો તેમના આ સંકલ્પને તેમના પરિવારજનોએ પણ સાત સહકાર નહોતો આપ્યો પરંતુ આજે આ સાયન્સ મ્યુઝિયમમાં કેટલાય વિદ્યાર્થીઓ રોજે આવે છે અને કંઈક નવું શીખીને જાય છે.

1998 માં કરવામાં આવી સાયન્સ મ્યુઝિયમની સ્થાપના

આ સાયન્સ મ્યુઝિયમની સ્થાપના 1998 માં કરવામાં આવી ત્યારબાદ આજ સુધી અલગ અલગ પ્રકારના સમયને આનુસંગિક ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં 3D મુવીઝ, ડાયનોસોર ગેમ્સ સહિતની અનેક સુવિધા વધારવામાં આવી છે અને વિદ્યાર્થીઓ અહીં જ્ઞાન લઈને જઈ રહ્યા છે બહારના જિલ્લાઓમાંથી હાલમાં અહીં પ્રવાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ખૂબ શીખવા મળી રહ્યું છે.

મ્યુઝિયમ ની સ્થાપના પહેલા અનેક જગ્યાએ એનાલિસિસ થયા

આ સાયન્સ મીડીયમ ની સ્થાપના કરતા પહેલા જયેન્દ્રસિંહ જાદવે ગુજરાતમાં આવેલા અલગ અલગ જગ્યાએ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન કઈ રીતે વધુમાં વધુ મળી શકે તે માટે દરેક સાયન્સ સિટીના મુલાકાત લઇ અને તેમના વિશે જાણકારી લીધી. ત્યારબાદ જૂનાગઢમાં સાયન્સ સીટી મ્યુઝિયમ ની સ્થાપના કરી અને આજે તેમના પૌત્ર સહિત દરેક લોકો અહીંનું સંચાલન કરી રહ્યા છે

જાણો શું છે અહીંની ફી

અહીં ફી માટે પણ નજીવા દર રાખવામાં આવ્યા છે અહીં કોઈ સ્વતંત્ર રીતે મુલાકાત લેવાય છે તો રેગ્યુલર ફી તથા કોઈ સંસ્થા પોતાના બાળકોને લઈને અહીં પ્રવાસ અર્થે આવે છે તો ફીની કિંમતમાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને અહીં ગમ્મત સાથે જ્ઞાનનો ખજાનો મળી રહે છે અને જે તે શાળાએથી પ્રવાસ લઈને આવેલા સંચાલકોને પોતાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન આપ્યાની ખુશી મળે છે.

અહીં કરી શકાય છે સંપર્ક

જો તમે પણ કોઈ શૈક્ષણિક પ્રવાસ લઈ અને તમારા વિદ્યાર્થીઓને અહીં લાવવા માંગો છો તો અહીંના સંપર્ક નંબર : 0285 2623565 પર સંપર્ક સાધી શકો છો અને માહિતી મેળવી શકો છો.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Junagadh news, Local 18, Museum

Vadodara: Two killed after falling from bridge, fear of accident after vehicle lost control

વડોદરા: થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યૂ યરના વેલકમ વચ્ચે વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ફતેગંજ બ્રિજ પરથી પટકાતાં બે લોકોના મોત નિપજ્યાં છે. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના બન્યાની આશંકા સેવાઇ રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મોડીરાત્રે અકસ્માત થયો હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી મૃતદેહને પી.એમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા છે.

અકસ્માત કેવી રીતે થયો?

વડોદરા સહિત રાજ્યમાં બે વર્ષ બાદ ભારે ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરાઇ હતી, ત્યાં જ અમુક ઘટનાઓને લીધે અરેરાટી ફેલાઇ છે. વડોદરામાં ન્યૂ યરની રાતે જ ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પટકાતા બે લોકોનાં મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે થયો? તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Accident News, Gujarat News, Vadoadara News


ઉમરેઠ ખાતે ‘કિશોરી મેળો’ યોજાયો, વિવિધ યોજનાઓ, કાયદા વિષયક જાણકારી આપવામાં આવી | A 'Kishori Melo' was held at Umreth, various schemes, legal information was given

આણંદ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના તથા “પુર્ણા” યોજનાના સંયુક્ત ઉપક્રમે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકા ટાઉનહોલ ખાતે ‘કિશોરી મેળો’ યોજવામાં આવ્યો હતો. કિશોરીઓને વિવિધ યોજનાઓ, કાયદા વિષયક જાણકારી આપવામાં આવી હતી.

આ મેળાનો પ્રારંભે ‘પુર્ણા’ કન્સલ્ટન્ટ નિધીબેન ઠક્કરે આઈ.સી.ડી.એસ અંતર્ગત પૂર્ણા યોજનાની કિશોરીઓને જાણકારી આપી હતી, જયારે જિલ્લા રોજગાર અધિકારીની કચેરીના કેરિયર કાઉન્સેલર ચેતનભાઈ મહેતાએ કિશોરીઓને શિક્ષણ, નોકરીની તકો, કૌશલ્ય વર્ધનના વિવિધ વિષયો પર માહિતી આપી માર્ગદર્શન પુરૂં પાડ્યુ હતું. મહિલા અને બાળ સુરક્ષા અધિકારી અને દહેજ પ્રતિબંધક રક્ષણ અધિકારી ફરજાનાખાને મહિલા કલ્યાણ હસ્તક કાર્યરત બેટી બચાવો-બેટી પઢાવો યોજનાની જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર કોમલબેન મહિડાએ કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે એનિમિયાના નિરાકરણ માટે લેવાતા પગલાં વિશે સમજ આપી હતી.

બાળ સુરક્ષા એકમ ચાઈલ્ડ પ્રોટેકશન ઓફિસર પાર્થ ઠકકરે કિશોરીઓ તથા બાળકોને લગતી વિવિધ સુરક્ષા યોજનાની અને કિશોરીઓ તથા બાળકોના હક અને કાયદા વિશે જ્યારે તાલુકા કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટ એ.એલ.પટેલે મફત કાનૂની સહાય તથા કિશોરીઓને લગતા કાયદાઓની જોગવાઈ જેવી કે ચાઇલ્ડ મેરેજ એક્ટ અને પોકસો એક્ટ વિશે જાણકારી પુરી પાડી હતી.

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશ ડાભીએ કિશોરીઓમાં શિક્ષણનું મહત્વ અને ઓપન સ્કૂલ માટેની તથા શી-ટીમના મહિલા એ.એસ.આઇ.એ કિશોરીઓને સ્વ-બચાવની તાલીમ અને તેનું મહત્વ સમજાવી કિશોરીઓને સ્ટેજ પર બોલાવી વિવિધ સ્વબચાવના ઉપાયો શિખવાડ્યા હતા.

સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ભુમિકા માણાવદરિયાએ સરકાર દ્વારા ચાલતા વિવિધ આઇ.ટી.આઇ અને કે.વી.કે. ના કોર્ષની અને લીડ બેંકના ચીફ મેનેજર પ્રદીપ ચૌહાણે બેંકમાં કેવી રીતે ખાતું ખોલવું, પોસ્ટમાં ચાલતી વિવિધ યોજના અને અન્ય બેંકિંગ સેવાઓ વિશે જાણકારી આપી હતી.

કાર્યક્રમમા ઉપસ્થિત તમામ અધિકારીઓ દ્વારા કિશોરીઓને તેમના હક જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાથ્ય, દિકરા અને દિકરીના ભેદભાવ રહિત સમાજ ની સ્થાપના કરીશુંના શપથ લેવડાવીને બોર્ડ ઉપર હસ્તાક્ષર કરાવવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં પોષણના મહત્વને કિશોરીના ઘરની આસ-પાસ સારી રીતે પોષણ વાટીકા (કિચન ગાર્ડન) બનાવી શકાય તેની સાથે સાથે “ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ-2023″ ની જાણકારી આપી સ્થાનિક ઉપલબ્ધ મિલેટ જેવા કે રાગી, બાજરા, જુવાર વગેરેનું શારીરિક અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ વિભાગના વિરેનભાઇએ કિશોરીઓને સાયબર ક્રાઇમ શું છે અને તેનાથી બચવા શું કરવુ તે વિષય પર વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસર કલ્પનાબેન પટેલએ સ્વાગત પ્રવચન જ્યારે કાર્યક્રમના અંતે માલતીબેન એમ.પઢિયારે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમા ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ, ખેતીવાડી, બાગાયત, રોજગાર કચેરીના તેમજ અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કચેરીના કર્મચારીઓ તથા કિશોરીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Surat: A video of a policeman's has gone viral, hitting a man with stick and slap

Surat policeman video viral: સુરતમાં પોલીસ જવાનની ગુંડાગીરી. બે પોલીસકર્મીની બર્બરતાનો વીડિયો વાયરલ. એક વ્યક્તિને રસ્તે ઢસડી-ઢસડીને માર્યો.

ગાંધીનગરનાં ઈન્ફોસિટીમાં 'મોડી રાત સુધી કાફે કેમ ચાલું રાખ્યું' કહી ત્રણ ઈસમોએ સંચાલકને ફિલ્મી ઢબે દોડાવી દોડાવીને ઢોર માર માર્યો | In Gandhinagar's Infocity, three youths chased the manager and beat him to death by asking 'Why is the cafe open till late night'?

ગાંધીનગર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરનાં ઈન્ફોસિટીમાં આવેલા ધ રોડ સાઈડ નામના કાફેનાં સંચાલકને ગઈકાલે થર્ટી ફર્સ્ટની રાત્રે મોડી રાત સુધી કાફે કેમ ચાલું રાખ્યું એમ કહીને ત્રણ ઈસમોએ દોડાવી દોડાવી ઢોર માર મારતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્રણેય હુમલાખોરોથી બચવા સંચાલકે ઈન્ફોસિટીથી ડીએઆઇઆઇસીટી કોલેજ સુધી બચાવો બચાવોની બૂમો પાડીને દોટ લગાવી હતી. જ્યાં પણ ત્રણેય હુમલાખોરોએ તેને આંતરીને ધોઈ નાખ્યો હતો. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફિલ્મી ઢબે દોડાવી દોડાવીને ઢોર માર માર્યો
ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી લઇને પોલીસે ઘડી કાઢેલા એક્શનપ્લાનનાં ધજાગરા ઉડાવી ગઈકાલે રાત્રે ત્રણ ઈસમોએ કાફેના સંચાલકને ફિલ્મી ઢબે દોડાવી દોડાવીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસના ચોપડે દાખલ કરવામાં આવી છે.

મોડી રાત સુધી કાફે ચાલુ રાખવા મામલે માર માર્યો
મહેસાણાનાં વિજાપુરનો મૂળ વતની હેનિલ વિરલભાઇ કંસારા હિંમતનગર ખાતે પોલીટેકનિક કોલેજમાં કોમ્પ્યુટર આઈટીનો અભ્યાસ કરે છે અને સાથે સાથે ઇન્ફોસીટી ખાતે ધ રોડ સાઇડ નામે કેફે કૌટુંબિક ભાઇ મિહીર નરેશભાઇ કંસારા સાથે ભાગીદારીમાં ચલાવે છે. ગઈકાલ રાત્રીના બંને પિતરાઈ ભાઈઓ કાફે ખાતે હિસાબના ચોપડા લેવા માટે મિત્રની કાર લઈને ગયા હતા. તે વખતે હેનિલનો ઓળખીતો હિતેશ વિનુભાઇ પટેલ હાથમાં ધોકો લઈ તેમજ વિશાલ જાની સાથે અન્ય એક ઈસમ કાફે પર ગયા હતા અને અત્યાર સુધી કાફે શા માટે ચાલુ રાખ્યું છે કહીને હિતેશ લાકડાના ધોકાથી માર મારવા લાગ્યો હતો.
ગાડીના કાચ પણ તોડી નાખ્યાં
જ્યારે અન્ય બે ઈસમો બિભત્સ ગાળા ગાળી કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ જોઈને હેનિલનો ભાઈ ગભરાઈને બચાવો બચાવોની બૂમો પાડીને ભાગી ગયો હતો. હિતેશે ધોકા મારીને ગાડીના કાચ પણ તોડી નાખ્યાં હતાં. જેનાં પગલે હેનિલ કાફેથી ડીએઆઇઆઇસીટી કોલેજ તરફ બચાવો બચાવોની બુમો પાડતો પાડતો ભાગ્યો હતો. જેને પકડવા માટે ત્રણેય ઈસમોએ ફિલ્મી ઢબે પીછો કરીને કોલેજના ગેટ પાસે હેનિલને આંતરી લીધો હતો.બાદમાં ત્રણેય ઈસમો ભેગા થઈને હેનિલને ઢોર માર મારવા લાગ્યા હતા.
​​​​​​​ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
આ દરમિયાન આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ જતાં ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ દોડી ગઈ હતી અને ઉક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

આણંદ: ત્રિપલ અકસ્માત બાદ કારમાં લાગી આગ, 1નું મોત, 4 ઘાયલ

Anand Triple Accident: આણંદમાં ત્રિપલ અકસ્માત. પીકઅપ ટેમ્પોએ કારને ટકકર મારી. અકસ્માત બાદ કારમાં આગ લાગી.

​​​​​​​સુરતમાં યુવાનોએ 2023ના વર્ષને રક્તદાન કરીને આવકાર્યુ, વર્ષના પ્રથમ રક્તદાતા બનવાનો ગર્વ અનુભવ્યો | ​​​​​​​Youth in Surat welcomed the year 2023 by donating blood, proud to be the first blood donor of the year

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ​​​​​​​Youth In Surat Welcomed The Year 2023 By Donating Blood, Proud To Be The First Blood Donor Of The Year

​​​​​​​સુરત9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
યુવાનોએ પોતાના લોહીનું દાન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. - Divya Bhaskar

યુવાનોએ પોતાના લોહીનું દાન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.

સુરતીઓ દરેક વાર તહેવારને અનોખી રીતે ઉજવવા માટે જાણીતા છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને ઘણા યુવાનોએ અડધી રાતે 2023ના વર્ષને નાચી ગાઈને આવકાર્યું છે. ત્યારે સુરતમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતાં યુવાનોના ગ્રુપ દ્વારા રક્તદાનને મહાદાનના સંદેશને સાર્થક કરતાં 2023ના વર્ષને રક્તદાન કરીને આવકાર્યું છે. સાથે વર્ષ 2023ના પ્રથમ રક્તદાતા શહેરમાં બનવાનો પણ ગર્વ વ્યક્ત કર્યો હતો.

રક્તદાન સમયની માગ
રક્તદાન કરનાર કલ્પેશભાઈ વાઘણી, પ્રશાંત બોરડા અને સાગર ભાદાણી સહિતના યુવાનોએ કહ્યું કે, માણસ આજે લેબોરેટરીમાં બધુ જ બનાવી શકે છે. પરંતુ લોહી બનાવી શકતો નથી. જ્યારે થેલેસેમિયાથી લઈને ઘણા લોકોને અને સારવાર કે ઓપરેશન વખતે લોહીની જરૂરીયાત ઉભી થતી હોય છે. ત્યારે બ્લડબેંકમાં અમે સમયાંતરે રક્તદાન કરીએ છીએ. પરંતુ ઉમદા રાષ્ટ્ર ત્યારે જ થશે જ્યારે સમાજ સશક્ત હશે. અમે આ ભાવના સાથે જ રક્તદાન કરીને કંઈક ગર્વની લાગણી વ્યક્ત કરી રહ્યાં છીએ.

ખરા અર્થમાં ઉજવણી
કલ્પેશ વાઘાણીએ કહ્યું કે,રક્તદાન કરવું એ એક ખૂબ જ ઉમદા ઉદ્દેશ્ય છે અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ તેમજ સેવા અને સહયોગની પરંપરાને જોતા, હું દેશવ્યાપી મહા સ્વૈચ્છિક રક્તદાન અભિયાન- રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે તમામ નાગરિકોને આગળ આવવા અને સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે અનુરોધ કરું છું.

અન્ય સમાચારો પણ છે…

રાજ્યમાં ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું, હજુ કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર

Gujarat Weather Forecast: રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એક જ રાતમાં પારો 3 ડિગ્રી સુધી ગગડતાં કડકતી ઠંડીનો અહેસાસ. 12 શહેરોમાં ઠંડી વધી છે. હજુ પારો ગગડશે.

PM મોદીનાં માતા હીરાબાનું વડનગરમાં બેસણું,સંજય જોશી, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પહોંચ્યા | Prime Minister Narendra Modi's mother Heeraba will sit in Vadnagar today

મહેસાણા4 મિનિટ પહેલા

  • વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓએ વડનગર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. ત્યારે વડનગરમાં આજે હીરાબાનું બેસણું છે. વડનગરમાં સવારથી જ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટી રહ્યા છે. હીરાબાના નિધનને પગલે વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપી છે. વડનગરમાં આજે હીરાબાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ વડનગર શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ પહોંચ્યા.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ પહોંચ્યા.

સેક્ટર 30ના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. સેક્ટર 30 સ્મશાનમાં હીરાબાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતા. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા પણ કહ્યું હતું.

હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી
વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાએ શુક્રવારે અમદાવાદમાં અંતિમશ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેઓ 100 વર્ષનાં હતાં. હીરાબાના નિધનના સમાચાર સામે આવતાં જ દેશભરના નેતાઓએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોદીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી હતી.

મોદીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી હતી.

વડાપ્રધાન મોદી તેમની માતા સાથે.

વડાપ્રધાન મોદી તેમની માતા સાથે.

અન્ય સમાચારો પણ છે…