All of our staff are certified and receive annual training – so you can rest assured we’re up to speed on the latest trends. Our goal is to help you feel better by looking your best. Book an appointment today!
Here’s the most important thing you need to know: we’re more than just a marketing agency. We help small businesses to realize their full growth potential, and we’re invested in their success.
Since 2017
Acme Marketing was founded by Leah Robinson in New York City.
14 Experts
We’re super proud of our diverse and talented team.
3 Countries
We work with hundreds of businesses just like yours.
Our team is driven by your success. Every single day, we’ll support your business and help you to succeed.
Our History
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat. Duis aute irure dolor in reprehenderit in voluptate velit esse cillum dolore eu fugiat nulla pariatur. Excepteur sint occaecat cupidatat non proident, sunt in culpa qui officia deserunt mollit anim id est laborum.
Our Promise
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.
વડોદરા જિલ્લાના કરજણના બામણગામમાં નિર્માણાધિન મકાન ધરાશાયી થઈ ગયું છે, જેમાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં 2 વર્ષના બાળકનો બચાવ થયો છે.
મકાનની દિવાલ ધરાશાયી વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલા બામણગામના પટેલ ફળિયામાં પટેલ જીતેન્દ્રભાઈ મનુભાઈના મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આજે બપોરના સમયે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેને પગલે કામ કરતા 3 જેટલા શ્રમિકો દબાયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તુંરત જ કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત થયું.
શ્રમિકનું મોત દુર્ઘટનામાં શ્રમિક રાજુ નવલસિંહ નાયક (ઉ.35), (રહે. પાધરા, તા. ઘોઘંબા, જિ. પંચમહાલ)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે દિપસિંહ લક્ષ્મણ બારીયા (ઉ.40)ને ઇજા થતાં કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2 વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો હતો.
એક શ્રમિક ઇજાગ્રસ્ત.
શ્રમિકોની સુરક્ષાને લઈને સવાલો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ બેજવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Parth Patel, Ahmedabad: બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. આ શબ્દો છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના. તેઓ હંમેશા બાળકોના સંસ્કાર પ્રત્યે ખૂબ જ ધ્યાન આપતા. બાળકને સંસ્કાર આપવાની રીત જાણવી જરૂરી છે. બધાને એક અસ્ત્રાથી ન મુંડાય.
પ્રમુખસ્વામીએ બાળકોના તમામ ભવ પૂરા કરી માગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે
જેમ ઘરનો ઓરડો સાફ કરવાની સાવરણી જુદી હોય, આંગણું સાફ કરવાનો સાવરણો જુદો હોય, ઘર આગળનો રસ્તો સાફ કરવાનો સાવરણો પણ જુદો હોય તથા કપડાં સાફ કરવાનું બ્રશ જુદુ ને દાંત સાફ કરવાનું બ્રશ જુદું. તેમ બાળકને પણ સંસ્કાર આપવાની રીત જુદી હોય તે આપણે જાણવી જોઈએ.
પ્રમુખસ્વામી મહારાજની સંસ્કારસિંચન કરવાની રીત કંઈક જુદી હતી. પ્રમુખસ્વામીએ બાળકોના તમામ ભવ પૂરા કર્યા છે. તમામ મગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે.
આપનું આસન બહુ ઊંચું છે તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં
એક વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા હરિભક્તો લાઇનમાં આવી રહ્યા હતા. આ દરમ્યાન એક બાળક આવ્યો. પ્રમુખસ્વામી મહારાજને ચિઠ્ઠી આપી નીકળી ગયો. ચિઠ્ઠી પ્રમુખસ્વામી મહરાજે સાચવી રાખી. એમાં લખ્યું હતું કે આપનું આસન બહુ ઊંચું છે તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં. તરત જ આયોજક સંતોને બોલવી સૂચના આપી હવેથી મારું આસન નીચું રાખવું. જેથી બાળકોને પણ વ્યવસ્થિત મળી શકાય.
પ્રમુખસ્વામી મહારાજ માટે બાળક-વૃદ્ધ, અમીર-ગરીબ, આદિવાસી-અમેરિકાવાસી બધા એક સમાન હતા. તમામને એક સરખો પ્રેમ અને હુંફ આપતા. પ્રમુખસ્વામી મહારાજ દેવગઢબારિયા બાજુ વિચરણ કરી રહ્યા હતા. એક દિવસ મલાવ ગામના શંભુ નામના બાળકે પ્રમુખસ્વામી મહારાજને તેના ઘરે પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું.
સાંજના સમયે દેવગઢબારિયાથી નીકળી આગળના વિચરણ માટે જવા નીકળ્યા ત્યારે મલાવ ગામ થઈને ગાડી ચલાવવા પ્રમુખસ્વામી મહારાજે ચાલકને કહ્યું. રાતનો સમય અને રસ્તો પણ ખરાબ છતાં પ્રમુખસ્વામી મહારાજે શંભુના ઘરે પધરામણી કરી અને એક નાના સામાન્ય પરિવારના બાળકને રાજી કર્યો. કારણ કે પ્રમુખસ્વામીને સંસ્કારી બાળકો તૈયાર કરવા હતા.
આવી રીતે બાળકોના મન સાચવતા, રમાડતા, જમાડતા અને સાથે સાથે સંસ્કાર અને સદાચારના ગુણોનું સિંચન કરતાં. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે તમે તમારા બાળકને સંસ્કાર આપો. જો આપણે સંસ્કાર નહિ આપીએ તો બાળક આપણા લાખ રૂપિયાને પણ ખાખ કરતાં વાર નહિ લગાડે.
કોઈને પૂછ્યા વગર કોઈ વસ્તુ લેવી તે ચોરી કહેવાય
પ્રમુખસ્વામી મહરાજ લંડનમાં બિરાજમાન હતા. આ સમયે એક તિલક નામના બાળકને વિચાર આવ્યો કે પ્રમુખસ્વામી મહારાજની પૂજામાં જે પુષ્પો આવે છે તેની સેવા આપણે કરવી છે. આજુબાજુના બધા ઘરોમાં ફરીને તેમનો સંપર્ક કરીને બધા ઘરેથી થોડા થોડા ફૂલ લેવા માટે નક્કી કર્યું. એક દિવસ વધારે ફૂલો આવતા પ્રમુખસ્વામી મહારાજે તિલકને પૂછ્યું કે આજે કેમ વધારે ફૂલ છે.
ત્યારે આ બાળકે કહ્યું કે આજે બીજા ફૂલો ખીલ્યા હતા. જે લઈ આવ્યા. ત્યારે પ્રમુખસ્વામી મહરાજે પૂછ્યું કે માલિકને પૂછીને લીધા કે પૂછ્યા વગર. ત્યારે બાળક કંઈ જવાબ ના આપી શક્યો અને માથું નીચું કરીને ઊભો રહ્યો. આ સમયે પ્રમુખસ્વામી મહારાજે પ્રેમથી બાળકને સમજાવતા કહ્યું કે પૂછ્યા વગર લેવું તે ચોરી કહેવાય.
આ બાળકને ટેબલ ટેનિસ રમવાનો ખૂબ શોખ હતો. એક દિવસ આ બાળક ટેબલ ટેનિસના બોલ લેવા માટે દુકાન પર જાય છે. દુકાન પર કોઈ હતું નહીં અને બાળકને ઉતાવળ હતી. એટલે પ્રથમ બાળમાનસથી વિચારતા બોલ લઈ ખિસ્સામાં નાખવાનો પ્રયત્ન કર્યો. ત્યારે બાળકને પ્રમુખસ્વામીના એ વચનો યાદ આવ્યા અને બોલ મૂકી દીધો. આ બાળક મોટો થઈને સાધુ બન્યો. આ બાળક એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી.
આમ પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેમપૂર્વક સાચવતા અને સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરતાં. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આવા હજારો બાળકોને હૂંફ અને પ્રેમ આપી સંસ્કારોનું સિંચન કર્યું છે. એક કાચનો ગ્લાસ નંદવાય નહિ તે માટે કેટલા સજાગ રહીએ છીએ. તો આપણા બાળકના સંસ્કારો નંદવાય નહિ તેની થોડી પણ દરકાર નહિ? માટે મા-બાપે જાગ્રત થઈ બાળકના સંસ્કાર માટે કટિબદ્ધ થવાનું હોય છે. બાળકની પ્રગતિ કે અધોગતિ માટે મા-બાપ પણ જવાબદાર નીવડે છે.
પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સંસ્કાર સિંચવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. એક માતા-પિતાની જેમ જ વાણી, વિવેક, ચોરી ન કરવી, સ્વાવલંબી જીવન, આદર્શ વર્તન, એકતા, સાદગી, કુસંગ, ત્યાગ, માતા-પિતા અને વડીલોનો આદર અને ચારિત્ર્યવાન બનવું. આવા કંઇક કેટલાય સંસ્કાર પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સિંચ્યા છે.
આજ કાર્ય આજે પ્રગટ બ્રહ્નસ્વરૂપ પ. પૂ. મહંતસ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. અહીં પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 15,000 જેટલા બાળકો આજે શતાબ્દી મહોત્સવની સેવામાં પણ કાર્યરત થાય છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ બાળકોમાં સંસ્કારના સિંચન થાય તે માટે વિશાળ બાળનગરીની પણ રચના કરવામાં આવી છે.
અહીં પ્રદર્શિત કરવામાં આવતી વિવિધ કૃતિઓથી પ્રેરિત થઈ અહીં 15,000 વધુ બાળકોએ માતા-પિતાને આદર કરવો, ભગવાનને પ્રાર્થના કરવી, સારા પુસ્તકોનું વાંચન કરવું, ઈન્ટરનેટ અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સારો અભ્યાસ કરવો વગેરે નિયમો ગ્રહણ કર્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હવામાન સુકૂં રહેશે. હાલ વરસાદની કોઇ આગાહી કરી નથી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, જાન્યુઆરીમાં વરસાદ વરસી શકે છે.
સુરતના અડાજણ વિસ્તારમાં 19મી તારીખે કેબલ બ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન થઈ ગયા હતા. બાળકને બ્રિજ ઉપર મૂકી ગયા હોવાના સીસીટીવી સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. માત્ર 25 દિવસના જન્મેલા બાળકને નિષ્ફળતાપૂર્વક બ્રિજ ઉપર છોડી જવાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આખરે અડાજણ પોલીસે સતત તપાસનો દોર શરૂ રાખ્યો હતો. તે બાદની મદદથી પાલનપુર જકાતનાકા પાસેથી માતા પિતાને ઝડપી લાવ્યા હતા.
પોલીસે આરોપી માતા પિતાને ઝડપી પાડ્યા હતાં.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકને મૂકી જનારા પતિ પત્ની વલસાડ તરફ ટ્રેનમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ બાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતા. મુંબઈ ગયા બાદ ત્યાં થોડા દિવસ રહીને તેઓ ફરીથી સુરત આવી ગયા હતા. સુરત આવતાની સાથે જ તેઓ ફરીથી પાલનપુર જકાતનાકા પાસે જ્યાં બધા કામદારો કામ માટે એકત્રિત થાય છે. ત્યાં આવ્યા હતા અને ત્યાં બાતમીદારે પોલીસને માહિતી આપતા પોલીસે તેમને ઝડપી લીધા હતા.
બાતમીના આધારે બન્ને ઝડપાયા હતા.
આર્થિક સંકળામણના કારણે બાળક ત્યજ્યું અડાજણ પોલીસે ઝડપી લીધેલા માતા પિતા મૂળ મહેસાણાના રહેવાસી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેમની સાથે થયેલી વાતચીતમાં શ્રમિક દંપતીએ જણાવ્યું કે, તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકની માતા કામ કરતી ન હોવાને કારણે માત્ર પછી જ કામ કરતો હતો અને મજૂરી કરીને રોજ રૂપિયા લાવતો હતો. આવી સ્થિતિમાં બાળકનું ભરણ પોષણ કરવું તેમના માટે ખૂબ જ કપરૂ હતું. તેથી તેઓ લાચાર થઈને પોતાના બાળકને જ ત્યજવાનો નિર્ણય લીધો હતો. આ પ્રકારનું નિવેદન તેઓ હાલ પોલીસને આપી રહ્યા છે.
આર્થિક સંકડામણનું બ્હાનું બન્નેએ સામે ધર્યું હતું.
સીસીટીવીના આધારે ઓળખ થઈ ઘટના બનતાની સાથે જ અડાજણ પોલીસે અલગ અલગ સ્થળના 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સુરત રેલવે સ્ટેશન ઉપર જ્યારે આ દંપતી પહોંચ્યું હતું. ત્યારે તેમના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. ત્યારે નક્કી થયું હતું કે, આ કામદાર છે અને તેઓ એ જ આ બાળકને બ્રિજ ઉપર મૂક્યું છે. વલસાડ બાદ મુંબઈ જતા રહેતા પોલીસ માટે પણ શોધું કપરું હતું. પરંતુ આખરે તેઓ ફરીથી સુરતમાં આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. બાળક હજી પણ સિવિલ હોસ્પિટલમાં શી ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત રોટરી ક્લબ ડીસા ડિવાઇનની મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. જિલ્લામાં વસવાટ કરતા વિચરતી જ્ઞાતિના પરિવારોના બાળકો શાળા ઓમાં અભ્યાસ કરી શકે તે માટે રોટરી ક્લબ ડિવાઇનની મહિલાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં 32 બાળકો શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને 10 બાળકોને શાળામાં એડમિશન કરાવી શાળાએ મોકલવામાં આવ્યા છે.
રોટરી ક્લબ ડીસા ડિવાઇનની સ્થાપના 15/9/2020 માં થઈ હતી .આ ક્લબ એક ઇન્ટરનેશનલ રોટરી સંસ્થાનો ભાગ છે .આ ક્લબ ફક્ત બહેનોની ક્લબ છે. જેમાં 25 બહેનો કાર્યરત છે. આ સંસ્થા અનેક સેવાકીય કાર્યો કરે છે. ખાસ કરીને શિક્ષણ અને દીકરીઓમાં જાગૃતિ આવે તે દિશામાં સંસ્થાના બહેનો કામ કરી રહી છે.
વિચરતી વિમુક્તિ જ્ઞાતિના બાળકો માટે શાળા શરૂ કરી
રોટરી ડીવાઇનના પ્રમુખ ડો.બિનલબેન માળીએ જણાવ્યું હતું કે, વિચરતી જાતીના બાળકો માટે એક સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ આશાકિરણ રાખવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિચરતી જ્ઞાતિના બાળકોને શિક્ષણ મળે તેવો છે. તેમજ બાળકોને લખતા, વાંચતા અને સારા સંસ્કાર આપી શાળામાં પ્રવેશ અપાવવા પ્રયત્ન કરવામાં આવે છે.
આ ઉદેશ સાથે આશા કિરણ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે. બાળકોને સ્કૂલ યુનિફોર્મ સ્કૂલબેગ પુસ્તકો, નાસ્તો, પાણીની બોટલ, સ્લીપર, સ્વેટર આપવામાં આવે છે. તેમજ તહેવારોની ઉજવણી કરવવામાં આવે છે.
આ બાળકોને સારું શિક્ષણ મળે તે માટે એક શિક્ષક રાખ્યા છે.શિક્ષકને પગાર રોટરી ડીવાઇનની સંસ્થાની બહેનો દ્વારા આપવામાં આવે છે. તેમજ 32 બાળકો નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.જેમાંથી 10 બાળકોને તૈયાર કરી શાળામાં એડમિશન અપાવ્યું છે.
કિશોરીઓને ગુડ ટચ અને બેડ ટચનું માર્ગદર્શન
રોટરી ડીવાઈનના મંત્રી હીનલબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સંસ્થાની બહેનો દ્વારા સૌપ્રથમ બાળકોના માતા પિતાને સમજાવવામાં આવ્યા અને તેમને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સહમતી લેવામાં આવી હતી.
ડીસામાં નવા બસ સ્ટેન્ડની બાજુમાં સાંજે 5થી 6 દરમિયાન સ્કૂલ ચાલે છે. જેમાં અત્યારે 32 બાળકો આવે છે. આ ઉપરાંત દીકરીઓને લગતું માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં કિશોર અવસ્થામાં ઉદ્ભવતા પ્રશ્નોની ચર્ચા, સમજણ શક્તિ, સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવે છે. તેમજ બાળકોને ગુડ ટચ અને બેડ ટચ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
બનાસકાંઠા
બનાસકાંઠા
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 3જી જાન્યુઆરી 2023થી 4 દિવસીય રણજી ટ્રોફી મેચનો પ્રારંભ થયો છે. ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ યોજાઇ રહી છે. પંજાબની ટીમે ટોસ જીતી બેટિંગની શરૂઆત કરી છે. ગુજરાતની ટીમની હોમ પિચ તરીકે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયામને ગણવામાં આવે છે. વલસાડ જિલ્લાના 2 ખેલાડીઓ આ મેચમાં ગુજરાતની ટીમમાંથી રમી રહ્યા છે. જેથી વલસાડના ક્રિકેટ રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી 4 દિવસીય રણજી ટ્રોફી ટુર્નામેન્ટની મેચ વલસાડમાં યોજાઈ રહી છે. વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી મેચમાં ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. પંજાબની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતની આ ટુર્નામેન્ટમાં ચોથી મેચ જ્યારે પંજાબની ત્રીજી મેચ રમશે. પંજાબ અગાઉ આ સીઝનમાં 1 મેચ હારી ગયું હોવાથી પંજાબની ટીમ આ મેચ જીતવા તમામ પ્રયાસો સાથે મેચ રમશે. ગુજરાતની ટીમ આ સીઝનમાં એકપણ મેચ હર્યું નથી. વલસાડ જિલ્લાના 2 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમી રહ્યા છે. અરઝાન નાગવાસવાલા અને તેજસ પટેલ વલસાડના ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
આ ટુર્નામેન્ટમાં પંજાબ અને ગુજરાતના IPLના સ્ટાર ખેલાડીઓ પણ રણજી ટ્રોફીમાં રમવા આવ્યા હોવાથી બંને ટીમ વચ્ચે રસાકસી ભરેલી મેચ બની રહેશે. ગુજરાતની ટીમમાંથી પ્રિયંક પંચાલ, અરઝાન નાગવાસવાલા, હેત પટેલ, સિદ્ધાર્થ દેસાઈ,ચિંતન ગજા રમી રહ્યા છે. જ્યારે પંજાબની ટીમમાંથી અભિષેક શર્મા, મનદીપ સિંઘ, સિદ્ધાર્થ કોલ, મયંક માર્કંડે, હરપ્રિત બ્રાર જેવા સ્ટાર ખેલાડીઓ પંજાબની ટીમમાંથી રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટની મેચ જીતવા પંજાબ મરણિયા પ્રયાસો કરશે. જ્યારે ગુજરાત આ મેચમાં પોતાનો દબદબો જાળવી રાખવા મેચ જીતવાનો પ્રયાસ કરશે અને આ મેચ દર્શકો માટે રસપ્રદ અને આકર્ષણ રહ્યું છે.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીના થોડા વર્ષ પહેલા જ આણંદ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતીએ પતિના ફોનમાં કોઇ છોકરીનો ફોન આવ્યો હોવાનું જાણતા તેણે તેના પતિને તે બાબતે પૂછ્યું હતું. જેથી પતિ આવેશમાં આવી ગયો હતો. જોકે યુવતીને જાણ થઇ કે, તેમના નિકાહ પહેલા જ પતિને તે છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ ફરિયાદ યુવતીને તેની સાસુને કરતા તેની સાસુએ ઉડાઉ જવાબ આપીને મારો દીકરો દિવસમાં 10 છોકરીઓ સાથે સૂતો હોય પણ રાત્રે તો તારી પાસે આવે છે ને કહીને દીકરાનો પક્ષ લીધો હતો. બાદમાં પતિ ને નણંદ ભેગા મળી દહેજ માંગી યુવતીને માર મારી ત્રાસ આપતા અને પતિએ પણ ત્રણ વાર તલાક કહી દેતા આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન આણંદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. વર્ષ 2022 માં મુસ્લિમ રિવાજ મુજબ આ યુવતીના લગ્ન થયા બાદ તે તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના બે દિવસ બાદ તેના પતિના ફોન ઉપર એક છોકરીનો ફોન આવ્યો હતો. જે બાબતે યુવતીએ તેના પતિને પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે તેના પતિને લગ્ન પહેલેથી જ તે છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે યુવતીએ તેની સાસુને ફરિયાદ કરતા સાસુએ કહ્યું કે ‘મારો દીકરો દિવસમાં 10 છોકરીઓ સાથે સૂતો હોય પણ રાત્રે તો તારી પાસે આવે છે ને’ તેમ કહી તેમના દીકરાનું ઉપરાણું લઇ યુવતી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
થોડા દિવસ બાદ યુવતીની નણંદ કે જે સાસરીમાંથી રિસાઈને આવી હતી તે તમામ લોકોએ ભેગા મળી ઘરકામ બાબતે યુવતી સાથે બબાલ કરી તેને માર્યો હતો અને દહેજમાં કંઈ લાવી નથી અમે અમારી દીકરીઓને કેટલું બધું આપ્યું છે તેમ કહી દસ લાખ રૂપિયા લઈ આવવા માંગણી કરી હતી.
યુવતીએ દહેજ લાવવાની ના પાડતા તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને માર મારવા લાગ્યો હતો. જેમાં તેની નણંદ પણ સામેલ હતી અને બંને હાથ નણંદે પકડી રાખતા તેના પતિએ તેને માર મારી મૌખિક ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
સમગ્ર બાબતને લઈને યુવતીના પતિએ અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. પરંતુ યુવતીએ હિંમત એક કરીને સમગ્ર બાબતને લઈને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.