Tuesday, December 27, 2022

માણસા-વિજાપુર રોડ માર્ગ અકસ્માતમાં પિતાનું મોત થતાં પુત્રએ કહ્યું, -'કેનેડામાં હિમવર્ષા વર્ષા હોવાથી આવીશ નહીં, બધા ભેગા થઈ અંતિમ વિધિ કરી દો' | After the death of the father in the Mansa-Bijapur road accident, the son said, 'I will not come to Canada as it is snowing, everyone should gather and perform the last rites'.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • After The Death Of The Father In The Mansa Bijapur Road Accident, The Son Said, ‘I Will Not Come To Canada As It Is Snowing, Everyone Should Gather And Perform The Last Rites’.

ગાંધીનગર41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

માણસા વિજાપુર રોડ ઉપર બમ્પ કૂદીને કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ પિતાનું મોત નિપજતા લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી. ત્યારે પુત્રએ કેનેડામાં ભારે હિમવર્ષા હોવાથી આવી શકીશ નહીં બધા ભેગા મળીને પિતાની અંતિમ ક્રિયા કરી દેવા માટે લાચારી વ્યક્ત કરી હતી. આ મામલે માણસા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ મુકામે રહેતા શર્મિષ્ઠાબેન રજનીકાન્ત પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 25 મી ડિસેમ્બરના રોજ સવારે સાતેક વાગે તેઓ તેમના કુટુંબી મામા હસમુખભાઈ નરોત્તમદાસ પટેલ સાથે અમદાવાદ રાધાસ્વામી સત્સંગમાં દર્શન કરવા ગયા હતા. અને દર્શન કરી બપોરના અઢી વાગ્યાની આસપાસ કારમાં અમદાવાદથી માણસા થઈ ગેરીતા કોલવડા દર્શનાર્થે જતા હતા. તે વખતે માણસા વિજાપુ૨ રોડ ઉપર ભાગ્યોદય હોટલ નજીક પહોચતા હસમુખભાઈએ પોતાની ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બમ્પ કુદાવી દીધો હતો. જેનાં કારણે તેમણે ગાડીના સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દઈ ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં હસમુખભાઈને છાત્તીના ભાગે સ્ટેરીંગ અથડાતા શરીરે ઈજા થતા નાકમાંથી લોહી આવવા લાગ્યું હતું. અને તે બેભાન જેવા થઈ ગયા હતા.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં લોકોની મદદથી શર્મિષ્ઠાબેન ઈજાગ્રસ્ત હસમુખભાઇને માણસાની હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન હસમુખભાઇનું અવસાન થયું હતું. ત્યારે હસમુખભાઈનો દીકરો જયદીપ કેનેડામાં રહેતો હોવાથી તેના આવવાની રાહ જોવી પડે એમ હતી. જેથી પરિવારના લોકોએ હસમુખભાઈ લાશને મહેસાણા લાયસન્સ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખી હતી.

બાદમાં જયદિપનો સંપર્ક કરતા તેણે જણાવેલ કે અહિયા બરફ વધારે પડેલ હોવાથી ટિકિટ મળી શકે નથી. હુ આવી શકીશ નહીં તમો બધા ભેગા મળીને પિતાની અંતિમ ક્રિયા પૂરી કરી દો તેવી લાચારી વ્યક્ત કરી હતી. આથી પરિવારજનોએ મૃતકની અંતિમ ક્રિયા કરી હતી. આ અંગે માણસા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: