Wednesday, January 18, 2023

યુવકે અમદાવાદ અટલ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો

અમદાવાદ: શહેરનો અટલ બ્રિજ ફરવાનાં સ્થળોમાં હાલ લોકોનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. ત્યારે મંગળવારે મોડી સાંજે અહીં ગોઝારી ઘટના ઘટી છે. આ બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવ્યું હતુ. જે બાદ ફાયર બ્રિગેડ આ યુવકને શોધતા બે કલાકમાં જ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દૂર્ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, અટલ બ્રિજ બન્યા બાદ આપઘાત કર્યાનો આ પહેલો બનાવ છે.  આ યુવક  પાલનપુરનો હોવાની માહિતી મળી રહી છે.

શહેરનાં અટલ બ્રિજ પર લગાવેલી ફ્રેમ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સરની હાજરીમાં જ યુવકે કઇ રીતે બ્રિજ પરથી ઝંપલાવ્યું તે વિચારવાનો પ્રશ્ન છે. આ બનાવ સામે આવતાની સાથે જ લોકોમાં પણ રોષ દેખાઇ રહ્યો છે.

આ પણ વાંચો: કાતિલ ઠંડીથી મળશે રાહત

મળતી માહિતી પ્રમાણે, અટલ બ્રિજની ફ્રેમ પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ મોબાઇલ નદીમાં પડનાર યુવકનો જ છે કે નહીં. આ ઉપરાંત આ યુવક કોણ છે અને આપઘાત પાછળના કારણ અંગે પણ તપાસ કરી રહી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, આપઘાત, ગુજરાત

Related Posts: