દ્વારકા ખંભાળિયા31 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે રવિવાર તારીખ 12ના રોજ સવારે 9થી 11 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં વીરનગરના જાણીતા શિવાનંદ મિશનની પ્રખ્યાત આંખની હોસ્પિટલના ડોક્ટરો અને ટેકનિશિયનો સેવા આપશે. દર્દીઓને સ્થળ પર તપાસી, દવા તથા સારવાર આપવામાં આવશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને આ જ દિવસે બસ દ્વારા વીરનગર લઈ જઈ, બીજા દિવસે આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરી, નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે. ત્રીજા દિવસે અહીં પરત લઈ આવવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને માનવસેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પમાં આંખના નંબર કાઢી આપવામાં આવશે નહીં.