Saturday, April 1, 2023

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રથમ વખત એક સાથે વિવિધ ગુનાના 10 આરોપીઓને પાસા તળે જેલ હવાલે કરાયા | For the first time, 10 accused of various crimes have been handed over to Pasha Tal jail for the first time by the West Kutch Police | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • For The First Time, 10 Accused Of Various Crimes Have Been Handed Over To Pasha Tal Jail For The First Time By The West Kutch Police

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

કચ્છ જિલ્લાના પશ્ચિમ વિભાગમાં વિવિધ ગુન્હાહિત પ્રવૃતિઓ હેઠળ આરોપી તરીકે રહેલા અસામાજિક તત્વો વિરુદ્ધ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે કાયદાનો કોરડો વીંઝી ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 10 આરોપીઓને પાસા તળે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

આ અંગે પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ
હાલમાં શરીર સબંધી ગુનાઓ આચરવા સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ચલાવતા તથા જાહેર પ્રજાની શાંતીમાં ખલેલ પહોચાડી ભય જનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા ઈસમોની જાહેર પ્રજાની શાંતી માટે અસામાજીક પ્રવૃતિ અટકાવવા સબબ અટકાયતી પગલાં લેવા માટે પોલીસ મહા નિર્દેશક જે આર મોથળીયા અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘ દ્વારા અપાયેલી સુચનાની અમલવારી કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારીએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂ, મારામારી જેવા વિવિધ ગેરકાયદે પ્રવુતિ કરતા તથા અનેક ગુનામાં આરોપી રહેલા ઈસમો સામે પાસાના કાયદા તળે કાર્યવાહી કરી અટક કરી લેવાય બાદ રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પ્રજા માટે ભય જનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા તેમજ ગેરકાયદેસર, અસામાજિક પ્રવૃત્તિ અન્યવે અટક કરાયેલા ઇસમોમાં (1) ઇકબાલ ઉર્ફે એક્કો જાકબ ત્રાયા ઉવ.23 રહે.આશાપુરા મીલ માટીની બાજુમાં ભુજીયા તળેટી રીંગરોડ, રામનગરી ભુજ. (2) જીવરાજ રાણશી ગઢવી, ઉવ.23 રહે.મોટા ભાડીયા, તા.માંડવી. (3) કાનજી રાણશી ગઢવી, ઉવ.29 રહે.મોટા ભાડીયા, તા.માંડવી. (4)રાણશી જેઠાભાઇ ગઢવી, ઉવ.60 રહે.મોટા ભાડીયા, તા.માંડવી. (5) હનીફ ઉર્ફે હનીયો સુલેમાન કકલ ઉવ.30. રહે.રામનગરી જુના રેલ્વે સ્ટેશન, ખોડીયાર માતાના મંદિર પાસે, ભુજ. (6) હનીફ ઉર્ફે અકલો સાધક સમા ઉવ.24 રહે. શાંતીનગર, સમાવાસ ભુજ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરી અસામાજિક પ્રવ્રુત્તી ફેલાવતા ઇસમોમાં (7)શામભા પશુભા જાડેજા, ઉવ.41, રહે.પ્લોટ નં.29, વોર્ડ નં.3, શાંતિધામ-3, ગામ- વરસામેડી, તા.અંજાર, મુળ રહે.ગામ-શીવલખા, તા.ભચાઉ. (8)શક્તિસિંહ ઉદેસિંહ સમા ઉવ.22 રે. ભુજ. (9) વિક્રમ ઉર્ફે વિકાસ સામજી ચાવડા (આહીર) રે. પધ્ધર તા. ભુજ અને (10) સામજી જેશગ ચાવડા રે. પધ્ધર તા. ભુજને અટકમાં લઈ પાસ તળે રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરવામાં આવશે. આમ પોલીસની સખ્ત કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

7 એપ્રિલથી 30 જૂન સુધી રાજકોટ અને પોરબંદર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન | Summer special train will run between Rajkot and Porbandar from April 7 to June 30 | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 07 એપ્રિલ, 2023 થી 30 જૂન, 2023 સુધી રાજકોટ અને પોરબંદર વચ્ચે વિશેષ ભાડા પર (સપ્તાહમાં 6 દિવસ મંગળવાર સિવાય) સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. તેવું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું.

ટ્રેનનું સમયપત્રક
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રેન નંબર 09595 રાજકોટ – પોરબંદર સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) રાજકોટથી દરરોજ 15.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.15 કલાકે પોરબંદર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09596 પોરબંદર – રાજકોટ સ્પેશિયલ (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) પોરબંદરથી દરરોજ 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.40 કલાકે રાજકોટ પહોંચશે.

આ સ્ટેશને ઉભી રહેશે
આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, બાલવા, જામ જોધપુર, વાંસજાળીયા અને રાણાવાવ સ્ટેશને ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે…

ભરૂચ SOG પોલીસે લોન લઈને કરોડોની છેતરપીંડી કરનાર વચેટીયાને ઝડપી પાડ્યો; પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા | Bharuch SOG police nabs middleman who defrauded crores of loans; The police obtained a three-day remand | Times Of Ahmedabad

અંકલેશ્વરએક કલાક પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વરમાં બાળપણના મિત્રએ મિત્રને ધંધોમાં સેટ કરવા શિક્ષિકા પત્નીના નામે બે કરોડ ઉપરાંતની લોન લઈ લક્ઝરીયસ કારો ખરીદી કરીને છેતરપિંડી કરનાર વ્યક્તિને Sog પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઈસમએ અન્ય લોકો સાથે પણ કરોડોની છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું છે. SOGએ ભરૂચના મિડિયેટરની ધરપકડ કરી સોમવાર સુધીના રીમાન્ડ મેળવ્યા છે.

SOGએ વચેટીયાને ઝડપી પાડીને રિમાન્ડ મેળવ્યા છે
અંક્લેશ્વરની મહિલા શિક્ષિકાના પતિના બાળપણના ખાસ મિત્રએ ટ્રાવેલ્સના ધંધામાં લાખોની કમાણીના સ્વપ્ન બતાવ્યા બાદ શિક્ષિકા અને તેના પતિને ભોળવી તેમના નામે અલગ અલગ બેંકોમાંથી રૂ. 2.06 કરોડની લોન લીધી. જેમાંથી 14 નવી લક્ઝરીયસ કાર ખરીદી રફૂચક્કર થઇ ગયા હતા. આ મામાલે શિક્ષિકાએ અંકલેશ્વર પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ SOGએ આ મહાઠગાઈ કાંડમાં સંડોવાયેલાં ભરૂચના વચેટીયા એવા સમીર મહારાઉલજીને ઝડપી પાડ્યો છે.

આરોપીઓએ નવી 25 લક્ઝરીયસ કારો ગાયબ કરી દીધી છે
જ્યારે આ કામના માસ્ટર માઇન્ડ મુંબઈના રાહુલ શાહ અને તેની ટોળકીએ ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં રવિકિરણ કોમ્પ્લેક્ષમાં હેર કટીંગની દુકાન ધરાવતાં મહેશ રતીલાલ લિમ્બચિયાને પણ સમીર મહારાઉલજીએ કૌભાંડના મુખ્ય સુત્રધાર રાહુલ ઉર્ફે સચિન ગિરીષ શાહ સાથે ભેટો કરાવ્યો હતો. કંપનીના કર્મચારીઓની અવર-જવર માટે વાહનોની જરૂરિયાત હતી. જેથી ટ્રાવેલ્સના ધંધામાં રોકાણ કરી લાખો કમાવવાની લાલચ આપી હતી. જે બાદ તેના દસ્તાવેજોના આધારે અલગ અલગ બેન્કમાંથી કુલ 1.56 કરોડની મત્તાની 11 લક્ઝરીયસ કાર ખરીદી કરીને ઠગાઇ કરી હતી. અંક્લેશ્વરની મહિલા શિક્ષિકા અને ભરૂચના શખ્સ પાસેથી મળી ભેજાબાજોએ કુલ 3.62 કરોડથી વધુનું કાર લોન કાંડ કરીને નવી નક્કોર 25 ગાડીઓ લઇ ગાયબ કરી દેવાઈ છે.

આ ભેજાબાજોએ અલગ અલગ જિલ્લાઓમાંથી ફુલેકુ ફેરવ્યું છે
સમગ્ર છેતરપીંડીમાં કાર લોન રેકેટનો માસ્ટર માઇન્ડ મુંબઇ ખાતે રહેતો રાહુલ ઉર્ફે સચિન ગિરીષ શાહ છે. તેના વિરૂદ્ધમાં અમદાવાદમાં રૂ. 6થી 7 કરોડથી વધુની ઠગાઇની ફરિયાદો નોંધાઇ છે. જ્યારે વડોદરામાં પણ તેણે એફડીમાં રૂપિયા મુકવાની મોડસ ઓપરેન્ડીથી 1.75 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલમાં સમીર મહારાઉલજીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી મુખ્ય ભેજાબાજોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

સુરતમાં આંતર રાજ્ય જિલ્લાઓમાં ભિક્ષુક તરીકે જઈને ચોરી કરતી કંજર ગેંગની 6 મહિલા ઝડપાઈ | In Surat, 6 women of the Kanjar gang were caught stealing as beggars in inter-state districts | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભિખારીના સ્વાંગમાં આવીને લાખો રૂપિયાની ચોરી કરનાર કંજર ગેંગની મહિલાઓને ઝડપી પાડવામાં આવી

આંતર રાજ્ય જિલ્લાઓમાં ચોરી કરતી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતી કંજર [સલાટ] ગેંગની 6 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી ટાઉન તથા કડોદરા જીઆઈડીસી પોલીસની ટીમે સંકલનમાં રહીને 6 મહિલાઓની ધરપકડ કરી હતી અને ગણતરીના કલાકોમાં એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી મહિલાઓને ઝડપી પાડી

સુરતના જિલ્લાના બારડોલી સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાંથી 6 જેટલી મહિલાઓ ભીખ માંગવાના બહાને આવી દુકાનદારની નજર ચૂકવી બેગમાં મુકેલા 9.16 લાખની રોકડ તથા વિદેશ મોકલવાના કપડાની ચોરી કરી ફરાર થઇ ગયી હતી. બીજી તરફ દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા મહિલાઓની આ ગેંગ કડોદરા ચાર રસ્તા તરફ નીકળેલી હોવાની માહિતી મળી હતી. જેથી બારડોલી ટાઉન પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસને સમગ્ર બનાવથી વાકેફ કરી હતી. જેથી કડોદરા જીઆઈડીસી પોલીસની ટીમે બારડોલી રોડ તરફથી આવતા રોડ પાસે નાકા બંધી કરી ઓટો રીક્ષામાંથી 6 મહિલા અને 4 બાળકોને તાબામાં લઇ કડક પૂછપરછ કરતા તેઓએ બારડોલી ખાતે આવેલી દુકાનમાંથી ચોરી કરેલા 9.16 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જેથી બારડોલી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

કોની કોની ધરપકડ

1] સુનીતા ઉર્ફે મમતા જુફાન ઉર્ફે જગત પરમાર ઉ.50, તથા બે બાળકો

2] નીતલ ઉર્ફે નીતા વિક્કી પવાર [ઉ.32 તથા એક બાળક

3] સોનલ યુવરાજ ઉર્ફે દેવરાજ દેવીપુજક [ઉ.35]

4] અરુણા શંકરભાઈ રાજુભાઈ રાઠોડ [ઉ.35]

5] સપના તરુણ ઉર્ફે આર્યન પવાર [ઉ.27]

6] કવિતા ઉર્ફે ચંદા ઉર્ફે કિરણ ઉર્ફે જ્હુન ચરણ ઉર્ફે કોહીનુર સલાટ [ઉ.32]

શું હતી મોડેસ ઓપરેન્ડી

સુરત રેલવે બ્રિજના નીચે ખુલ્લામાં રહેતી આ મહિલા આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ભિખારીના વેશમાં ફરતા હોવાની બહાર આવી છે .પકડાયેલી કંજર ગેંગની મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવાના બહાને પોતાના એક સમૂહમાં એકલવાયા વેપારીને ટાર્ગેટ કરી પોતાની સાથે કાળું કાપડની આડશ ઉભી કરી નજર ચૂકવી કીમતી સમાન રોકડ, રકમ વગેરે ચોરી કરી ફરાર થઈ જતી હતી. તેમજ પોલીસમાં પકડાયા બાદ પોલીસને કોઈ પણ જાતનો સહકાર નહિ આપી પોતાના સાચા નામ સરનામાની હક્કિતથી વિપરીત હક્કિત જણાવી પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે વધુમાં ઝડપાયેલી મહિલાઓની આ ગેંગ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ મામલે પોલીસે આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

મોડાસાના બાકરોલ કંપા ગામે વૃક્ષના પોલાણમાં અચાનક આગ લાગી; ફાયરને જાણ કરતા ફાયર વિભાગ દોડી આવ્યો | A sudden fire broke out in a tree cavity at Bakrol Kampa village in Modasa; The fire department rushed to inform the fire | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઘણી વખત એવી કુતુહલ ભાવ વાળી ઘટનાઓ બનતી હોય છે. કે આપણે માની ના શકીએ પણ હકીકત સામે હોય છે. ત્યારે આવી જ એક કુતુહલ પેદા થાય એવી ઘટના મોડાસાના બાકરોલ કંપા ગામે એક સૂકા વૃક્ષમાં બની છે. જેના થડમાં આવેલી પોલાણમાં આગ લાગતા કુતુહલ સર્જાયું હતું.

મોડાસાના બાકરોલ કંપા ગામે મૂળસિંહ સીસોદીયા નામના એક ખેડૂત રહે છે. આ ખેડૂતના ખેતરમાં એક સૂકું ઝાડ આવેલું છે. આજે બપોરે 12 કલાકે અચાનક આ વૃક્ષમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. અચાનક આગના ગોટે ગોટા દેખાતા આસપાસના અન્ય ખેડૂતો ગભરાવા લાગ્યા હતી. આગની જાણ ખેતર માલિકને કરી જેથી ખેતર માલિકે ખેતરની અન્ય મિલકતોને નુકસાન ન થાય એ માટે મોડાસા ફાયર વિભાગને જાણ કરી હતી.

મોડાસા ફાયર વિભાગ તરત જ ઘટનાસ્થળે આવી ખેતરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. જોકે આવી આગ પ્રથમ વખત જોવા મળતા દરેકના મનમાં કુતુહલ જોવા મળ્યું હતું. આગ કયા કારણોસર લાગી, કેવી રીતે લાગી આ તમામ બાબતોનું રહસ્ય અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે…

Friday, March 31, 2023

વડોદરામાં આજે વધુ 25 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક વધીને 125 થયો | Vadodara reported 25 more corona cases today, taking the number of active cases to 125 | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,117 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 11 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,448 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 125 થયો છે.

આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના બિલ, અટલાદરા, ગોરવા, ઉંડેરા, તાંદલજા, સુભાનપુરા, અકોટા, ગોકુળનગર, ગોત્રી, છાણી, હરણી, મકરપુરા, તરસાલી, માણેજા, માંજલપુર, ગાજરાવાડી, વારસિયા, રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. કુલ 750 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 125 કેસ પૈકી 115 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 10 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 2 દર્દી ઓક્સિજન પર અને એક વેન્ટીલેટર પર છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.

શરદી-ખાંસીના કેસોમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે ધીમે વધતા જાય છે જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ખાંસીના કેસો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Nobel-winning Russian editor on detained US reporter: 'I know him, he's no spy' | World News | Times Of Ahmedabad

A Nobel prize-winning Russian journalist said on Friday he did not believe that arrested American reporter Evan Gershkovich was a spy, and that he hoped diplomacy could bring about his quick release.

Evan Gershkovich: The Wall Street Journal journalist Evan Gershkovich is shown in this undated photo. (AP)
Evan Gershkovich: The Wall Street Journal journalist Evan Gershkovich is shown in this undated photo. (AP)

Dmitry Muratov told Reuters the case against Gershkovich – a Wall Street Journal reporter facing espionage charges that carry up to 20 years in jail – was part of a wider trend to make journalism a “dangerous profession” in Russia.

“I know Gershkovich. I’ve met him two or three times over the last year. I know the practice exists of using journalists as spies, intelligence officers and ‘illegals’ (undeclared spies) – this is not that kind of case,” Muratov said.

“He was no kind of so-called deep-cover operative – using being a journalist and his journalist’s accreditation as a cover for espionage … Gershkovich was not a spy,” said Muratov, a co-winner of the Nobel Peace Prize in 2021 for his efforts to defend press freedom in Russia.

He was speaking outside a closed court hearing in Moscow on Friday in the case of Vladimir Kara-Murza, an opposition politician facing charges including state treason and spreading false information about the armed forces.

Muratov also cited the case of Ivan Safronov, a former journalist sentenced to 22 years in jail for treason last year.

“At every turn, we’re being charged with espionage and treason. It’s a trend – to show that journalism is a dangerous profession … both for Russian and other journalists.”

Read more: Donald Trump likely to surrender next week? What lawyer said after indictment

Muratov was editor-in-chief of the independent newspaper Novaya Gazeta, which has seen several of its reporters killed in the last two decades, and had its registration revoked last year after Russia went to war in Ukraine. More than 260 publications have been closed, blocked or de-registered since then, he said.

“I don’t really understand how, given that trend and the lack of media competition, you can hold the elections that President Vladimir Putin announced for 2024,” he said.

“Does it mean they’ll go ahead without difficult topics, discussions, candidate programmes? I’m starting not to understand how that can work.”

Muratov said he was aware of the “popular theory” that Gershkovich had been seized as a bargaining chip for Moscow to use in a prisoner exchange with the United States, though he did not say if he believed that himself.

He said he very much hoped that “through back-channel diplomacy”, Gershkovich would soon be freed.

મહુવામાં સ્કૂલના આચાર્યના વિરોધમાં ગામ લોકોએ આંદોલન કર્યું; બી આર સી ભવનમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું | Villagers protest against school principal in Mahuva; Local people protested at BRC Bhavan | Times Of Ahmedabad

મહુવા (ભાવનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

મહુવા તાલુકાના વઘનગર, સુંદરનગર તેમજ રામદૂતનગરના રહીશોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય ખોટી રીતે બિલ રજૂ કરીને ભષ્ટ્રાચાર કરી રહ્યા છે. તે બાબતે સ્થાનિક લોકોએ આચાર્યને અનેકવાર સમજવામાં આવ્યા પરંતુ સ્કૂલના આચાર્ય માનતા જ નહોતા. જેથી સ્થાનિક રહીશોએ આજે બી આર સી ભવનમાં આવીને જવાબદાર અધિકારીને રજૂઆત કરી હતી.

ગામના લોકો ટોળાં સાથે બેનર લઈને બી આર સી ભવનના ગ્રાઉન્ડમાં બેસીને સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આચાર્યના તાત્કાલિક ધોરણે બદલી કરવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈ જવાબદાર અધિકારીએ સ્થાનિક લોકોના પ્રશ્ન સભાળીને કાર્યવાહી કરીશ તેવી ચોક્કસ ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Man claims GPT-4 saved his dog’s life by diagnosing problem | Trending | Times Of Ahmedabad

OpenAI recently launched ChatGPT’s successor GPT-4. Since its release, social media is flooded with posts about the AI chatbot. In a recent tweet, a man claimed how it helped save his dog’s life by diagnosing a problem. The Twitter thread explaining the interaction between the chatbot and the man about the dog has gone viral. It has also prompted people to share various reactions.

The image shows the dog whose pet dad claimed GPT-4 saved its life.(Twitter/@peakcooper)
The image shows the dog whose pet dad claimed GPT-4 saved its life.(Twitter/@peakcooper)

“#GPT4 saved my dog’s life. After my dog got diagnosed with a tick-borne disease, the vet started her on the proper treatment, and despite a serious anemia, her condition seemed to be improving relatively well. After a few days however, things took a turn for the worse,” Twitter user Cooper wrote.

In the next few tweets he explained how the first vet he consulted failed to properly diagnose his dog and the pooch’s health kept getting “worse and worse”. And when the doctor failed to pinpoint the problem, the pet dad decided to try out GPT-4 in an attempt to find a solution.

Also Read: Man asks GPT-4 to launch a business with $100 budget, shares what happens next

“In the meantime, it occurred to me that medical diagnostics seemed like the sort of thing GPT4 could potentially be really good at, so I described the situation in great detail. I gave it the actual transcribed blood test results from multiple days, and asked for a diagnosis,” he tweeted.

In the next few tweets, Cooper added that the AI chatbot suggested the potential problems that the dog could have. Taking the list into consideration, Cooper formed a rough idea about the problem his dog could have. Soon, he consulted another vet who listened to Cooper’s suggestion while treating his dog. “We started the dog on the proper treatment, and she’s made almost a full recovery now. Note that both of these diseases are very common. Babesiosis is the #1 tick-borne disease, and IMHA is a common complication of it, especially for this breed,” he added.

Take a look at the Twitter thread:

Here are the tweets where the pet dad shared the screenshots of his interactions with GPT-4.

These tweets show what the AI bot compiled while giving a “I am not a veterinarian…” disclaimer.

The pet dad also shared these tweets to conclude his thread:

Since being shared, the main tweet has been viewed over 9.6 million times and the numbers are only increasing. The post has also accumulated several comments from people.

Here’s how Twitter users reacted:

“What is your dog’s name? I’m glad they are on the mend,” commented a Twitter user. “Impressive! Glad your dog is on the road to recovery. GPT helped diagnose what was wrong with my monstera plant a few weeks ago,” shared another. “Human doctor here and can’t wait for this to be integrated in daily practice. I have to look at long lists with results on a daily basis. AI is going to reduce human error,” posted a third. “This is cool but I just can’t get past handing over medical records to OpenAI with barely any privacy protections. Maybe fine for the dog but I couldn’t send over personal stuff,” argued a fourth. “This is completely amazing! I actually have been dealing with some medical things with my dog as well, and haven’t really gotten full answers from my veterinarian. I was thinking about maybe giving us a try, but I’m trying to understand what you used exactly,” wrote a fifth.

Also Read: What GPT-4 answered when asked ‘how can humans get along’

કનૈયા કુમારે કહ્યું- 'રાહુલ ગાંધીનો કેસ માનહાનિનો નહીં, પરંતુ, બેઈમાનો વિરૂધ્ધ અવાજ બંધ કરવાનો કારસો છે' | Kaniah Kumar said- 'Rahul Gandhi's case is not defamation but to stop the voice against dishonesty' | Times Of Ahmedabad

સુરત39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા

મોદી સરનેમ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનના કેસને લઈ રાજકારણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગરમાયેલું રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ડો. કનૈયા કુમાર આજે સુરત આવ્યા હતા, અને પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી સામેની સજાને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે, આ સમગ્ર મામલો ભાજપ દ્વારા લોકોને ગુમરાહ કરવા અને વિપક્ષનો અવાજ દબાવવા ઉભો કરાયેલો મુદ્દો છે. આ મામલો જે રીતે બતાવવામાં આવી રહ્યું છે કે, માનહાનિ નો છે. પરંતુ માનહાની નહીં પરંતુ, સંસદમાં ઉઠવામાં આવતો બેઇમાની સામેનો અવાજ બંધ કરવાનો છે. તો હાર્દિક પટેલનું નામ લીધા વગર કહ્યું કે, તે આગામી દિવસોમાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ બની જશે.

ભાજપ પર આકરા પ્રહાર
વર્ષ 2019ના ઇલેક્શન દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ આપેલા મોદી સરનેમ પરના ભાષણને લઈ તેઓ સામે સુરતમાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી સામે સજાનું ફરમાન થયાનો ચુકાદો આવતા તેમનું સંસદમાંથી સભ્યપદ દૂર કરી દેવામાં આવ્યું છે. ત્યારથી સમગ્ર દેશમાં રાજકારણ ખૂબ જ ગરમાયેલું રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીના કેસના ચુકાદાને લઈ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ડો. કનૈયા કુમાર સુરત આવ્યા હતા. ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. અનેક મુદ્દાઓ અને અનેક પ્રશ્નો ઉઠાવીને સંસદમાં વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનો અવાજ બંધ કરી દેવા માટે રચાયેલો આ આખો પ્રી પ્લાન ખેલ ગણાવ્યો છે.

આડકતરી રીતે જજ પર ટકોર કરી
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમાર સુરતમાં આવીને પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી સામે સુરતના જજે સંભળાવેલ સજાને લઈ જજના ચુકાદા સામે આડકતરી ટકોર કરી હતી. આ ચુકાદો કોઈના ઇશારે અગાઉથી નક્કી કરી દેવાયો હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરત કોર્ટના માનનીય જજ હરેશ વર્માજીને ચુકાદો સંભળાવ્યા બાદ પ્રમોશન મળ્યું છે. ત્યારે તેમના પ્રમોશનને લઈ હું તેમને અને તેમના પરિવારને હાર્દિક શુભકામના પાઠવું છું અને જીવનમાં આ જ રીતે આગળ વધવાની શુભેચ્છા આપું છું.

મામલો માનહાનિનો નહિ અવાજ બંધ કરવાનો છે
કનૈયા કુમારે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતથી જ જે રીતે રાહુલ ગાંધી સામેના કેસને માનહાનિના કેસ તરીકે પ્રસ્થાપિત કરાઇ રહ્યો છે. પરંતુ ખરેખર આ મામલો હું માનું છું કે, માનહાનિનો નથી પરંતુ બેઇમાનીનો છે.બેઈમાની ની વાતો લોકો સુધી ન પહોંચે તે માટે આ કરવામાં આવ્યું છે. જે કંપનીની બઈમાનીને લઈ સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કરવામાં આવી રહી છે તે ચર્ચાને જ દૂર કરી દેવાય તે માટે આ પ્રકારનો માનહાનિ ના નામનો મામલો આગળ કરીને ચુકાદો લાવવામાં આવ્યો છે.

અદાણી પર આકરા પ્રહાર
કનૈયા કુમારે રાહુલ ગાંધી પર કરવામાં આવેલા કેસ અને સજા સામે અદાણી સામે ઉઠાવવામાં આવેલો અવાજ બંધ કરવાનો પ્રયાસ બતાવ્યો હતો. સંસદમાં વારંવાર અદાણી કંપની ની ગેરરીથી થયું હોવાના આરોપ લગાવીને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેની સામે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JCP) બનાવીને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમને બચાવવાનો ભાજપ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક ઉદ્યોગપતિ અને એક વ્યક્તિને બચાવવા માટે આજે સમગ્ર ભાજપના નેતાઓ વિપક્ષનો અવાજ બંધ કરાવવા લાગ્યા છે. લોકતંત્રમાં અવાજ દબાવવા માટેનો આ એક હિનન પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર આરક્ષણ માંગનાર આવતા દિવસોમાં મંત્રી અથવા મુખ્ય મંત્રી બનશે : કનૈયા કુમાર
કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ભાજપ કોઈપણ હદ સુધી પ્રયાસો કરી શકે છે. કનૈયા કુમારે આડકતરી રીતે હાર્દિક પટેલનું નામ લીધા વગર ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મારો એક ખૂબ જ જૂનો દોસ્ત છે. અત્યારે જેમ અન્ય લોકો બેઠા છે તેવી રીતે એ પણ મારી સાથે બાજુમાં બેસતો હતો. મારા એ મિત્રને ભાજપ વાળા દેશદ્રોહી કહેતા હતા. અનેક જુદા જુદા કેસો તેની પર કર્યા હતા. હવે વોશિંગ મશીનમાં જઈને બધું સાફ થઈ ગયું છે. આજે તમામ કેશો તેના દૂર થઈ ગયા છે.ભાજપમાં જઈ તે ધારાસભ્ય બની ગયા છે. અને લાગે છે બધું જ જો બરોબર રીતે સેટ થઈ જશે તો આગામી દિવસોમાં મંત્રી અથવા મુખ્યમંત્રી પણ બની જશે. પાનની દુકાન ઉપર ભાજપના કાર્યકર્તાઓ જેને દેશદ્રોહી બતાવી રહ્યા હતા, પટેલ આરક્ષણ માંગવાને લઈ તેને જાતિવાદી કહેવામાં આવતો હતો, ટુકડે ટુકડે ગેંગનો કહેવામાં આવતો હતો. તે બધું જ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું, માફ થઈ ગયું.

અન્ય સમાચારો પણ છે…

હેમાલી બોઘાવાલાએ કહ્યું- શ્વાનમાં ડાયબિટિસનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના જ કારણે વધુ આક્રમક બન્યા | Hemali Boghwala said - The rate of diabetes in dogs is increasing and because of this they have become more aggressive | Times Of Ahmedabad

સુરત40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરતના મેયર હેમાલી બોઘાવાલા. - Divya Bhaskar

સુરતના મેયર હેમાલી બોઘાવાલા.

સુરત મહાનગરપાલિકાની રખડતા શ્વાન માટે કરવામાં આવતી કામગીરીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અલથાણ ગામમાં બાળકી પર શ્વાનના હુમલાની ઘટના બાદ તંત્ર દ્વારા દસ જેટલા શ્વાનને ઝડપી પાડ્યા છે. ત્યારે મેયરે શ્વાનની આક્રમકતાને લઈને નિવેદન આપ્યું હતું કે, શ્વાનમાં ડાયબિટિસનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના જ કારણે વધુ આક્રમક બની રહ્યા છે.

શ્વાનોને રસીકરણ માટે ભેસ્તાન ખાતે મોકલાયા
શ્વાનના હુમલાને લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ બાદ જાગેલા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. ખસીકરણ અને રસીકરણની કામગીરી કરતી પાલિકાની ટીમ દ્વારા શ્વાનોને ઝડપી પાડવામાં આવે છે. ત્યારબાદ શ્વાનોને રસીકરણ માટે ભેસ્તાન ખાતે મોકલી આપવામાં આવે છે.

શ્વાન પકડાવાની કેપેસિટી વધારી
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, જે રીતે ડોગ બાઈટના કિસ્સાઓ વધી રહ્યા છે, તેને જોતા તંત્ર ખૂબ જ એલર્ટ થઈ કામગીરી કરી રહ્યું છે. ડોગ માટેના પાંજરાઓ પણ વધારી દેવામાં આવ્યા છે. શ્વાન પકડાવાની કેપેસિટી વધારી મેડિકલની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરતમાં રખડતા ડોગ માટે એક સ્પેશિયલ ડોક્ટરોની ટીમ પણ બનાવવામાં આવી છે.

બાળકો પર હુમલા દુઃખદ બાબત
વધુમાં જણાવ્યું હતું કે, શ્વાનમાં ડાયાબિટીસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શ્વાન વધુ આક્રમક બની રહ્યા છે, તેની પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે. જેને લઈ બાળકો પર આ રીતે હુમલો કરી રહ્યા છે જે દુઃખદ બાબત છે. સુરતમાં બાળકો પર શ્વાનના હુમલાની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.

શ્વાનના હુમલાની ઘટનામાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો
મહત્વનું છે કે, સુરતમાં રખડતા શ્વાનનો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. છતાં તંત્ર સ્વાનના આતંકને અટકાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે. શહેરમાં હમણાં સુધી શ્વાનના હુમલાની ઘટનામાં બે માસૂમ બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

તબીબોની સ્પેશિયલ ટીમ મેદાનમાં
શહેરમાં શ્વાનના વધતા હુમલા પાછળ મેયરે ડાયાબિટીઝ સહિતના અન્ય કારણો જવાબદાર ગણાવ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા હાલ તો શ્વાનના વધુ આક્રમક બનવા પાછળનું કારણ જાણવા તબીબોની સ્પેશિયલ ટિમ મેદાનમાં ઉતારવામાં આવી છે. જે ટીમ દ્વારા શ્વાનના હુમલા પાછળનું કારણ શોધવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Pope Francis to leave hospital tomorrow, take part in Holy Week rites: Report | World News | Times Of Ahmedabad

Pope Francis will leave hospital on Saturday and could take part in all Easter week celebrations, a top cardinal told Italian news agency Adnkronos on Friday.

Pope Francis(AP)
Pope Francis(AP)

The pope, 86 and suffering from a number of ailments, was taken to Rome’s Gemelli hospital two days ago after complaining of breathing difficulties.

However, the Vatican said on Thursday he was already much better after beginning treatment with antibiotics and would probably be discharged within a few days.

Also read: PM Modi wishes Pope Francis speedy recovery from bronchitis infection

“According to the information I have, he will leave the Gemelli tomorrow,” the dean of the college of cardinals, Giovanni Battista Re, said on Friday.

“That way, he could preside over all the Holy Week rites,” Re said.

Holy Week, starting with Palm Sunday on April 2, leads to the most important event in the Christian calendar, Easter Sunday on April 9. The week includes a busy schedule of rituals and ceremonies that can be physically exhausting, including a Good Friday nighttime procession by Rome’s Colosseum.

Re said arrangements had been made for Francis to be supported by a cardinal in each of these celebrations, and that the cardinal would take care of altar duties.

Earlier on Friday, a Vatican source said the pope had spent a second peaceful night in hospital, in the latest sign he is recovering well from his bronchitis infection.

The Vatican expects to issue another bulletin on Francis’s progress later on Friday, the source added.

રંગારંગ પર્ફોર્મન્સ સાથે અમદાવાદમાં IPLનો પ્રારંભ, એકસાથે 109 IASની બદલી, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોને ટ્રાવેલ અલાઉન્સ મળશે | In the midst of increasing corona cases, the state released important guidelines, candidates who appeared for the junior clerk exam will get allowance, who put up the anti-Modi posters? | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • In The Midst Of Increasing Corona Cases, The State Released Important Guidelines, Candidates Who Appeared For The Junior Clerk Exam Will Get Allowance, Who Put Up The Anti Modi Posters?

31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. 109 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.

આઈપીએલ 16ની શરુઆત થઈ

અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આજથી આઈપીએલ 16મી સિઝનની શરુઆત થઈ.. રંગારંગ કાર્યક્રમની સાથે આઈપીએલની શરુઆત થઈ.. 1.15 લાખ દર્શકોથી સ્ટેડિયમ ખીચોખચ ભરાયુ..સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાવાની છે. આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો..બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, કેટરીના કૈફ અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું..ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફત આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવાઈ..નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી આઈપીએલની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે અઢી વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે, જ્યારે બીઆરટીએસની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને એએમટીએસની 91 બસ રાત્રે 1:30 વાગ્યા સુધી દોડાવાશે. મેટ્રો દર 12 મિનિટે મળી રહેશે. ગઈકાલે ગુરુવારની સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમના ખૂણે પાણી ભરાયાં હતાં.

રાજ્ય સરકાર ઉમેદવારોને આપશે ટ્રાવેલ અલાઉન્સ

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપશે. જોકે અહી એ મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના જ ખાતામાં રૂપિયા જમા થશે. માહિતી મુજબ દરેક ઉમેદવારના ખાતામાં 254 રૂપિયા જમા કરાવવામાં આવશે. જેની માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને હવે ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયુ છે. જે મુજબ કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ હવે ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા 31-03-2023ના બપોરે 01:00 વાગ્યાથી 09-04-2023ના 12:30 વાગ્યા સુધી જ ભરી શકાશે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્રની ગાઈડલાઈન જાહેર

ગુજરાત સહિત દેશભરમાં સતત કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ફરી એકવાર કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જે મુજબ હવે ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોએ RT-PCR બાદ જ ગુજરાતમાં જ પ્રવેશ મળશે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખ્યો છે. આ સાથે આરોગે તંત્ર દ્વારા ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ રોકવા ગાઈડલાઇન જાહેર કરાઇ છે. જેમાં એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ તંત્ર અલર્ટ મોડ પર છે ત્યારે આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોને RT-PCR બાદ પ્રવેશ મળશે. આ સાથે નવી ગાઈડલાઇન મુજબ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેને લઈ આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખ્યો છે.

શાંતિ એશિયાટીક સ્કૂલની દાદાગીરી

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. સ્કૂલમાં ભણતા આશરે 150 જેટલા વિદ્યાર્થીઓના રિઝલ્ટ રોકવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજે વાલીઓએ સ્કૂલ પર ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો છે કે, અમારા બાળકોને અમે ખાનગી વાનમાં મોકલીએ છીએ. બસમાં અમારા બાળકો આવતા નથી, જેથી અમારા બાળકોના રિઝલ્ટને રોકી રાખવામાં આવ્યા છે. આજે અમે વાલીઓ ભેગા થઈને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને મળવા દેવામાં આવ્યા નથી. સ્કૂલ તરફથી જે પેરેન્ટ્સ મિટિંગ રાખવામાં આવે છે, તેમાં પણ બોલાવવામાં આવ્યા નથી.સ્કૂલ વાનનો ચાર્જ 1700 રૂપિયા છે, જ્યારે સ્કૂલ બસનો ચાર્જ 2750 રૂપિયા જેટલો છે. તેમાં પણ સ્કૂલ તરફથી જે પોઇન્ટ નક્કી કરવામાં આવે છે, ત્યાં સુધી મૂકવા જવું પડે છે. આમ ખાનગી વાનમાં જે બાળકો આવે છે, તો હવે સ્કૂલ બસમાં આવે તેવી ફરજ પાડવા માટે થઈને રિઝલ્ટ રોકવામાં આવ્યા છે. આ મામલે આજે હવે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે.

માસુમ બાળકીની હત્યા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામાકાંઠે આવેલ જનકલ્યાણ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે બાળકીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી CCTV ફૂટેજના આધારે શકમંદોની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીના પિતા અને પરિવારજનોનો આક્ષેપ છે કે દારૂના નશામાં આરોપીએ બાળકીની હત્યા નિપજાવી છે તેને ફાંસીની સજા જ થવી જોઇએ.રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં સાળીના કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના વતની પંકજ કુમાર (ઉ.વ.33) અને તેમના પત્ની કારખાનામાં કામ કરતા હતા દરમિયાન સાંજના 5 વાગ્યા આસપાસ બાળકી નજીકમાં ભાગ લેવા ગયેલ હતી આ દરમિયાન રાજેશ ચૌહાણ નામના શખ્સની દાનત બગડતા અઢી વર્ષની માસુમ બાળકી રિયાને નજીકમાં અવાવરું જગ્યાએ લઇ ગયો હતો જો કે બાળકી સાથે અડપલાં કરતા સમયે બાળકી બુમાબુમ કરવા લાગતા નરાધમે બાળકીને મોઢે ડૂચો દઇ ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી હતી બાદમાં બાળકીની લાશને કોથળામાં વીંટી અવાવરું સ્થળે ફેંકી દીધી હતી.

પોસ્ટર્સ લાગ્યાંની જાણ થતાં પોલીસ એક્ટિવ બની

અમદાવાદ શહેરમાં ગત 30 માર્ચને ગુરુવારની મોડી રાતે ઠેર-ઠેર ‘મોદી હટાવો, દેશ બચાવો’નાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. પોસ્ટર્સ લાગ્યાંની જાણ થતાં તાબડતોબ પોલીસ સક્રિય બની હતી. અલગ અલગ વિસ્તારો સર્ચ હાથ ધરીને પોસ્ટર્સ હટાવાયાં હતાં અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પડ્યા હતા. પકડાયેલા આરોપીઓ AAPના કાર્યકરો છે અને હાલ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં ગત ગુરુવારની મોડી રાતે અચાનક વિવાદ શરૂ થયો હોય એમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોદી હટાવો દેશ બચાવો જેવા સ્લોગન સાથેનાં પોસ્ટર્સ લાગ્યાં હતાં. આ વાતની જાણ થતાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય બની હતી અને તાત્કાલિક પ્રધાનમંત્રી વિરુદ્ધ આવાં પોસ્ટરો કોણે લગાવ્યાં એની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આ વિવાદને કારણે પોલીસે આ પોસ્ટર લગાડનારને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે…