Sunday, April 2, 2023

હાર્ટ એટેકના બનાવને લઈ જૂનાગઢની મેડિકલ કોલેજ ખાતે ભાજપ દ્વારા CPR ટ્રેનિંગ નું આયોજન કરાયું | CPR training was organized by BJP at the medical college of Junagadh regarding the incident of heart attack | Times Of Ahmedabad

જુનાગઢ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ડોક્ટર સેલ દ્વારા 38 થી વધુ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો તબીબો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરના વોર્ડના કાર્યકરો દ્વારા આ ટ્રેનિંગ લેવામાં આવી હતી. ખાસ કરીને હાર્ટ એટેકનો ભોગ બનનાર વ્યક્તિને સમયસર સારવાર મળે અને હાર્ટ એટેકના લીધે તેને જીવ ગુમાવવો ન પડે તેવા હેતુથી ડોક્ટર સેલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર શૈલેષ બારમેડાએ જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ સીપીઆર કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સુચના અને સંગઠન મહામંત્રી રત્નાકર જી ના પારદર્શન હેઠળ જૂનાગઢની મેડિકલ કોલેજમાં ઠેસીયા વિભાગમાં 75 થી વધુ સભ્યોને આ આપવામાં આવી હતી. દરેક વોર્ડના 100 થી પણ વધારે સભ્યોને કાર્ય કરીએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો.

સીપીઆર ની ટ્રેનિંગ આજના સમયમાં ખૂબ જરૂરી બની છે. હાલના સમયમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. તેવા સમયે 108 કે બીજી કોઈપણ ટીમ સહાય મળે તે પહેલા દર્દીનું મૃત્યુ થતું હોય છે. જ્યારે આવા સમયે હાર્ટ એટેકનો ભોગ બનનાર વ્યક્તિની નજીક રહેલા લોકો જો સીપીઆરની ટ્રેનિંગ લીધેલી હોય તો તે વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. આ સીપીઆર ટ્રેનિંગ માટેનું આયોજન આખા ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં 1200 થી પણ વધારે તબીબોએ આ કાર્યક્રમમાં સીપીઆર ટ્રેનિંગ આપી હતી. આજના ગુજરાત ભરના સીપીઆર ટ્રેનિંગમાં 65,000 થી વધુ કાર્યકરો આ ટ્રેનિંગ લેશે. આ તમામ કાર્યકરો પોતાના વોર્ડમાં બીજા 15 થી 20 લોકોને આ ટ્રેનિંગ આપશે અને આ રીતે જન જન સુધી આ તાલીમ પહોંચશે અને હાર્ટ એટેક થી થતા મૃત્યુ બચાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Chinese colleges give weeklong off to let students ‘enjoy love’ | World News | Times Of Ahmedabad

Amid the Chinese government’s incentives to encourage young couples to have more children, two colleges are motivating their students to use extended spring vacations to feel the beauty of spring and love, a move that some see as an attempt to reverse the declining birth rate.

On Chinese social media, the college announcement received a wide range of responses. (Representational photo)
On Chinese social media, the college announcement received a wide range of responses. (Representational photo)

Also Read| Explained: China’s 30 days paid marriage leave plan to boost birth rate

Extending a one-day tomb sweeping national holiday to a full week, the Sichuan Southwest Vocational College of Civil Aviation in Chengdu informed all students and staff members about the decision through a notice titled “Holiday Notice on ‘Floating Spring,’” reported Fox News. In the circular, people were encouraged to “leave the classroom, leave campus, enjoy the nature and feel the beauty of spring and love.”

Taking a similar step, the University of Xiamen also granted its students a whole week off. According to the Sichuan Southwest Vocational College, the spring break will not shorten the students’ class time as they are required to complete various homework assignments during their vacation. Liu Ping, deputy dean of the college said the holiday should be regarded as a way for students to practice the combination of life and studying, added the report.

Also Read| Marriages fell in this country to record low. Its birth rate is world’s lowest

The news of the extended off drew a variety of reactions on Chinese social media. The majority of users said they were envious of the students and faculty at these two universities, while some expressed hope that this would become a national norm.

“I’m sure this is just another attempt to push people into having more babies,” one person wrote on Weibo. Others criticised it being a cheap attempt to attract more students to enroll in vocational education.

ઊંઝા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ખાતે દાતા દ્વારા સ્કૂલવાન અર્પણ કરાઈ | A school van was presented by a donor at Manav Mandir run by Unjha Parishram Charitable Trust | Times Of Ahmedabad

ઊંંઝા26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઊંઝામાં પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ખાતે દાતા નરેન્દ્ર કાનજીભાઈ પટેલ દ્વારા સ્કૂલવાન અર્પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઊંઝા apmc ચેરમેન દિનેશ પટેલ તેમજ સ્કૂલવાન દાન આપનાર દાતા નરેન્દ્ર કાનજીભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી.

ઊંઝા ખાતે ચાલતું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ મંદિરમાં દિવ્યાંગ બાળકો માટે સહાયનું કામ કરી રહ્યુ છે. જ્યાં દિવ્યાંગ બાળકોને અભ્યાસ તેમજ અન્ય પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. માનવ મંદિરમાં આવતા દિવ્યાંગ બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ બાળકો પોતાના પગ ઉપર ઉભા થઇ શકે એના માટે અગરબત્તી બનાવીને તેઓ સ્વરોજગરી મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Bhopal-New Delhi Vande Bharat breaches expected speed limit of 160 kmph | Latest News India | Times Of Ahmedabad

The maximum speed of the Bhopal-New Delhi Vande Bharat Express reached 161 kilometres per hour during its launch run on Saturday, breaching its expected speed limit of 160 kmph, officials said.

Prime Minister Narendra Modi flags off Vande Bharat Express, at Rani Kamlapati Station, in Bhopal on Saturday. Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan also present. (ANI Photo)
Prime Minister Narendra Modi flags off Vande Bharat Express, at Rani Kamlapati Station, in Bhopal on Saturday. Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan also present. (ANI Photo)

The train that cuts the travel time between Bhopal and New Delhi by an hour, touched the speed of 161 kmph between Raja ki Mandi in Agra and Mathura, they added.

A small stretch of the track between the Agra Cantonment and Nizamuddin railway stations has been designed in a manner to fit the speed limit.

Earlier, the Ministry of Railways had said in an order that the Rani Kamalapati-New Delhi Vande Bharat Express train can run up to a maximum speed of 160 kmph over the Agra Cantonment-Tuglakabad section.

Prime Minister Narendra Modi flagged off the 11th Vande Bharat Express train on Saturday.

The semi-high speed train was flagged off from the Rani Kamalapati railway station in Bhopal in the afternoon in the presence of Railway Minister Ashwini Vaishnaw, Madhya Pradesh Governor Mangubhai Patel and Chief Minister Shivraj Singh Chouhan.

કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ, રાયોટિંગની પણ 60થી વઘુ શખ્સો સામે ફરિયાદ, તલવાર સહિતના હથિયારો જપ્ત | Police complaint registered against Kajal Hindustani, complaint against more than 60 people for rioting, weapons including sword seized | Times Of Ahmedabad

ઉના19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉના શહેરમાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ ઉનામા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગત રાત્રે કુંભારવાડા અને ભોયવાડા વિસ્તારમાં પથ્થરમારાની પણ ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બાદ કરવામાં આવેલ કોમ્બિંગ દરમિયાન તલવાર અને કુહાડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

તલવાર,કુહા઼ડી સહિતના હથિયાર જપ્ત.

તલવાર,કુહા઼ડી સહિતના હથિયાર જપ્ત.

દુકાનો બંધ રહી
આખરે શહેરમાં તંગદિલી વાતાવરણ ઉભુ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. ઘટના બાદ જૂનાગઢ રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા, એસ.પી. શ્રીપાલ શેષ્મા સહિતનો કાફલો પહોંચી ગયો હતો. તેમજ પોલીસ દ્વારા આખીરાત કોમ્બીંગ કરવામાં આવેલ હતું. જેમાં 60 શખ્સોની અટકાયત કરી રાયોટિંગનો ગુન્હો નોધ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગીર સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ એસપી તથા પોરબંદરની પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ શહેરીજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉના શહેરના વેપારીઓ દ્વારા દુકાન ખોલવવામાં આવેલ નથી. હાલ વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.

રાત્રે થયેલ પથ્થરમારો.

રાત્રે થયેલ પથ્થરમારો.

હથિયારો જપ્ત
શહેરમાં પોલીસ દ્વારા આખી રાત કોમ્બિંગ સમય દરમિયાન પોલીસને તલવાર, કુહાડી સહિતના ઘાતક હથિયારી પણ મળી આવ્યા હતા. શહેરમાં પરિસ્થિતિની ગંભીરતા સમજી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ જ્યાં નજર કરીયે ત્યાં પોલીસ પોલીસ જ દેખાય હતી. ત્યારે અલગ અલગ જીલ્લા અને તાલુકાની પોલીસ SRP સહિત કુલ 300થી વધુ પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે સીસીટીવી અને વીડિયો આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

અન્ય સમાચારો પણ છે…

જમાલપુર સ્મશાન ગૃહમાં કોન્ટ્રાકટરે ચિતાની ડિઝાઇન બદલી, બ્લેકલિસ્ટ કરવા માટે ભાજપના સત્તાધીશોના આંખ આડા કાન | Jamalpur crematorium contractor changes design of pyre to use less wood, BJP officials turn a blind eye to blacklisting | Times Of Ahmedabad

અમદાવાદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાકડાઓ સપ્લાય કરવા મૃતદેહો દફનવિધિ વગેરેના સંચાલન માટે કોર્પોરેશનના જન્મ મરણ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં સંચાલન કરનાર કોન્ટ્રાક્ટર સંસ્થા સમભાવ સેવા સંઘ દ્વારા અંતિમ સંસ્કાર માટેની લોખંડની ચિતાઓમાં ઓછા લાકડા વપરાય તેના માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર જ ચિતાઓનું વેલ્ડીંગ કરી અને તેમાં ફેરફાર કરવામાં આવતા જન્મ મરણ વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે.

ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ જમાલપુર સ્મશાનગૃહમાં કોન્ટ્રાક્ટર સંસ્થા સમભાવ સેવા સંઘ દ્વારા ભૂતકાળમાં પણ આવા અનેક વખત ફેરફારો કર્યા હતા અને તેને નોટિસ આપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે જન્મ મરણ વિભાગ દ્વારા ભાજપના સત્તાધીશો સમક્ષ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં રજૂઆત કરાઈ હતી પરંતુ ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે તેને મંજૂરી આપવામાં આવી નથી.

આ સમભાવ સેવા સંઘ પાસે અમદાવાદ શહેરના જમાલપુર સહિત અન્ય 11 એમ મળી કુલ 12 જેટલા સ્મશાન ગૃહોનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને અગાઉ અન્ય બે-ત્રણ સ્મશાનો પણ આવી રીતે બેદરકારી સામે આવતા તેને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ કોન્ટ્રાક્ટર કંપની સામે જન્મ મરણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ભાજપના સત્તાધીશો આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોને સાચવી રહ્યા છે.

લોખંડની ચિતાઓ બનાવવામાં આવી
અમદાવાદના સ્મશાન ગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ચિતાઓ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. ડિઝાઇન પ્રમાણે લોખંડની ચિતાઓ બનાવવામાં આવી છે. તેમાં કોઈપણ ફેરફાર કરવો હોય તો જન્મ મરણ વિભાગ અને ઇજનેર વિભાગની મંજૂરી લેવી પડે છે. જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં સૂકા લાકડાઓ રાખવા મૃતદેને દફન કરવા ખાડા ખોદવા સહિતના કામો માટે કાંકરિયાની સમભાવ સેવા સંઘ નામની સંસ્થાને કોર્પોરેશનના જન્મ મરણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

15 જેટલી ચિતાઓ સ્મશાન ગૃહમાં આવેલી છે તેમાં કેટલીક ચિતાઓમાં વેલ્ડીંગ કરી અને ડિઝાઇનમાં ફેરફાર ઓછા લાકડા વપરાય તેના માટે લોખંડનું સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર સંસ્થા દ્વારા મંજૂરી લીધા વગર ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જન્મ મરણ વિભાગના ધ્યાને આવ્યું છે. જેને લઇ અને સમભાવ સેવા સંઘને નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

દિયરના ઝઘડામાં વચ્ચે પડતાં 3 શખસે જાનથી મારવા ધમકી આપી, અંધારામાં ખેંચી જઈ અડપલાં કર્યા | In the middle of a dispute, 3 persons threatened to kill, dragged in the dark and confronted. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલા પોતાના દિયરના ઝગડામાં વચ્ચે પડતા સામેના 3 વ્યક્તિઓએ મહિલાનો હાથ પકડી અંધારામાં લઈ જઈ બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.આ ઉપરાંત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે અંગે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા અમરાઈવાડી વિસ્તારમાં રહે છે.પતિ,બાળકો,સાસુ તથા દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.ગઈકાલે સાંજે બધા ઘરે હાજર હતા ત્યારે બહારથી અવાજ આવ્યો તો તેમના દિયર સાથે રાજુ બોરાડે નામના શખ્સે ઝઘડો કરી મારામારી કરતો હતો.મહિલા અને તેમના પતિ દિયરના ઝઘડામાં વચ્ચે પડતા રાજુએ તેમને પણ મારવાના શરૂ કરી દીધા હતા.રાજુ બીભત્સ ગાળો પણ બોલવા લાગ્યો હતો.આ દરમિયાન રાજુના ભત્રીજા શશી અને વરુણ પણ ત્યાં આવી ગયા હતા જે મહિલાના પતિ અને દિયરને મારવા લાગ્યા હતા.

આ દરમિયાનમાં રાજુએ મહિલાને 2 લાફ મારી દીધા તથા હાથ પકડીને અંધારામાં લઈ જઈ શારીરિક અડપલાં કરીને બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.ત્રણેય લોકો ત્યાંથી નીકળતા હતા ત્યારે જતા જતા પણ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી મહિલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

These 10 states likely to witness ‘above normal heatwave days' in April | Latest News India | Times Of Ahmedabad

After logging a drastic shift in the weather pattern in the month of March, India is set to witness above normal heatwave days in many regions from April onwards, the India Meteorological Department (IMD) said Saturday.

A woman drinking water. As the temperature continues to rise. (Sunil Ghosh / Hindustan Times)
A woman drinking water. As the temperature continues to rise. (Sunil Ghosh / Hindustan Times)

IMD said that during the hot weather season, from April to June, most parts of the country are expected to witness above normal maximum temperatures, but noted that pockets of northwest India and the southern peninsular are likely to log normal to below normal maximum temperatures.

Issuing its bulletin for overall weather outlook for April to June, IMD said central India, east India and northwest India will see a pattern of above normal heatwave days in these months. In April, as many as 10 states are likely to experience such drastic temperature shifts, as per the weather office.

These states are likely to witness above normal heatwave in April, says IMD
Bihar
Jharkhand
East Uttar Pradesh, pockets of west Uttar Pradesh 
Odisha
Gangetic West Bengal
North Chattisgarh
West Maharashtra
Gujarat
Punjab
Haryana

Also Read| Explained: What is a heatwave and how to protect yourself

IMD also noted that most of India except pockets of northwest, central and east India will record normal to below normal monthly minimum temperature. Average rainfall in April will be recorded normal over the country as a whole, IMD said, adding that “normal to above normal rainfall is expected over most parts of northwest, Central, Peninsular India, whereas below normal rainfall is likely over east and Northeast India and pockets of west coast India.”

The heatwave warning for the hot weather season comes after March logged radical temperature shifts compared to historical averages. While IMD had predicted March to be warmer than usual in most parts of the country, the first two weeks of the month were indeed in line with the forecast. However, in the later half of the month, the temperature was recorded cooler than normal due to western disturbances, making this March among the top ten coldest March in the past 73 years.


દ્વારકામાં લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા 27 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે; આધાર પુરાવા સાથે પ્રશ્નો રજૂ કરી શકાશે | A district reception program will be held on April 27 to address people's issues in Dwarka; Questions may be presented with supporting evidence | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A District Reception Program Will Be Held On April 27 To Address People’s Issues In Dwarka; Questions May Be Presented With Supporting Evidence

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોના પ્રશ્નો, ફરિયાદો તથા રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઇ શકે તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. 27 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ, જે અનિર્ણિત હોય, અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે.

આ કાર્યક્રમમાં અરજદારો જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને અરજદાર જાતે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇને રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆત કરી નહીં શકાય. અરજદાર અહીંની કચેરીમાં તા. 10 એપ્રિલ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે એવું એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

વડોદરામાં આવતીકાલે 39 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાશે, અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ | Gujcat exam to be held tomorrow at 39 centers in Vadodara, entry of unauthorized persons prohibited at exam centers | Times Of Ahmedabad

વડોદરા38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા આવતીકાલે 03/04/2023ના રોજ સવારે 10થી 4 કલાક દરમિયાન વડોદરા શહેરના કુલ 39 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

પરીક્ષા કેન્દ્રના 100 મીટરની અંદર પ્રતિહબંધો
વડોદરા શહેરમાં જે-જે કેન્દ્રો (સ્કૂલ/હાઇસ્કુલ)માં પરીક્ષા લેવાનાર છે, તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર તા. 02/04/2023 (સોમવાર)ના રોજ સવારે 9થી 5 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં
​​​​​​​તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. તથા પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં એવું પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે.

કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. જો કે, પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે…

ડેમાઈ ગામે મુખ્ય બજારમાં આવેલી કરીયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, શટરનું તાળું તોડી 50 હજારથી વધુ મુદ્દામાલની ચોરી | Smugglers raided a grocery shop in the main market of Demai village, broke the lock of the shutters and stole more than 50,000 items. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Smugglers Raided A Grocery Shop In The Main Market Of Demai Village, Broke The Lock Of The Shutters And Stole More Than 50,000 Items.

અરવલ્લી (મોડાસા)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને ફાવટ આવી ગઈ છે. ત્યારે બાયડના ડેમાઈ ગામે મુખ્ય બજારમાં તસ્કરીની વધુ એક ઘટના સામે આવી છે. બાયડ તાલુકાના કપડવંજ રોડ પર આવેલી ડેમાઈ ગામે એક કરીયાણા પ્રોવિઝન સ્ટોર્સ આવેલી છે. આ સ્ટોર્સમાં ખાદ્ય ચીજોનો વેપાર થાય છે. ગત રાત્રીના રોજ દુકાન માલિક દુકાન બંધ કરી ઘરે ગયા બાદ મધ્યરાત્રી દરમિયાન તસ્કરોએ આ પ્રોવિઝન સ્ટોર્સના શટરનું તાળું તોડ્યું અને શટર ઊંચકાવી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રહેલ ખાદ્યચીજો અને દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ સહિત 50 હજાર કરતા વધુના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી હતી. સવારમાં જ્યારે દુકાનદાર આવ્યો ત્યારે દુકાનનું શટર ઉચકાયેલું જોયું ત્યારે ચોરી થઈ હોવાની ખબર પડી સમગ્ર ઘટના બાબતે ડેમાઈ બીટ જમાદારને જાણ કરી જેથી પોલીસે સમગ્ર વિગત લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂતકાળમાં પણ જિલ્લામાં બનતી આવતી તસ્કરીની ઘટના અંગે નોંધાયેલ ગુન્હાઓના ભેદ વણ ઉકેલાયા છે. ત્યારે વારંવાર જિલ્લામાં બનતી ચોરી, લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીની ઘટનાઓ પોલીસ માટે પણ પડકાર રૂપ છે. ત્યારે ડેમાઈ ગામે પોલીસનું નાઈટ પેટ્રોલીંગ યોજાય એવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે…

India succeeds in landing Space Plane RLV | Watch how ISRO and IAF achieved the feat | Times Of Ahmedabad

The ISRO on Sunday successfully conducted the Reusable Launch Vehicle Autonomous Landing Mission (RLV LEX).